ભારતનો પાકિસ્તાનને UNમાં જડબાતોડ જવાબ

by Investing A2Z

ફાઈલ તસવીર- સૌજન્યઃ યુએન ટ્વીટર

ભારતે ફરી એક વાર પાકિસ્તાનને તેમની હરકતો માટે આંતરાષ્ટ્રીય મંચ પર સાફ સાફ શબ્દોમાં સંભળાવી દીધું છે. સંયુક્ત રાષ્ટ્ર(યુનાઈટેડ નેશન UN)માં ભારતે પાકિસ્તાનને પોતાના દેશની અંદર વધારે ધ્યાન આપવાની જરૂર છે, અને તેમની આંતરિક બાબતોની સ્થિતિ જોવા માટે કહ્યું છે. શુક્રવારે પાકિસ્તાનના કાર્યવાહક વડાપ્રધાન અનવલ ઉલ હક કાકડે આ મંચ પર કશ્મીરનો રાગ આલાપ્યો હતો. તેમણે કહ્યું હતું કે શાંતિ સ્થાપવા માટે કશ્મીર ખૂબ જ મહત્વનું છે. આ નિવેદન પર ભારતે પાકિસ્તાનને ( India Pakistan ) આડે હાથ લીધું હતું. United Nations માં ભારતના પરમાનેંટ મિશન પ્રથમ સચિવ પેટલ ગહલોતે ભારત તરફથી જવાબ આપવાના અધિકારનો ઉપયોગ કરીને કહ્યું હતું કે પાકિસ્તાન આ મંચ પરનો દુરઉપયોગ કરવાની આદતનો શિકાર છે. ( United Nations )

ભારતે યુએનમાં કહ્યું હતું કે પાકિસ્તાન સતત ભારતની વિરુદ્ધમાં આધારહીન અન દુર્ભાવનાપૂર્ણ પ્રોપેગેન્ડા ફેલાવે છે. યુએનના સભ્ય દેશ અને સંગઠન જાણે છે કે પાકિસ્તાન આવું એટલા માટે કરે છે કે માનવાધિકારને પોતાની બોગસ રેકર્ડથી આંતરાષ્ટ્રીય જગતનું ધ્યાન ભટકાવી શકે. જમ્મુ કશ્મીર અને લદાખ એ ભારતના અભિન્ન અંગ છે. તેની સાથે જોડાયેલી બાબતો એ ભારતની બાબતો છે. પાકિસ્તાનને ભારતની આંતરિક બાબતો પર બોલવાનો કોઈ જ અધિકાર નથી.

ભારતની આંતરિક બાબતો પર પાકિસ્તાને ન બોલવું જોઈએ, તેની પહેલા પાકિસ્તાને તેમના દેશની અંદરની સ્થિતિ ઠીક કરવી જોઈએ. પાકિસ્તાનમાં માનવાધિકારની સ્થિતિને લઈને ભારતે કહ્યું હતું કે માનવાધિકારના મામલામાં પાકિસ્તાન દુનિયાનો સૌથી ખરાબ દેશોમાં એક છે. દુનિયાના સૌથી મોટો લોકતંત્ર પર આંગળી ઉઠાવવાની જગ્યાએ પાકિસ્તાને પોતાનું ઘર ઠીક કરવું જોઈએ.

ભારતે યુએનમાં કહ્યું હતું કે ઓગસ્ટમાં પાકિસ્તાનના ફૈસલાબાદ જિલ્લાના જલાનવાલામાં ઈસાઈઓના 19 ચર્ચો અને 89 ઘરોને સળગાવી નાંખવાની ઘટના બની હતી. આ સૌથી મોટુ ઉદાહરણ છે, કે જે દેશમાં અલ્પસંખ્યકો પર અત્યાચાર થઈ રહ્યો છે. અહમદિયાના ધાર્મિક સ્થળોને પણ તોડી નાંખવામાં આવ્યા હતા. હિન્દુ, શિખ અને ઈસાઈ અલ્પસંખ્યક સમુદાયની મહિલાઓ પર ભારે અત્યાચાર પાકિસ્તાનમાં થઈ રહ્યા છે. માનવાધિકાર પર પાકિસ્તાનના પોતાના અહેવાલમાં અલ્પસંખ્યક સમુદાયની 1000 મહિલાઓના અપહરણ, બળજબરીથી ધર્મ પરિવર્તન અને પરાણે લગ્ન કરાવ્યોનો ઉલ્લેખ છે.

પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તર પર જાહેર કરાયેલા આતંકવાદીઓ અને તેમના સંગઠનોના સૌથી મોટા શરણાગતિવાળું સ્થળ બન્યું છે. આ વાત કોઈનાથી છુપાયેલી નથી. અમારી માંગ છે કે મુંબઈ હૂમલાના ગુનેગારો પર પાકિસ્તાન મજબૂત કાર્યવાહી કરે છે. આ હૂમલાના પીડિતો 15 વર્ષથી ન્યાય માટે રાહ જોઈ રહ્યા છે. દક્ષિણ એશિયામાં શાંતિ માટે પાકિસ્તાને ત્રણ કામ કરવાન છે. તુરંત સરહદ પર આતંકવાદ બંધ કરે, આતંકી ઢાંચાને ખતમ કરે. બીજુ જે ભારતીય ક્ષેત્ર પર ગેરકાયદેસર કબજો કર્યો છે, તે ખાલી કરે. અને ત્રીજું પાકિસ્તાનમાં અલ્પસંખ્યકો પર અત્યાચાર બંધ કરે.

Related Posts

Leave a Comment