ઉત્તરપ્રદેશના કાનપુર જિલ્લાના બિકરુ ગામમાં આઠ પોલીસકર્મીની હત્યા કરનારો અને પાંચ લાખ રૂપિયાનું ઈનામ જાહેર થયું હતું કે કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબેનું શુક્રવારે સવારે પોલીસ સાથેની અથડામણમાં મોત થયું હતું. વિકાસ દુબેએ સરન્ડર કર્યું હતું, તેવા સમાચાર હતા, બીજી તરફ એમ કહેવાઈ રહ્યું છે કે તેની ઘરપકડ કરાઈ હતી. હવે જો તેણે સરન્ડર જ કર્યું હોય તો તે ભાગવાની કોશિશ શા માટે કરે? અને જો પોલીસે તેની ઘરપકડ કરી હોય તો શા માટે તેને હાથકડી નહોતી પહેરાવી? શા માટે તેને રોડ માર્ગે અને તે પણ કારમાં લઈ ગયા? આટલો મોટો ગેંગસ્ટર પોલીસને તો ખબર જ હતી ને? પોલીસે ભલે એન્કાઉન્ટર કર્યું હોય પણ તે તેનું પ્લાન્ટ કરવામાં નિષ્ફળ ગઈ છે. એસટીએફથી એન્કાઉન્ટરનો પ્લાન ઘડવામાં થાપ ખાઈ ગયા છે. જે હોય તે પણ આપણે અહીંયા વિકાસ દુબેના એન્કાઉન્ટર કે હત્યાનો પ્લાન હતો કે પછી વિકાસ દુબે જીવે અને કોર્ટ સમક્ષ જુબાની આપે તો કેટલાક નેતાઓની કેરિયર સમાપ્ત થઈ જાય તેમ હતું.?
કાનપુર પશ્ચિમના એસપી અનિલ કુમારનું કહેવું છે કે વિકાસ દુબેને જ્યારે કાનપુર લવાઈ રહ્યો હતો, ત્યારે ભારે વરસાદ હતો, અને કારની સ્પીડ પણ હતી, જેથી કાર પલટી ખાઈ ગઈ, કાનપુરથી બે કિલોમીટર પહેલા આ ઘટના ઘટી હતી. તેમાં જે પોલીસકર્મી ઘાયલ થયા હતા, તેમની પિસ્તોલ છીનવીને વિકાસ દુબેએ ભાગવાની કોશિશ કરી હતી. પોલીસે તેને ચારેતરફથી ઘેરી લીધો હતો, અને તેને આત્મસમર્પણ કરવા કહ્યું, પણ તેને સામે ફાયરિંગ કર્યું. આત્મસુરક્ષામાં પોલીસના ફાયરિંગ કર્યું હતું. ક્રોસ ફાયરિંગમાં વિકાસ દુબેનું મોત થયું હતું. આઈજી કાનપુર રેન્જે જણાવ્યું હતું કે પોલીસ સાથેની અથડામણમાં 2 ઈન્સ્પેક્ટર સહિત 4 પોલીસકર્મી ઘાયલ થયા હતા.
- 9 જુલાઈને ગુરુવારના રોજ સવારે 9.30 વાગ્યે વિકાસ દુબેની મધ્યપ્રદેશ પોલીસે ઉજ્જૈનના મહાકાલ મંદિરમાંથી ઘરપકડ કરી હતી, જો કે કેટલાક મીડિયાએ દાવો કર્યો હતો કે વિકાસે સરન્ડર કર્યું હતું. જાણકારી મુજ વિકાસને મંદિરના ગાર્ડે ઓળખી લીધો હતો, જે પછી તેણે પોલીસને તેની સૂચના આપી હતી અને વિકાસની ઘરપકડ કરવામાં આવી હતી.
- વિકાસની ઘરપકડ કરાયા પછી તેને મહાકાલ પોલીસ સ્ટેશન લઈ જવાયો. જ્યાં તેની સતત 8 કલાક પુછપરછ કરાઈ, રીપોર્ટ અનુસાર વિકાસની પુછપરછ દરમિયાન ગુનાની કબુલાત કરી હતી. વિકાસે કબુલ્યું હતું કે તેણે શુટઆઉટમાં માર્યા ગયેલા સીઓ દેવેન્દ્ર મિશ્રાને તે નફરત કરતો હતો. તેણે વધુમાં કબુલ્યું હતું કે દેવેન્દ્ર મિશ્રાની તમામ ગતિવિધિની જાણકારી પોલીસના લોકો દ્વારા મળતી હતી.
- ઉજ્જૈનમાં વિકાસ દુબે પર કોઈ જ કેસ ન હોવાને કારણે અને કાનપુર એસએસપીના આગ્રહથી તેણે સાંજે યુપી પોલીસની એસટીએફની ટીમને હવાલે કર્યો હતો. જે ટીમ સાંજે પહોંચી હતી.
- કાનપુરમાં યુપી પોલીસે ગુરુવાર રાતે તેની પત્ની રિચા અને તેના દીકરાને પણ અટકાયતમાં લેવામાં આવ્યા હતા. પોલીસે તેની પત્ની રિચાની મોડીરાત સુધી પુછપરછ કરી હતી.
- એસટીએફની ટીમ એક મોટા કાફલા સાથે વિકાસને રોડ માર્ગેથી લઈને ઉજ્જૈનથી કાનપુર લઈને રવાના થયા હતા
- 10 જુલાઈને શુક્રવારે સવારે સાડા છ વાગ્યે વિકાસ દુબેને લઈને આવી રહેલી એસટીએફની ટીમે કાનપુર સીમામાં પ્રવેશ કર્યો હતો, જાણકારી અનુસાર તેને કોઈ અજ્ઞાત જગ્યાએ લઈ જઈને તેની પુછપરછ કરવાની હતી. અને પછી તેને 10 વાગ્યે કોર્ટે સમક્ષ રજૂ કરવાનો હતો.
- કાનપુરથી 2 કિલોમીટર પહેલા વિકાસ દુબેને લઈને આવી રહેલી એસટીએફની ગાડી પલટી ગઈ, જાણકારી અનુસાર ભારે વરસાદને કારણે સવારે 7.25 આસપાસ એસટીએફની ગાડી પલટી ગઈ હતી.
- તેનો ફાયદો ઉઠાવીને વિકાસ હથિયાર છીનવીને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે પોલીસે તેને ગોળી મારી દીધી હતી.
- ઘાયલ અવસ્થામાં તેને હોસ્પિટલ લવાયો હતો, જ્યા અંદાજે 7.45 વાગ્યે કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબેનું મોત થયું હતું.
પોલીસે સત્તાવાર રીતે જણાવ્યું હતું, કે જે ગાડીમાં વિકાસ દુબે બેઠો હતો તેની સામે ભેંસોનું એક ટોળું આવ્યું હતું. જેનાથી ડ્રાઈવરે બચવા માટે ગાડીને વાળી હતી, ત્યારે તે નિયંત્રણ ખોઈ બેઠી અને પલટી ગઈ હતી. આ દરમિયાન પોલીસકર્મી થાકેલા હતા. વિકાસે મોકો જોઈને પોલીસકર્મી પાસેથી હથિયાર છીનવીને ભાગવાની કોશિશ કરી, તેને રોકવા માટે પોલીસ પર ગોળી ચલાવી હતી. તેનાથી બચવા માટે પોલીસે ક્રોસ ફાયરિંગ કર્યું અને તેમાં વિકાસ માર્યો ગયો હતો.
વિકાસ દુબેના એન્કાઉન્ટર પહેલા તેની ઉજ્જૈનમાં પુછપરછ કરાઈ હતી, જેમાં વિકાસે કેટલાય અતિમહત્વના ખુલાસા કર્યા હતા. એસટીએફની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે વિકાસ દુબેએ તેની આવાસીય યોજનામાં કેટલાય પોલીસવાળાઓને સસ્તા ભાવમાં પ્લોટ આપ્યા હતા. તેમજ કેટલાક પોલીસકર્મીને તે દર મહિને અમુક રકમ પહોંચાડતો હતો. ઉજ્જૈનના એક દારૂના વેપારીની મદદથી તેણે સરન્ડર કર્યું હોવાનું કહેવાઈ રહ્યું છે. આ દારૂના વેપારીને સારા એવા રાજનૈતિક સંબધો છે. વિકાસ દુબે ત્રણ વખત નોઈડાથી દિલ્હી અને ફરીદાબાદ ગયો હતો, તેમછતાં યુપી પોલીસને તેની ભનક પણ આવવાની દીધી ન હતી.
યુપી પોલીસે હાઈએલર્ટ જાહેર કર્યું હતું. તેમ છતાં તેની કારનું કોઈ ચેકિંગ થયું ન હતું. 7 જુલાઈએ તેના ફરીદાબાદ ગયો તે વખતાં વિડીયો ફુટેજ વાયરલ થયા પછી તેને એમ લાગ્યું કે પકડાઈ જશે. ત્યારે તે નોઈડા ગયો હતો અને એક વકીલ સાથે મુલાકાત કરી હતી. વકીલે તેને કોર્ટમાં સરન્ડર કરવાની અરજી કરવા માટે રૂપિયા 50,000 માગ્યા હતા. પણ તેની પાસે રોકડ રકમ નહોતી. તેટલા માટે તેણે તેના ઓળખીતાને ફોન કરીને ઑનલાઈન ફીની ચુકવણી કરવા કહ્યું હતું, ત્યાર પછી તે નોઈડાથી ફરીદાબાદ આવી ગયો હતો. ત્યાર પછી નોઈડાનો એક વિડીયો ફૂટેજ વાયરલ થયો હતો. તમામ જગ્યાએ નાકાબંધી હતી, તેમ છતાં પોલીસ તેને પકડી શકી ન હતી.
હવે અતિમહત્વના સવાલ એ છે કે વિકાસ દુબેએ સરન્ડર કર્યું હતું તો પછી ભાગવાની કોશિશ કેમ કરી? આટલો મોટો ગેંગસ્ટર હતો તો પછી તેને હાથકડી કેમ નહોતી પહેરાવી? વિકાસ દુબેને પોલીસ રોડ માર્ગે તેમ લઈ ગઈ? પોલીસવાનનો ઉપયોગ કેમ ન કરાયો? મધ્યપ્રદેશની પોલીસ સત્તાવાર રીતે ઘરપકડ બતાવી નહી અને કોર્ટ સમક્ષ રજૂ કર્યો નથી? ખરેખર તો આરોપીને ટ્રાન્સીટ રીમાન્ડ મળે પછી જ બીજા સ્ટેટમાં લઈ જવાય છે. વિકાસના કેસમાં આવું કેમ ન થયું? વિકાસ દુબે ઘણું બધુ જાણતો હતો, તેના પર કોના ચાર હાથ હતા, તેના ગુનામાં તેને કોણ છાવરતું હતું, કોણ સોપારી આપતું હતું. આવી બધી ઘણી મહત્વની કડી પોલીસે એન્કાઉન્ટર કરીને તોડી નાંખી છે. જો હોય તે પણ વિકાસ દુબે જીવતો રહ્યો હોત તો રાજકારણ અને પોલીસ બેડામાં નવાજુની થઈ હોત, તેમાં કોઈ શંકા નથી. ઘણા બધા રાઝ બહાર આવ્યા હોત.
વિકાસ દુબેનું મોત થયું તેનાથી કોઈએ દુખી થવાની કે કાગારોળ મચાવવાની જરૂર નથી, તેણે 8 પોલીસની હત્યા કરી હતી, 8 પોલીસના પરિવારનો કમાનારો જતો રહ્યો છે. કોઈનો પતિ, કોઈના પિતા, કોઈનો લાડકો દીકરો હશે? એટલે કે ગંભીર ગુનો તેના માથે હતો, તેને સજા તો થવી જ જોઈએ. કોર્ટ સજા કરે તે પહેલા પોલીસે ઈન્સ્ટન્ટ સજા આપી દીધી છે.