જો બાઈડન ટીમમાં 20 ભારતીયઃ ભારત અમેરિકાના સંબધનો નવો અધ્યાય લખાશે

by Investing A2Z

મેરિકામાં નવનિર્વાચિત રાષ્ટ્રપતિ જો બાઈડને તેમની સરકારમાં 20 ભારતીય અમેરિકીઓને સ્થાન આપ્યું છે, જે સંકેત આપે છે કે ભારત અને અમેરિકા વચ્ચેના સંબધો વધુ સારા બનશે. અમેરિકી રાષ્ટ્રપતિ ઈતિહાસમાં પહેલી વાર એવું થયું છે કે પહેલા કોઈપણ રાષ્ટ્રપતિએ આટલી મોટી સંખ્યામાં ભારતીય અમેરિકીઓને પસંદ નહોતા કર્યો. બાઈડન સરકારમાં અતિમહત્વના પદ પર 20 ભારતીય અમેરિકીઓના નામ પર મહોર વાગી છે. તેમાં ઓછામાં ઓછા 17 ભારતીયો શક્તિશાળી વ્હાઈટ હાઉસમાં મહત્વના પદ સંભાળશે, તેમાં 13 મહિલાઓ પણ સામેલ છે. 20 જાન્યુઆરીએ જો બાઈડન રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ કરશે. આપણે ભારત અને અમેરિકાના સંબધો પર ચર્ચા કરીએ.

બાઈડનની ટીમમાં 20 ભારતીય અમેરિકન હોય તો સ્વભાવિક છે કે તેમની દેશભક્તિ અમેરિકા તરફી હોય પણ કોઈપણ નીતિ ઘડાશે તો તેમાં ભારતીય સંસ્કૃતિની છાટ તો જોવા મળશે જ. સ્વાસ્થ્ય, કાયદો, વિદેશ નીતિ, રાષ્ટ્રીય સુરક્ષા હોય કે પછી નાણાંકીય નીતિ તેમાં ભારત તરફી ઝોક જોવા મળે તો નવાઈ નહી. તેમજ ભારતીય સંસ્કારો સાથે તેઓ અમેરિકા માટે કામ કરશે, તે દરેક ભારતીય માટે ગર્વની નાત છે. જો કે મહત્વની વાત એ પણ છે કે આ નિમણુંક પછી તેનો કોઈ વિરોધ થયો નથી. પણ આપણે એ વાત યાદ રાખવી પડશે કે આપણને ગૌરવ થાય તે સ્વભાવિક છે, પણ તેઓ હવે અમેરિકી નાગરિક છે. પહેલા તેમની વફાદારી અમેરિકા પ્રત્યે હશે, અને હોવી જ જોઈએ. તેમજ અમેરિકાના બંધારણ પ્રત્યે તેમની નિષ્ઠા રહેશે. પરંતુ ભારત અમેરિકા વચ્ચેની કોઈ વાત આવશે તો તેઓ વધુ સારી રીતે સમજી શકશે. આંતરરાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો ભારત અને અમેરિકાના સંબધો મીઠાશભર્યા જ રહેશે.

હવે એ જોવાનું રહે છે કે જો બાઈડન પાકિસ્તાન અને ચીનને કઈ નજરે જોવે છે. કારણ કે ભારત માટે માથાનો દુઃખાવો ગણો તો પણ અને દુશ્મન ગણો તો તે પાકિસ્તાન અને ચીન સાથે અમેરિકાની નીતિ કેવી રહે છે, તેના પર ભારતીય સંબધોનો આધાર રહેલો છે. બીજી તરફ કશ્મીર અને માનવાધિકાર મુદ્દા પર અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઈડન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસન કયું સ્ટેન્ડ લે છે, તેના પર પણ આધાર છે. જ્યારે ભારતે બંધારણની કલમ 370 રદ કરી ત્યારે તે સમય ડોનાલ્ડ ટ્રમ્પ મૌન રહ્યા હતા. પણ કમાલ હેરિસનના નિવેદનથી ભારત દુખી થયું હતું. હેરિસને ભારતની નિંદા કરી હતી, અને કહ્યું હતું કે અમે કશ્મીરીઓને યાદ અપાવીએ છીએ કે તેઓ દુનિયામાં એકલા નથી. અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ અને જો સ્થિતિ બદલશે તો હસ્તક્ષેપ કરીશું. ત્યારે ભારતે કહેવું પડ્યું હતું કે આ ભારતનો આંતરિક મામલો છે. હવે જોવાનું એ રહેશે કે ભારતની સમસ્યા અને ચિંતાને બાઈડનની ટીમ કેવી રીતે સાંભળે છે.

આમ જોવા જઈએ તો અમેરિકા અને ભારત વચ્ચેના સંબધો દિનપ્રતિદિન સતત વધુ મજબૂત બનતા જઈ રહ્યા છે. કોઈપણ પક્ષના રાષ્ટ્રપતિ આવે તો પણ ભારત સાથે તેમનો લગાવ રહ્યો છે. સત્તા પરિવર્તનની ભારત અમેરિકાના સબંધો પર કોઈ અસર પડી નથી. બન્ને દેશો વચ્ચેના મતભેદો દૂર કરવા માટે મજબૂત મેકેનિઝમ છે, જેને કારણે ભારત અમેરિકાની નજીક છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા પછી અમેરિકા સાથેના સંબધો વધુ ગાઢ બન્યા છે. બરાક ઓબામા તેમના ખાસ મિત્ર બન્યા હતા, ત્યાર પછી ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારે વડાપ્રધાન મોદીએ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ કરીને ટ્રમ્પનું ભવ્ય સ્વાગત કર્યું હતું., તે ઉપરાંત વડાપ્રધાન મોદી અમેરિકા ગયા ત્યારે હાઉડી મોદી કાર્યક્રમમાં તેઓ બન્ને સાથે ઉપસ્થિત રહીને દેશ અને દુનિયાને મેસેજ આપ્યો હતો કે કે ભારત અમેરિકાની બિલકુલ નજીક છે. હવે જ્યારે જો બાઈડન નવા રાષ્ટ્રપતિ શપથગ્રહણ કરી રહ્યા છે ત્યારે તેમની ટીમમાં 20 ભારતીય અમેરિકન છે, જે ભારત સાથેના સંબધોને વધુ ગાઢ કરવાની દિશામાં પ્રયત્ન ચોક્કસ કરશે. અને ટ્રમ્પ વખતે વીઝા પોલીસીમાં જે ફેરફાર કર્યા છે, તેમાં બદલાવ લાવશે. કોવિડ19ની સ્થિતિમાં પણ સુધારો આવશે. ટૂંકમાં આગામી સમયમાં ભારત અમેરિકાના સંબધનો નવો અધ્યાય લખાશે.

Related Posts

Leave a Comment