નાગરિકતા સંશોધન બિલ( સીટીઝનશીપ એમન્ડમેન્ટ બિલ 2019) લોકસભામાં રજૂ થયું અને તેના સમર્થનમાં 293 વિરદ્ધ 82 મત પડ્યાં. નાગરિક સંશોધન બિલમાં સુધારાનો વિપક્ષોએ બરાબરનો વિરોધ કર્યો છે. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જિએ તો ખુલ્લેઆમ કહી દીધું કે મારા રાજ્યમાં તેનો અમલ નહીં થાય. પૂર્વના તમામ રાજ્યો આ સીટિઝન બિલનો વિરોધ કરી રહ્યાં છે. એવું તો શું છે આ બિલમાં, કે તેનો વિરોધ કરવો પડે.
નાગરિકતા સંશોધન બિલ 2019ની મહત્વની વાત
(1) આ વિધેયકમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક આધાર પર હેરાનગતિના શિકાર બન્યાં પછી બિન મુસ્લિમ શરણાર્થીઓ( જેવા કે હિન્દુ, જૈન, બૌદ્ધ, શીખ, પારસી અને ઈસાઈ સમુદાયના લોકો)ને સરળતાથી ભારતની નાગરિકતા આપવાની જોગવાઈ છે. નાગરિક સંશોધન વિધેયક 2019 અનુસાર સિટિઝનશીપ એક્ટ 1995માં ફેરફારની દરખાસ્ત છે.
(2) સીટિઝનશીપ એક્ટ 1955 અનુસાર ભારતમાં 11 વર્ષ રહ્યાં પછી ભારતની નાગરિકતા આપવાની જોગવાઈ છે. પણ આ સંશોધન બિલમાં બિનમુસ્લિમ શરણાર્થીઓ માટે આ બંધન નહી હોય, તેમના માટે આ સમય મર્યાદાના ગાળો 11 વર્ષથી ઘટાડીને 6 વર્ષનો કર્યો છે.
(3) પૂર્વોત્તરના રાજ્યોની ચિંતાને જોતાં કેન્દ્ર સરકારે તેમાં ફેરફાર પણ કર્યા છે. હવે જે રાજ્યોમાં જ્યાં ઈનર લાઈન પરમિટ લાગુ છે, તેમને નાગરિકતા સંશોધન બિલમાં છૂટ આપવામાં આવી છે. એટલું જ નહી નોર્થ ઈસ્ટના રાજ્યોના 6 અનુસુચિત જનજાતીય ક્ષેત્રોને પણ આમાં છૂટ મળશે.
(4) સીટિઝનશીપ એક્ટ 1955 અનુસાર ગેરકાયદે પ્રવાસીઓને ભારતની નાગરિકતા આપવામાં આવતી નથી. આ વિધયેકમાં એવા લોકોને ગેરકાયદે પ્રવાસીઓ માનવામાં આવ્યા છે કે જે ભારતમાં કાયદેસર યાત્રાના દસ્તાવેજ જેવા કે પાસપોર્ટ, વીઝા વિગેરે લઈને દાખલ થયાં હતાં, તેમને આપેલ સમય મર્યાદા કરતાં વધુ સમય સુધી તેઓ રોકાયાં હોય. તેવા લોકોને જેલ પણ થઈ શકે છે અથવા સ્વદેશ મોકલી દેવાઈ શકે છે.
(5) નાગરિકતા સંશોધન વિધેયક 2019માં કેન્દ્ર સરકારે જૂના કાયદામાં ફેરફાર કરીને અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવેલ હિન્દુ, શીખ બોદ્ધ, જૈન, પારસી અને ઈસાઈ શરણાર્થીઓને ગેરકાયદે પ્રવાસીવાળાના નિયમમાં છૂટ આપવામાં આવશે. એટલે કે આ બિલ અનુસાર બિનમુસ્લિમ શરણાર્થીઓ જો ભારતમાં કાયદેસર દસ્તાવેજો વગર મળી આવશે તો તેમને જેલ નહી થાય.
આ વિધેયકને 19 જુલાઈ, 2016માં લોકસભામાં રજૂ કરાયું હતું. એટલું જ નહી 12 ઓગસ્ટ, 2016માં આ વિધેયકને સંયુકત સંસદીય સમિતિને મોકલાયું હતું. સમિતિનો રીપોર્ટ આવ્યાં પછી 8 જાન્યુઆરી, 2019ના રોજ વિધેયકને લોકસભામાં પાસ કરાયું હતું, પણ પૂર્વોત્તરમાં ભારે વિરોધને કારણે તેને રાજ્યસભામાં રજૂ કરાઈ શકાયું ન હતું. ત્યાર બાદ લોકસભાનો ભંગ થતાં વિધેયક રદબાતલ થયું હતું.
નાગરિકતા સંશોધન બિલનું નામ સાંભળતા જ વિપક્ષો એકજૂથ થઈ જાય છે. અને ભારે જોરશોરથી બૂમબરાડા શરૂ કરી દીધાં છે. તેમનો આક્ષેપ છે કે હાલની સરકાર આ વિધેયક દ્વારા હિન્દુ મતદાતાઓને તેમના પક્ષમાં લેવાની કોશિશ કરી રહી છે. પૂર્વોત્તરના રાજ્યોનું કહેવું છે કે જો નાગરિકતા સંશોધન બિલને લાગુ કરાશે તો તેનાથી રાજ્યોના મૂળ રહેવાસીઓની ઓળખને ભય સતાવી રહ્યો છે. તેની સાથે તેમની રોજીરોટી પર પણ સંકટ જોવાશે. આ વિધેયકથી આસમ સમજૂતી 1985ની જોગવાઈઓ રદ થઈ જશે. આ સમજૂતીમાં કોઈપણ જાતના ધાર્મિક ભેદભાવ વગર ગેરકાયદે શરણાર્થીને પાછા મોકલવાની અંતિમ તારીખ 24 માર્ચ, 1971 નક્કી કરી હતી.
લોકસભામાં આજે આજે આખો દિવસ નાગરિકતા સંશોધન બિલને ગરમાગરમ ચર્ચા થઈ, હિન્દુત્વના મુદ્દા સાથે ચૂંટણી જીતીને આવેલ શિવસેનાએ આજે કેટલાય સવાલો ઉઠાવ્યાં હતાં. જે લોકોને નાગરિકતા આપવી હોય તો તેમને 25 વર્ષ સુધી મતદાનનો અધિકાર આપવો નહી. જો કે જેડીયુએ ખુલીને સમર્થન કર્યું હતું. શિવસેનાએ ત્યાં સુધી કહ્યું કે જો તમામ લોકોને નાગરિકતા આપવામાં આવશે તો દેશની વસતી વધી જશે. આ લોકોના આવવાથી ભારત પર કેટલો બોજો વધી શકે છે, તેનો જવાબ ગૃહપ્રધાને આપવો જોઈએ. બીએસપીએ માગ કરી છે કે મુસ્લિમોને પણ આ બિલમાં જગ્યા મળી જોઈએ. બાંગ્લાદેશની લડાઈના સમયે અથવા તે પહેલાં ભારત આવેલા મુસ્લિમોને પણ નાગરિકતા આપવી જોઈએ. શરણાર્થીની કોઈ જાતિ કે ધર્મ ન હોવા જોઈએ.
બીજી તરફ કોંગ્રેસેના સાંસદ મનીષ તિવારીએ કહ્યું હતું કે આ વિધયેકનો અમે વિરોધ કરીએ છીએ કારણ કે આ બાબાસાહેબ આંબેડકરના બંધારણની વિરુદ્ધ છે. આ બધાંની સામે ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે 1971ના યુદ્ધ અને બાંગ્લાદેશના ગઠન પછી શરણાર્થીઓને નાગરિકતા આપવામાં આવી ત્યારે અમારી પાર્ટીએ વિરોધ નહોતો કર્યો. 1947માં તમામ શરણાર્થીએઓને ભારતના બંધારણ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો હતો. મનમોહનસિંહજી અને લાલકૃષ્ણ અડવાણીજી આ સમૂહનો હિસ્સો છે. તેમણે ભારતના વિકાસમાં યોગદાન આપ્યું છે. તેઓ દેશના વડાપ્રધાન અને ઉપવડાપ્રધાન બન્યાં, કારણ કે દેશે તેમને સ્વીકાર્યા અને તેમને નાગરિકતા આપી.
અમિત શાહે તો ત્યાં સુધી કહી દીધુ કે તમે ચર્ચામાં સામેલ થાવ, આ બિલ કોઈનો અધિકાર છીનવવાનું બિલ નથી, આ બિલ અધિકાર આપવાની વાત છે. જો કોઈનો અધિકાર છીનવવાનું આપ સાબિત કરો તો હું બિલને પાછું લઈને જતો રહીશ. આ બિલથી કોઈને અન્યાય નહીં થાય, તેની પાછળ કોઈ જ છૂપો એજન્ડા નથી.
હવે વાત કરીએ નાગરિકતા સંશોધન બિલમાં સુધારા જરૂરી છે કે નહી. નાગરિકતા સંશોધન બિલમાં સુધારા ખૂબ જ જરૂરી છે. અત્યારની સ્થિતિને જોતાં સુધારા કરવા જ જોઈએ. દેશની સુરક્ષાનો મુદ્દો વિચારીને તેમજ ક્રાઈમ રેટ ઘટાડવા અને આર્થિક સુધારા કરવા માટે પણ નાગરિકતા સંશોધન બિલમાં સુધારા જરૂરી છે. રાજનીતિ અને વોટબેંકથી ઉપર ઉઠીને નાગરિકતા બિલને ટેકો આપવો એ આપણી ફરજ છે. દરેક પક્ષોએ એક થઈને આ બિલને સમર્થન કરવું જોઈએ. જો આમ નહીં થાય તો આપણા દેશમાં ગમે તે દેશના રહેવાસીઓ રહેવા આવી જશે. પછી દેશની સુરક્ષાનું શું?
1 comment
This is 100 percent correct that if we start giving citizenship to any country tourists in India, it will be easy for terrorists to enter and take Indian citizenship. This is very bad idea.