પાકિસ્તાને ભારતના 15 શહેરો પર કર્યો હૂમલો, ભારતીય સેનાએ બનાવ્યો નિષ્ફળ

by Investing A2Z

પાકિસ્તાનના લાહોરમાં ડિફેન્સ સીસ્ટમને તોડી પાડી

નવી દિલ્હી- ઓપરેશન સિંદૂર ( Operation Sindoor ) પછી ભારત અને પાકિસ્તાનની વચ્ચે તંગદિલી વધી રહી છે. ( India Pakistan War ) તેને અનુલક્ષીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM Narendra Modi ) એ આજે ભારત સરકારના અનેક વિભાગો સાતે હાઈ લેવલ બેઠક કરી હતી. જેમાં પીએમ એ રાષ્ટ્રીય સુરક્ષાને લઈને હાલની ઘટનાઓને લઈને ચર્ચા કરી હતી. અને સાંજે છ વાગ્યે ભારતના વિદેશ સચિવે પ્રેસ બ્રીફિંગ કર્યું હતું અને આજના દિવસના સમગ્ર ઘટનાક્રમની માહિતી આપી હતી. ( Foreign Secretary India )

કર્નલ સોફિયા કૂરેશી ( Colonel Sofisa Qureshi ) એ જણાવ્યું હતું કે અમે સૈન્યોના સ્થળોની નિશાના બનાવ્યા નથી. અમે પહેલા જ પાકિસ્તાનને ચેતવણી આપી હતી. અમે પાકિસ્તાન દ્વારા કરાયેલા હૂમલાને નિષ્ફળ બનાવ્યા છે. ( Wing Commander Vyomika Singh )

સાત અને આઠ મે, 2025ની રાત્રે પાકિસ્તાને ડ્રોન અને મિસાઈલોનો ઉપયોગ કરીને અવંતીપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાનકોટ, અમૃતસર, કપૂરથલા, જાલંધર, લુધિયાના, આદમપુર, બઠિંડા, ચંદીગઢ નાલ, ફલોદી, ઉત્તરલાઈ અને ભૂજ સહિતના ઉત્તરી અને પશ્ચિમી ભારતમાં કેટલાય સૈન્યના સ્થળોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. તેને ઈન્ટીગ્રેટેડ કાઉન્ટર યુએએસ ગ્રીડ અને વાયુરક્ષા પદ્ધતિ દ્વારા નિષ્ફળ બનાવી દીધા હતા. આ હૂમલાનો માલસામાન હાલ કેટલાય સ્થાનો પરથી મળી આવ્યો છે. જે પાકિસ્તાની હૂમલાને સાબિત કરે છે.

વિદેશ સચિવ વિક્રમ મિસરી ( Indian Foreign Secretary Vikram Misri ) એ સત્તાવાર રીતે કહ્યું હતું કે સરહદ પારથી અમારી વિરુદ્ધ બહુ ખોટી સૂચનાઓ આપવામાં આવી છે. જેમાં કેટલીક વાતો ધ્યાનમાં રાખવા જેવી છે. તેમાં તંગદિલી વધારવાનો ઉલ્લેખ છે. પહેલગામમાં આતંકી હૂમલામાં 26 નિર્દોષ પર્યટકોને ગાળી મારીને મારી નાંખ્યા હતા. તે તંગદિલી વધારવાનું સૌથી પહેલું કારણ હતું. ભારતીય સેનાએ તેનો બદલો લીધો હતો. અને અમે માત્ર આતંકીઓના કેમ્પ પર જ હૂમલો કર્યો છે. નિર્દોષ નાગરિકો કે પાકિસ્તાન સૈન્ય પર કોઈ જ હૂમલો કર્યો નથી.

વિક્રમ મિસરીએ વધુમાં જણાવ્યું કે પહેલગામ હૂમલાની જવાબદારી ટીઆરએફ સમુહ લશ્કર એ તૈયબાએ સ્વીકારી હતી. આના સંબધમાં અમે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ ( UNSC ) ને તમામ માહિતી મોકલી આપી છે. ટીઆરએફ દ્વારા સતત અપડેટ અપાઈ રહ્યું છે. વિક્રમ મિસરીએ એક હકીકત જણાવી હતી કે જ્યારે યુએનએસસીના નિવેદનમાં ટીઆરએફના નામને સામેલ કરવાની વાત આવી ત્યારે પાકિસ્તાને વિરોધ કર્યો હતો અને ટીઆરએફનું નામ દૂર કરાવ્યું હતું. આ સ્પષ્ટ સંકેત છે કે પાકિસ્તાન હજી પણ આંતકી જુથોની ઢાલ બની રહી છે અને ટેકો આપી રહી છે.

વિદેશ સચિવ વિક્રમ સચિવે કહ્યું કે પાકિસ્તાનના પ્રધાન કહી રહ્યા છે કે અમારે ત્યાં કોઈ આતંકી નથી. જે પુરેપુર જુઠ્ઠ અને ભ્રામક છે. પાકિસ્તાન આજે પણ વિશ્વનું આતંકવાદીઓનું કેન્દ્ર રહ્યું છે. વિશ્વ સમુદાયને અપીલ કરીને કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે પાકિસ્તાનનું જુઠ્ઠ અને પાકિસ્તાનની નિતીને ઓળખે અને તેમના વિરુદ્ધ સખત વલણ અપનાવે. દુનિયાભરમાં આતંકી હૂમલામાં તે નિશાન મળ્યા છે.

વિદેશ સચિવે પાકિસ્તાનની દલીલને નકારી કાઢી હતી અને જેમાં કહેવાયું હતું કે 7 મેના ભારતીય એરસ્ટ્રાઈકમાં ફક્ત નાગરિકોની મોત થઈ છે. તેમણે ખૂબ જ કડક શબ્દોમાં સ્પષ્ટ કહ્યું હતું કે અમારુ નિશાન માત્ર આતંકીઓના ઠેકાણા હતા. જે સ્થળોએ આતંકવાદીઓ રહેતા હતા. ત્યાં સુધી કે જનાજે પણ આતંકીઓને સમ્માનની સાથે વિદાય કરાયા છે.

વિક્રમ મિસરીએ એક તસવીર બતાવીને કહ્યું હતું કે જો પાકિસ્તાન દાવો કરતું હોય કે અમારા નિર્દોષ નાગરિકો માર્યા ગયા છે તો આ તસવીર શુ કહી રહી છે. તસવીરમાં Let કમાન્ડર અબ્દુલ રઉફ દેખાઈ રહ્યો છે, જે આતંકવાદીઓના જનાજામાં સામેલ થયો હતો.

વિક્રમ મિસરીએ ઉમેર્યું હતું કે પાકિસ્તાને ઉશ્કેરશે તો તેને હજી વધુ કડક જવાબ આપીશું. પાકિસ્તાને જમ્મુ કશ્મીરના શિખ સમુદાય પર ટાર્ગેટેડ એટેક કર્યો હતો. પુંછમાં એક ગુરુદ્વારા પર હૂમલો કર્યો હતો અને શિખ સમુદાયના સભ્યોને નિશાન બનાવ્યા હતા. જે હૂમલામાં ત્રણ લોકોના મોત થયા હતા. તેમણે કહ્યું કે પુંછમાં કુલ 16 નાગરિકોના મોત થયા છે.

વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘે કહ્યું કે પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરના કુપવાડા, બારામુલ્લા, ઉરી, પૂંચ, મેંધર અને રાજૌરી સેક્ટરના વિસ્તારોમાં મોર્ટાર અને હેવી કેલિબર આર્ટિલરીનો ઉપયોગ કરીને નિયંત્રણ રેખા પર તેના ઉશ્કેરણી વગરના ગોળીબારની તીવ્રતા વધારી છે. જેના કારણે 16 નિર્દોષ લોકોના જીવ ગયા છે, જેમાં ત્રણ મહિલાઓ અને પાંચ બાળકો પણ સામેલ છે. પાકિસ્તાન તરફથી મોર્ટાર અને તોપખાનાના ગોળીબારને રોકવા માટે ભારતને જવાબ આપવાની ફરજ પડી હતી.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે એક કાર્યક્રમમાં કહ્યું કે ઓપરેશન સિંદૂરની સફળતા પ્રશંસનીય છે. ગઈકાલે કરેલી કાર્યવાહી અને તેમણે બતાવેલી હિંમત અને બહાદુરી માટે હું આપણી ભારતીય સેનાને અભિનંદન આપું છું. જે રીતે આપણા દળોએ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો છે. તે આપણા બધા માટે ગર્વની વાત છે.

સંરક્ષણપ્રધાને કહ્યું કે ગઈકાલે અમે કવૉલીટી શું ભૂમિકા ભજવે છે, તેનો નમૂનો જોયો. ‘ઓપરેશન સિંદૂર’ જે ચોકસાઈથી હાથ ધરવામાં આવ્યું હતું. આમાં, 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો અને મોટી સંખ્યામાં આતંકવાદીઓ માર્યા ગયા. આમાં કોઈ નિર્દોષ વ્યક્તિનું મોત થયું નથી. આ શક્ય બન્યું કારણ કે આપણી સેના પાસે ઉત્તમ શસ્ત્રો હતા. તેમણે કહ્યું કે ગઈકાલે આખી દુનિયાએ ભારતની બહાદુરી જોઈ હતી.

Related Posts

Leave a Comment