ભારતે વેક્સિનેશનમાં 100 કરોડનો આંક પાર કરી સિદ્ધિ મેળવી

by Investing A2Z

કોરોના મહામારીથી બચવા માટે ચલાવેલ રસીકરણમાં 100 કરોડનો આંક વટાવી દીધો છે. એટલે કે ભારતમાં 100 કરોડ લોકોને વેક્સિનેસન થઈ ચુક્યું છે, જેની વિશ્વમાં સિદ્ધી ગણી શકાય. અને પુરી દુનિયાને એક સંદેશ પણ આપ્યો છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મનોહર લોહિયા હોસ્પિટલ પહોંચ્યા હતા. અને તેમની સાથે કેન્દ્રીય આરોગ્યપ્રધાન પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર બાદ તેમણે હરિયાણામાં ઝજ્જરમાં બનેલ એમ્સ કેમ્પસમાં ઈન્ફોસીસ ફાઉન્ડેશન વિશ્રામ સંદનને ખુલ્લુ મુક્યું હતું.

તે વખતે પીએમ મોદીએ કહ્યું હતું કે દેશે 100 કરોડ ડોઝનું સુરક્ષા કવચ મળ્યું છે. આપણે બધાએ સાથે મળીને કોરોના મહામારીને ઝડપથી હરાવાની છે. મોદીએ 100 કરોડ ડોઝના આંકને પાર કર્યા પછી તમામ આરોગ્ય સાથે સંકળાયેલા કર્મચારીઓને અભિનંદન આપ્યા હતા. તેમજ દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ બનાવવા પર ભાર આપ્યો હતો, અને તેમણે કહ્યું હતું કે કેન્સરની અંદાજે 400 દવાઓના ભાવ પણ સરકારે ઘટાડ્યા છે.

ભારતે વેક્સિનેશનની શરૂઆત જાન્યુઆરી 2021માં કરી હતી, અને તે પણ તબક્કાવાર વેક્સિનેશન શરૂ કરાયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ભારતે આજે વેક્સિનેશનમાં નવો કિર્તીમાન સ્થાપિત કર્યો છે. તેમજ કોરોનાથી બચવા માટે ભારતે અન્ય દેશોની મદદ પણ કરી હતી, તેના માટે ભારતે પોતે પહેલ કરી હતી, અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની મદદથી આ સેવાનું કામ કર્યું હતું. ભારતે બનાવેલી અને ભારતમાં ઉત્પાદિત વેક્સિનને ભારતે બીજા દેશમાં મોકલી હતી.

દેશના આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયું છે કે આ દરમિયાન કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 103.50 કરોડ વેક્સિન ઉપલબ્ધ કરાઈ હતી, હાલમા રાજ્યો પાસે 10.85 કરોડ વેક્સિન સ્ટોકમાં પડી છે.

આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ નવી દિલ્હીના લાલ કિલ્લામાં આયોજિત કાર્યક્રમમાં કોરોના વેક્સિનેશનના 100 કરોડના આંકને પાર કરતાં તેની ઉજવણીના ભાગરૂપે એક ગીત અને ઓડિયો વિઝ્યુલ ફિલ્મ લોન્ચ કરી હતી, અને કહ્યું હતું કે ભારતે આજે ઈતિહાસ રચી દીધો છે. 100 કરોડ રસીકરણ દેશવાસીઓના આત્મવિશ્વાસની ભાવના છે. 100 કરોડ રસીકરણ આત્મનિર્ભર ભારતની દિવાળી છે. આ દિવસે વેક્સિનેશન હજી વધુ વેગ મળે તે માટે પ્રસિદ્ધ પદ્મ પુરસ્કાર વિજેતા ગાયક કૈલાસ ખેર દ્વારા ગવાયેલ ગીત ‘ટીકે સે બચા દેશ’ ગીતને ટ્વીટ કર્યું હતું. ટ્વીટર આ ગીતને લોકોએ ખૂબ પસંદ કર્યું છે.

આ એક ઐતિહાસિક ઉપલબ્ધિમાં ભારતમાં કોરોના રસીકરણ કવરેજ ગુરુવારે 100 કરોડનો આંક પાર કર્યો હતો. કોવિન પોર્ટલ અનુસાર આજે સવારે 9.47 કલાકે કુલ 100 કરોડ વેક્સિનના ડોઝ અપાઈ ગયા છે. અને તે પછી આ આંક સતત વધી રહ્યો છે.

વેક્સિનેશનનો પ્રારંભ થયો ત્યારે સૌપ્રથમ આરોગ્ય ક્ષેત્રના કર્મચારીઓને રસી અપાઈ હતી, ત્યાર પછી કોરોના વોરિયર્સને વેક્સિન અપાઈ હતી, અને તે પછી 60 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન અપાઈ હતી. તે પછી 45 વર્ષથી વધુના લોકોને રસી અપાઈ હતી, અને ત્યાર પછી 1 મેથી 18 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સિન આપવાની શરૂઆત કરાઈ હતી. આમ દેશમાં વેક્સિનેસન એક ઝુંબેશના રૂપમાં ચાલી હતી.

Related Posts

Leave a Comment