ચીનના વુહાન શહેરમાંથી શરૂ થયેલ Corona Virus મહામારીથી દુનિયાભરમાં મરનારની સંખ્યા 35 લાખને પાર કરી ગઈ છે. India સહિત પુરી દુનિયામાં અત્યાર સુધીમાં 16 કરોડથી વધુ લોકો આ મહામારીથી સંક્રમિત થઈ ચુક્યા છે. આ મહાસંકટની વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન( WHO )એ ચેતવણી આપી છે કે દુનિયામાં કોરોના મહામારી ઝડપથી સમાપ્ત નહી થાય. WHO ના યુરોપના ડાયરેક્ટર હાંસ કુલ્ગેએ કહ્યું છે કે જ્યાં સુધી 70 ટકા વસ્તીને Covid વાયરસની રસી નહી લાગે ત્યાં સુધી મહામારી ખતમ નહી થાય.
અત્યારે હાલ કોરોના વાયરસનું રસીકરણ ખૂબ જ ધીમુ ચાલી રહ્યું છે, જેથી ચિંતા થાય તે સ્વભાવિક છે. તેમણે વધુમાં કહ્યું હતું કે કોરોના વાયરસને ખતમ કરવા માટે જરૂરી છે કે 70 ટકા વસતીનું Vaccination થઈ જવું જોઈએ. કુલ્ગેના કહેવા પ્રમાણે તેમની ચિંતા એ છે કે હવે કોરોના વાયરસથી વધુ સંક્રામક વેરિએન્ટ છે. તેમણે ઉદાહરણ સાથે સમજાવ્યું હતું કે ભારતમાં મળેલ કોરોના વાયરસ વેરિએન્ટ B. 1617 અને બ્રિટનમાં મળેલ કોરાના વાયરસનો સ્ટ્રેન B. 117 થી વધુ સંક્રામક છે. રોચક વાત એ છે કે બ્રિટનમાં મળેલ સ્ટ્રેન પોતાના અગાઉના સ્ટ્રેનથી વધુ ખતરનાક છે.
મહામારીમાં સ્પીડ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. જ્યારે કોરાના વાયરસને ડબલ્યુએચઓએ મહામારી જાહેર કરી ત્યારે તે સમયે કેટલાય દેશ રાહ જોઈ રહ્યા હતા અને કિમતી સમય કોઈ નાંખ્યો હતો. કોરોના વાયરસને ખતમ કરવા માટે આપણે રસીકરણ ઝડપી કરવું પડશે. હાલ આપણો સારો મિત્ર સ્પીડ છે, અને સમય આપણી વિરુદ્ધ ચાલી રહ્યો છે. રસીકરણમાં ઝડપ હાલ ખૂબ ધીમી ચાલી રહી છે, તેને આપણે વધુ ઝડપ આપવી પડશે અને વેક્સિનની સંખ્યા વધારવાની જરૂરિયાત છે.
દુનિયાભરમાં હાલ કોરોના વાયરસના પ્રતિદિન કુલ નવા કેસમાં 13 ટકાનો ઘટાડો જરૂર થયો છે. પણ આ આંકડા ઓછા અને પછી વધ્યા પણ છે. વિશ્વમાં કોરોના સંક્રમણના સત્તાવાર આંકડો 16 કરોડને પાર કરી ચુક્યો છે. આ મહામારીમાં અત્યાર સુધીમાં કુલ 35 લાખથી વધુ લોકોના મોત થયા છે. ડબલ્યુએચઓના કહેવા પ્રમાણે દુનિયામાં સૌથી વધુ કેસ અને મોતની સંખ્યામાં અમેરિકા સૌથી વધુ પ્રભાવિત દેશ બન્યો છે.
કોરોના સંક્રમણના કેસમાં ભારત બીજા સ્થાને રહ્યું છે. કોરોનાથી થયેલ મોતના કેસમાં અમેરિકા પછી બ્રાઝિલ બીજા નંબરે છે અને ભારત ત્રીજા નંબરે રહ્યું છે. ભારતમાં 3 લાખથી વધુ લોકો કોરોનામાં માર્યા ગયા છે. ડબલ્યુએચઓનું માનવું છે કે સત્તાવાર આંકડાની સામે જોઈએ કોરોના વાયરસથી ત્રણ ગણા વધુ મોત થયા છે.