નવી દિલ્હી– ભારત પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ વધુ વકરતું જઈ રહ્યું છે. (India Pakistan War) 8 મેની રાત્રે અને 9 મેના દિવસ દરમિયાન ભારત પાકિસ્તાન વચ્ચે હૂમલાઓ ચાલુ જ રહ્યા હતા. આ અંગેની સત્તાવાર માહિતી વિદેશ મંત્રાલયે (Ministry of External Affairs, India) પ્રેસ બ્રીફિંગમાં આપી હતી. વિદેશ સચિવ વિક્રમ મિસરી (Foreign Secretary Vikram Misri), કર્નલ સોફિયા કુરેશી (Colonel Sophia Qureshi) અને વીંગ કમાન્ડર વ્યોમિકસિંહે (Wing Commander Vyomika Singh) તમામ માહિતી શેર કરી હતી. નાગરિકોના વિમાનને ઢાલ બનાવીને પાકિસ્તાન કાયરતાપૂર્ણ કાર્ય કરી રહ્યું છે, તેની પોલ ખોલી નાંખવામાં આવી હતી.
વિદેશ મંત્રાલય દ્વારા ભારત પાકિસ્તાન યુદ્ધ (Operation Sindoor) અંગેનું સત્તાવાર બ્રીફિંગ કરાયું, જેમાં અનેક ચોંકાવનારા સમાચાર જણાવ્યા હતા. પાકિસ્તાને 8 મેના રોજ ભારતના સુરક્ષાના સ્થળોની જાણકારી મેળવવાના હેતુથી ભારત પર મિસાઈલ ફેંકી અને ડ્રોન ઉડાડ્યા હતા. આ હૂમલામાં પાકિસ્તાને તુર્કીના ડ્રોનનો ઉપયોગ કર્યો હતો.
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે 8 મેના રોડ ભારતના શહેરો પર પાકિસ્તાની સેનાએ સંભવતઃ તુર્કી નિર્મિત ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. ડ્રોનના કાટમાળની ફોરેન્સિક તપાસ કરતાં માલુમ પડ્યુ હતું કે આ ડ્રોન તુર્કીના હતા. જેને સામાન્ય રીતે જાસુસી અને સટીક હૂમલો કરવા માટે ઉપયોગ કરાય છે.
વિંગ કમાન્ડર વ્યોમિકાસિંહે કહ્યું હતું કે 8 અને 9 મેના રોજ પાકિસ્તાનની સેનાએ પુરા પશ્ચિમી સરહદના વિસ્તારોમાં ભારતીય હવાઈ ક્ષેત્રનું અનેક વાર ઉલ્લંઘન કર્યું હતું. જેનો ઈરાદો સૈન્યના ઠેકાણા પર નિશાન બનાવી શકે. તેમણે એમ જણાવ્યું હતું કે પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા (LOC) પર ભારે કૈલિબર હથિયારોથી ફાયરિંગ કર્યું હતું.
સરહદમાં ખૂબ મોટા પ્રમાણમાં ડ્રોનથી એટેક કરવાનો પ્રયાસ કરાયો હતો. આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખા પર લેહથી લઈને સિર ક્રીક સુધી 36 સ્થળો પર અંદાજે 300-400 ડ્રોન ઉડાડ્યા હતા.
સરકારનું કહેવું છે કે આ હૂમલાનો ઉદ્દેશ્ય ભારતીય એર ડિફેન્સ સીસ્ટમની ક્ષમતાની તપાસ કરવાનો હતો, અને જાસુસી કરીને જાણકારી એકત્ર કરવાનો હતો. પાકિસ્તાન તરફથી આવેલા ડ્રોન ભારતના લોકોમાં ગભરાટ ફેલાવાનો પણ હોઈ શકે છે.
વ્યોમિકાસિંહે કહ્યું હતું કે એક વખત તો સ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે પાકિસ્તાનનું એક સશસ્ત્ર ડ્રોન બંઠિંડાના સૈન્ય સ્ટેશનને નિશાન બતાવવાની કોશિશ કરી રહ્યું હતું. પણ તે વખતે તેને ઓળખીને નષ્ટ કરી દેવાયું હતું.
ભારતે પાકિસ્તાનના તમામ હૂમલાનો આકરો જવાબ આપ્યો હતો. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે પાકિસ્તાની હૂમલાના જવાબમાં ભારત તરફથી ચાર પાકિસ્તાની એર ડિફેન્સ સીસ્ટમની સાઈટ્સ પર સશસ્ત્ર ડ્રોન મોકલ્યા હતા, જેમાં એક ડ્રોને એર એર ડિફેન્સ રડારને નષ્ટ કરી દેવાઈ હતી.
કર્નલ સોફિયા કુરેશીએ પાકિસ્તાનની પોલ ખોલતો એક ફોટો દેખાડ્યો હતો. અને કહ્યું કે પાકિસ્તાનના હૂમલા દરમિયાન નાગરિક વિમાનને ઢાલના રૂપમાં ઉપયોગ કરીને શરમજનક રીતથી કોશિશ કરી હતી. પાકિસ્તાને હવાઈ ક્ષેત્ર બંધ કર્યું છે. પણ તેને તે ઢાલ બનાવીને ઉપયોગ કરી રહ્યું છે. જ્યારે આ હૂમલો થયો ત્યારે કરાચી અને લાહૈર જેવા મોટા શહેરોમાં પેસેન્જર પ્લેન ઉડાન ભરી રહ્યા હતા. ત્યારે આમ નાગરિકોના જીવ જોખમમાં નાખ્યા હતા. તે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ સહિત તમામ ઉડાનોમાં ટ્રાવેલ કરનારા નાગરિકો માટે ખતરનાક હતું. ભારતીય સુરક્ષા દળોએ પુરી કાર્યવાહી દરમિયાન સંયમ દાખવ્યો હતો. અને જવાબી હૂમલા સીમિત કરી નાંખ્યા હતા. જેથી આમ નાગરિકોને કોઈ નુકસાન ન થાય. આ રક્ષણાત્મક અને સંવેદનશીલ રૂખની આંતરરાષ્ટ્રીય સ્તર પર વખાણ થઈ રહ્યા છે. ભારતે પાકિસ્તાનને ચેતવણી આપી કહ્યું કે આવી કાયરતાપૂર્ણ કાર્યનો અમે આકરો જવાબ આપીશું.
કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું કે પાકિસ્તાને એલઓસી પર ભારે ગોળીબાર કર્યો હતો અને ઘુસવાની કોશિશ કરી હતી. તંગધાર, ઉરી અને ઉધમપુરમાં ભારે ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાનની ગોળીબારીથી નુકસાન થયું છે. તેમણે તસવીર બતાવીને જણાવ્યું કે ભારતીય વાયુ સેનાએ ખૂબ જ સંયમ બતાવ્યો છે. પાકિસ્તાને ભારતમાં 36 સ્થાનો ને નિશાન બનાવ્યા હતા.
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે પાકિસ્તાને ભારતની વિરુદ્ધ ઉશ્કેરવાની સૈન્ય કાર્યવાહી કરી હતી અને કંધાર, ઉરી, પુંછ, રાજૌરી, અખનૂર અને ઉધમપુરમાં એલઓસી પર ગોળીબાર કર્યો હતો. તેને કારણે ભારતીય સુરક્ષાદળોને કેટલુંક નુકસાન થયું છે અને ઘાયલ પણ થયા છે. પણ ભારત તરફથી જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાને ખૂબ મોટું નુકસાન થયું છે.