પંજાબના વડાપ્રધાનની સુરક્ષામાં ચૂંક ( PM’s security breach ) થઈ છે, તેની હાઈ લેવલ તપાસ થશે. સુપ્રીમ કોર્ટે સુરક્ષા ખામીઓની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટના રીટાયર્ડ જજની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવશે. કોર્ટે કહ્યું છે કે આ મામલામાં ઝડપથી આદેશ જાહેર કરશે. સાથે કોર્ટે કેન્દ્ર અને પંજાબ બન્નેને પોતાની પેનલ દ્વારા તપાસ અટકાવી દેવા કહ્યું છે, સાથે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે.
સીજેઆઈ એમ વી રમન્ના, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારને પુછ્યું છે કે કેન્દ્ર પહેલા કારણદર્શક નોટિસમાં બધુ જ જાણે છે તો કોર્ટમાં આવવાનો અર્થ શું છે? તમારી કારણદર્શક નોટિસ પુરી રીતે વિરોધાભાસી છે. સમિતિની રચના કરીને તમે પૂછપરછ કરવા માંગો છો કે SPG અધિનિયમનું ઉલ્લંઘન થયું છે? આપ રાજ્યના મુખ્ય સચિવ અને DG ને દોષી માની રહ્યા છો? કોણે તેમને દોષી ઠરાવ્યા છે? તેમને કોણે સાંભળ્યા?
કોર્ટે કહ્યું છે કે જ્યારે તમે નોટિસ જાહેર કરી ત્યારે અમારા આદેશ પહેલા હતી. તેના પછી અમે અમારો આદેશ આપ્યો છે. તમે તેમને 24 કલાકમાં જવાબ આપવાનું કહી રહ્યા છો, તે આપની પાસે અપેક્ષિત નથી. આપ તો પુરુપુરુ મનમાં નક્કી કરીને આવ્યો છો. તમારી દલીલો બતાવે છે કે તમે પહેલીથી બધુ નક્કી કરીને આવ્યા છો. તો પછી કોર્ટમાં શા માટે આવ્યા છો. તમારી નોટિસમાં વિરોધાભાસ છે. કારણ કે અમે બધાને કોઈપણ એક્શન લેવાની ના પાડી હતી. એક તરફ એસએસપીને નોટિસ મોકલી રહ્યા છો અને અહીંયા તેને દોષી બતાવી રહ્યા છો. આ શું છે? તપાસ પછી ખબર પડે કે તમારી વાત સાચી હોય. પણ અત્યારે આપ કેવી રીતે કહી શકો છો? જ્યારે આપ અનુશાસનાત્મક અને દંડાત્મક કાર્યવાહીની શરૂઆત કરી ચુક્યા છો, તો હવે આપ અમારી પાસેથી કેવો આદેશ કરાવા માંગો છો?
પંજાબ સરકારનું કહેવું છે કે કેન્દ્ર સરકાર તરફથી અમને નિષ્પક્ષ સુનાવણીની તક પ્રાપ્ત થઈ નથી. સાથે એમ પણ કહ્યું છે કે જો ઓફિસર દોષી નિકળે તો તેને ટીંગાળી દેવાશે. પંજાબ સરકારના વકીલ ડી એસ પટવાલિયાએ આ મામલાની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે જો સુપ્રીમ કોર્ટે ઈચ્છે તો આ મામલાની તપાસ અલગથી કમિટિની રચના કરીને કરાવી શકે છે. અમે આ કમિટીને સહયોગ કરીશું. પણ અમારી સરકાર અને અમારા અધિકારીઓ પર અત્યારે આરોપ લગાવવામાં ન આવે.
પંજાબ સરકારે કહ્યું છે કે રાજ્યના અધિકારીઓને સાત કારણદર્શક નોટિસ જાહેર કરીને કહ્યું છે કે તેમની વિરુદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી કેમ ન કરી શકાય? ફરિયાદ કરનારે અમારી સમિતિ સામે સવાલ ઉઠાવ્યા છે. પણ અમે કેન્દ્રીય એજન્સીની સામે નિષ્પક્ષ સુનાવણી પણ મળી નથી. એસએસપીને 7 કારણદર્શક નોટિસ ઈસ્યૂ કરી છે, કે તેમની સામે કાર્યવાહી કેમ કરી શકાય? આમાં સુનાવણીનો મોકો આપવામાં આવ્યો નથી. અમે કેન્દ્ર સરકારની સમિતિથી ન્યાય નહી મળે. કેન્દ્ર સરકાર દ્વારા નિષ્પક્ષ સુનાવણી નહી થાય. મહેરબાની કરીને એક સ્વતંત્ર સમિતિની નિમણૂંક થાય અને અમને નિષ્પક્ષ સુનાવણીની તક આપવામાં આવે.
તેના પર એસજી તુષાર મહેતાએ કહ્યું કે આ નોટિસ કોર્ટના આદેશ પહેલા ઈસ્યૂ કરવામાં આવી હતી. રાજ્ય સરકારના મનમાં શંકાઓ ભરેલી છે. આ વાતમાં કોઈ શક નથી કે આ પુરી પ્રક્રિયાના પાલનમાં ગરબડ થઈ છે. તેના પર કોઈ વિવાદ નથી થયો. આ તથ્યો અસ્વીકાર ન કરી શકાય કે સુરક્ષામાં ચૂંક થઈ છે અને લાપરવાહી પણ થઈ છે. બ્લૂબુકમાં સાફ છે કે સુરક્ષાની વ્યવસ્થા રાજ્યના પોલીસ મહાનિર્દેશકની દેખરેખમાં સ્થાનિક પોલીસ કરે છે. તેમાં ઈન્ટેલિજન્સ ડાયરેક્ટર અને સીઆઈડી સહિત કેટલાય વિભાગોના ઈનપુટનું યોગદાન હોય છે.
સાથે એમ પણ કહેવાયું છે કે પુરી રીતે ખાનગી જાણકારી વિફળ રહી હતી. પંજાબ પોલીસના ડીજીએ પીએમના કાફલાને સ્પષ્ટ સુચના આપી હતી. એસપીજી એક્ટનું સ્પષ્ટ ઉલ્લંઘન થયું છે. પોલીસ અધિકારી જવાબદાર છે. આ વાત ખૂબ જ ગંભીર છે કે રાજ્ય તેમનો બચાવ કરી રહી છે. તેને લઈને જ કેન્દ્રીય કમિટિ બનાવવી પડી હતી. પંજાબના જવાબદાર અધિકારીઓ સામે એકશન લેવામાં કોઈ ખચકાટ નથી. વીવીઆઈપીની સુરક્ષામાં થોડી પણ ભૂલ ગંભીર થઈ શકે છે. રાજ્ય સરકાર તેમના લાપરવાહ અધિકારીઓને બચાવી રહી છે. તે અધિકારી કોર્ટની સામે હજી સુધી આવ્યા નથી. રાજ્ય સરકાર તેમની લાપરવાહી સામે પડદો ઠાંકી રહી છે.
જસ્ટિસ સૂર્યકાંતે કેન્દ્ર સરકારને પુછ્યું છે કે ડીજી અન મુખ્ય સચિવ અમારી સામે પાર્ટી છે. અમે તેની તપાસ કરીશું કે ચૂંક થવામાં કોણ જવાબદાર છે? રાજ્ય અને ફરિયાદ કરનાર નિષ્પક્ષ તપાસ ચાહે છે અને આપ નિષ્પક્ષ સુનાવણીની વિરુદ્ધમાં હોઈ શકો છો. તો આ પ્રશાસનિક અને ફેક્ટ ફાઈટિંગ તપાસ તમારા દ્વારા જ કેમ?
આની પર તુષાર મહેતાએ કહ્યું હતું કે કારણ દર્શક નોટિસનો મુળ બ્લૂ બુક છે, જે કહે છે કે જવાબદારી પોલીસ અધિકારીઓની હતી, નાકાબંધી અંગે પહેલાથી કહેવામાં આવ્યું ન હતું. ડીજીએ નિયમોનું પાલન કરવું જોઈએ. નિયમોને લઈને કોઈ વિવાદ નથી.