ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરની તમામ માહિતી આપી, પાકિસ્તાન યુદ્ધ વિરામ તોડશે તો પુરી તાકાતથી જવાબ આપીશું

by Investing A2Z

નવી દિલ્હી- ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર તંગદિલી (India Pakistan War 2025) ઓછી કરવા માટે એક અતિમહત્વપૂર્ણ યુદ્ધ વિરામ (India Pakistan Ceasefire) સમજૂતી પર સહમતી બની ગઈ છે. આ સમજૂતીની પહેલ પાકિસ્તાન તરફથી કરાઈ હતી, જેમાં ભારતે તેની શરતોની સાથે સ્વીકાર કર્યો છે. આ સહમતી બન્ને દેશોના ડાયરેક્ટર જનરલ ઓફ મિલીટ્રી ઓપરેશન (DGMO INDIA) સ્તર પર થઈ છે. ભારતીય સેના દ્વારા આજે આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરીને ઓપરેશન સિંદૂરની (Operation Sindoor) તમામ માહિતી શેર કરી છે.

DGMO એ કહ્યું હતું કે ભારતીય સેનાએ 9 આતંકી કેમ્પને ઉડાવ્યા હતા અને 100 આતંકીઓના મોત થયા છે. તેમજ પાકિસ્તાનના 35-40 જવાનોના મોત થયા છે.

ભારતના DGMO લેફટન્ટ જનરલ રાજીવ ઘઈએ જણાવ્યું હતું કે અમે આતંકી ઠેકાણાની ઓળખ કરી હતી. પણ કેટલાય આતંકી ઠેકાણા ડરને કારણે ખાલી થઈ ગયા હતા. ત્યાર પછી ભારતે ખૂબ વિચાર અને સમજીને ટાર્ગેટ નક્કી કર્યા હતા. સેનાએ આતંકી હૂમલાનો જવાબ આપ્યો હતો. ભારતીય સેનાએ નવ આતંકી સ્થળોને તબાહ કરી નાંખ્યા છે. તેમણે કહ્યું હતું કે 100થી વધુ આતંકી એરસ્ટ્રાઈકમાં માર્યા ગયા હતા. જેમાં હાઈ વેલ્યૂ ટાર્ગેટ પણ હતો. અમે ત્રણ મોટા આતંકવાદીઓને ખતમ કરી નાંખ્યા છે. જેમાં મુદસ્સર ખાસ, હાફિઝ જમીલ અને યુસુફ અઝહર સામેલ છે. જેઓ આઈસી814ના અપહરણ અને પુલવામા વિસ્ફોટમાં સામેલ હતા. જે આઈસી814ના અપહરણ અને પુલવામા વિસ્ફોટમાં સામેલ હતા.

વધુમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન દ્વારા નિયંત્રણ રેખાનું પણ ઉલ્લંઘન કર્યું હતું અને અમારા દુશ્મનની અનિશ્તિત અને ગભરાટમાં પ્રતિક્રિયામાં નાગરિકો, વસ્તીવાળા ગામડા અને ગુરુદ્વારા જેવા ધાર્મિક સ્થળો પર ગોળીબાર કર્યા હતા. જેમાં કેટલાક નાગરિકોના દુઃખદ મોત થયા છે.

લેફટન્ટ જનરલ રાજીવ ઘઈએ કહ્યું હતું કે ઓપરેશન સિંદૂરનો હેતુ સ્પષ્ટ હતો કે આતંકવાદીઓ અને તેમના યોજનાકારોને સજા આપવાનો હતો. અને તેમના આતંકી નેટવર્કને ખતમ કરવાનો હતો.

ડીજી એર ઓપરેશન એર માર્શલ એ કે ભારતીએ માહિતી આપતાં કહ્યું હતું કે આતંકી અડ્ડાઓ પર એરસ્ટ્રાઈકમાં એર ટૂ સર્ફેસ ગાઈડેડ એમ્યુનિશનનો ઉપયોગ કરાયો હતો. જેથી કોલેટરલ ડેમેજ ન થઈ શકે. એર ફોર્સે મુરીદકે અને બહાવલપુરમાં આતંકી ટ્રેનિંગ કેમ્પને સટીક નિશાન બનાવ્યું હતું. સ્ટ્રાઈકનો હેતુ એચીવ થયો હતો. બહાવલપુરમાં હાઈ વેલ્યૂ ટાર્ગેટ હતો અને અમે પ્રિસિઝન સ્ટ્રાઈક કરી હતી.

DGMO એ જણાવ્યું હતું કે આપણે જ્યારે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું ત્યારે પાકિસ્તાન સેનાએ ભારતીય સેના અન ભારતીય સશસ્ત્ર દળોના સ્થળોને ટાર્ગેટ કર્યા હતા. આપણા તમામ પાયલોટ સુરક્ષિત પાછા આવી ગયા છે. પણ ઓપરેશન સિંદૂરમાં આપણા 5 જવાન શહીદ થયા છે. તેમજ ત્રણ દિવસ યુદ્ધ ચાલ્યું છે તે યુદ્ધથી કાંઈ ઓછું નથી.

ડીજીએમઓ લેફટન્ટ જનરલ રાજીવ ઘઈએ કહ્યું કે મારી પાકિસ્તાનના ડીજીએમઓ સાથે કાલે શનિવાર 10 મેના રોજ બપોરે 3.35 કલાકે સંપર્ક થયો હતો. જેના પરિણામ સ્વરૂપ 10 મે, 2025ની સાંજે પાંચ વાગ્યે બન્ને દેશો વચ્ચે સીઝફાયર થયું હતું. જેને પાકિસ્તાનના ડીજીએમઓ દ્વારા પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. અમે 12 મે, 2025ના રોજ બપોરે 12 વાગ્યે ફરીથી વાતચીત કરવાનો નિર્ણય લીધો હતો.

યુદ્ધ વિરામના ત્રણ કલાક પછી પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામનો ભંગ કરાયો હતો. તેમણે સરહદ પર ફાયરિંગ અને ડ્રોન ઉડાડ્યા હતા. જો કે ભારતીય સેનાએ તુરંત જ તેનો આક્રમક જવાબ આપ્યો હતો. હવે પાકિસ્તાન યુદ્ધ વિરામનો ભંગ કરશે તો ભારતીય સેના તેનો કડક જવાબ આપશે અને અમને પણ તેનો નિર્દેશ મળ્યો છે.

વાયુસેનાના ડાયરેક્ટર જનરલ એર ઓપરેશન એર માર્શલ અવધેશ કુમાર ભારતીએ જણાવ્યું હતું કે 8 મેના રોજ ભારતીય વાયુસેનાએ લાહોર સ્થિત પાકિસ્તાની રડાર સાઈટ્સને નિશાન બનાવ્યું હતું. આ કાર્યવાહી અમારી તરફથી એક જોરદાર જવાબના રૂપમાં હતી. ત્યાર પછી પાકિસ્તાન દ્વારા ડ્રોન હૂમલા ચાલુ કર્યા હતા. અને ભારતીય એરબેઝને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ ભારતની એર ડિફેન્સ સીસ્ટમ પહેલેથી જ તૈયાર હતા અને તેમના તમામ હૂમલાને નષ્ટ કરી દેવાયા હતા.

ડીજીએમઓ એ કહ્યું હતું કે પાકિસ્તાનના તમામ હૂમલાને આપણે નિષ્ફળ બનાવ્યા છે. આ સાથે ભારતીય સેનાએ આતંકી કેમ્પની તસવીરો રજૂ કરી હતી, જેમાં પહેલા કેવા હતા, અને ટાર્ગેટ પછી કેવા દેખાય છે. આ બન્ને તસવીરો બતાવી હતી. તેમજ પાકિસ્તાનના 11 એર સ્પેસ તોડ્યા તેની પણ તસવીરો રજૂ કરી હતી.

Related Posts

Leave a Comment