ભારત માટે 5 ઓગસ્ટ ખાસ

by Investing A2Z

જે 5 ઓગસ્ટ ભારત માટે ખાસ બની ગઈ છે. છેલ્લા ત્રણ વર્ષથી ભારતમાં 5 ઓગસ્ટે કંઈક ખાસ બને છે, જે ભારત માટે ગૌરવલક્ષી ક્ષણ બની જાય છે.

અયોધ્યામાં રામ મંદિર ભૂમિ પૂજનની પહેલી વર્ષગાંઠ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતગર્ત લાભાર્થિઓને અનાજ વહેંચ્યું હતું. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફ્રન્સિંગ દ્વારા અનાજ મેળવનારાઓ સાથે વાતચીત કરી હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે પાંચ ઓગસ્ટનો દિવસ ખૂબ ખાસ થઈ ગયો છે. આ દિવસે બે વર્ષ પહેલા જમ્મુ કશ્મીરમાંથી કલમ 370 દૂર કરાઈ હતી, અને વીતેલા વર્ષે રામ મંદિર ભૂમિ પૂજન થયું હતું અને આજે ઓલિમ્પિકમાં ભારતીય હોકીએ 41 વર્ષ બાદ મેડલ જીત્યો છે.

પીએમ મોદીએ હોકીના બહાને વિપક્ષ પર નિશાન તાક્યું હતું. પીએમ મોદીએ કહ્યું હતું કે કેટલાક રાજનીતિક સ્વાર્થ માટે સેલ્ફ ગોલ કરવામાં જોડાયા છે. પીએમ મોદીએ લાભાર્થીઓ સાથે વાત કરતાં કહ્યું હતું કે આજે 5 ઓગસ્ટ ભારત માટે ખૂબ જ વિશેષ બની ગઈ છે. આ પાંચ ઓગસ્ટ જ છે, જે દિવસે બે વર્ષ પહેલા જમ્મુ કશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવાઈ હતી. જમ્મુ કશ્મીરના દરેક નાગરિકોને દરેક અધિકાર, દરેક સુવિધાના ભાગીદાર બનાવ્યા હતા.

નરેન્દ્ર મોદીએ આગળ કહ્યું હતું કે આ પાંચ ઓગસ્ટના જ દિવસે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે પહેલું પગલું માંડ્યું હતું. આજે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ ખૂબ ઝડપથી થઈ રહ્યું છે. આજે એ જ પાંચ ઓગસ્ટ છે, કે ઓલિમ્પિકના મેદાનમાં દેશના યુવા હોકીના ખેલાડીઓએ પોતાનું ગૌરવ ફરીથી સ્થાપિત કર્યું છે અને મોડી છલાંગ લગાવી છે. આ નવું ભારત છે, પદ નહી પદક જીતીને ભારત દુનિયા પર છવાઈ રહ્યું છે. નવા ભારતમાં આગળ વધવા માટેનો માર્ગ પરિવાર નહી પણ પરિશ્રમથી નક્કી થાય છે.

આજે 5 ઓગસ્ટ, 2021ના શુભ દિવસે 41 વર્ષ પછી ભારતે ઓલિમ્પિકના મેદાન પર મેડલ જીત્યો છે. ટોકિયોમાં બ્રોન્ઝ મેડલ જીત માટે મજબૂત જર્મનીને ટક્કર આપી હતી. ભારતીય હોકી ટીમમા સ્ટાર ગોલકીપર પીઆર શ્રીજેશ આ જીતના હીરો રહ્યા હતા. 5-4થી ભારત આ હોકી મેચ જીતી ગયું હતું, ત્યારે હિન્દુસ્તાન બોલી ઉઠ્યું હતું કે ‘ચક દે ઈન્ડિયા’

બીજા મહત્વના સમાચાર મળી રહ્યા છે કે ટોકિયો ઓલિમ્પિકમા 57 કિલોગ્રામ ફ્રી સ્ટાઈલ રેસલિંગમાં રવિ દહિયાએ સિલ્વર મેડલ જીત્યો છે. રશિયા સામે ભારતનો પરાજય થયો છે, આથી ભારત આજે સિલ્વર મેડલ જીત્યો છે.

ભારતીય પુરુષ હોકી ટીમના ઓસ્ટ્રેલિયન કોચ ગ્રાહમ રીડે કહ્યું હતું કે ભારતમાં હોકીના પુનરોદ્ધાપનો હિસ્સો બનવા તેમના માટે સૌભાગ્યની વાત છે. રીડેમાં વધુમાં કહ્યું હતું કે આ અદભૂત અનુભવ છે. આ ટીમે તેના માટે કેટલાય બલિદાન આપ્યા છે. કોરાનાકાળમાં તેમના પરિવારથી તેઓ દૂર રહ્યા છે, અને તેમછતાં કેટલાક ખેલાડીઓ કોરોના સંક્રમિત પણ થયા હતા. જ્યાં આ ખેલાડીઓ પહોંચ્યા છે, ત્યાં પહોંચવા માટે ખૂબ લાંબો સમય લાગે છે. આ બલિદાન માટે કોઈને કાંઈ ખબર નથી.

રીડે કહ્યું કે દેશની સાથે સાથે આ ટીમ ખૂબ લાંબા સમયથી પદકની રાહ જોઈ રહી હતી. મને ખબર છે કે ભારત માટે હોકી કેટલી મહત્વની છે અને હું તેનો હિસ્સો બન્યો છું, તેનો મને ખૂબ આનંદ છે.

રીડે વધુમાં કહ્યું હતું કે મેચ પુરી થાય તો પણ પુરી થઈ ન હતી. આ ટીમની ખૂબી એ છે કે હાર માન્યા વગર પરત ફરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે જર્મની સામે ઝીંક ઝીલવા માટે ગોલકીપર પીઆર શ્રીજેશના ખાસ વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે ગોલની સામે શ્રીજેશ જેવા ખેલાડી હોવા તે સારી વાત હતી. સારી વાત એ થઈ કે અમારે શૂટઆઉટમાં ન જવું પડે. તે ભારતીય હોકીનો ધુરંધર છે. તેણે ખૂબ મહેનત કરી હતી અને અમને અહીંયા સુધી પહોંચાડ્યા છે. તેમણે રમત મંત્રાલય અને ભારતીય ખેલ પ્રાધિકરણના પ્રયાયોના વખાણ કર્યા હતા.

Related Posts

Leave a Comment