ફિક્સ્ડ ડિપોઝિટ ( FD ) પર મોટું અપડેટ આવ્યું છે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ( RBI ) એ નિયમમાં ફેરફાર કર્યો છે. હવે ફિક્સ્ડ ડિપોઝિટની મેચ્યોરિટીની તારીખ પુરી થયા બાદ તમારી રકમ બેંક ( Bank ) માં જમા રહેતી હોય છે અને જો કલેઈમ ન કરાય તો આપને વ્યાજ ઓછુ મળશે.
વાસ્તવમાં ફિક્સ્ડ ડિપોઝિટ FD ને એવી રકમ કહેવાય છે કે જેને નિશ્રિત કરેલ સમય માટે બેંકમાં જમા કરાય છે. જેના પર બેંક વ્યાજ ( Bank Interest ) આપે છે. અલગઅલગ બેંકોમાં અલગ સમયમર્યાદા માટે અલગ વ્યાજની જોગવાઈ છે.
રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા RBI અનુસાર જો આપની ફિક્સ્ડ ડિપોઝિટની મુદતનો સમય પુરો થઈ ગયો હોય અને આપે હજી સુધી આપના રૂપિયાનો કલેઈમ નથી કર્યો તો બેંકની પાસે આપની રકમ પડી રહી છે, તો આપને એફડી નહી પણ સેવિંગ્સ એકાઉન્ટમાં મળે તે હિસાબે વ્યાજ મળશે. એટલે કે એફડી પાકી જાય ત્યારે તમારે કલેઈમ કરવો પડશે. તો આપને ફાયદો થશે, નહી તો વ્યાજ ઓછુ મળશે.
આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલ સર્ક્યુલર અનુસાર ફિક્સ્ડ ડિપોઝિટની સમીક્ષા પછી નિર્ણય કર્યો છે કે ફિક્સ્ડ ડિપોઝિટ મેચ્યોર થઈ જાય એટલે કે એફડી પાકી જાય અને કોઈ કલેઈમ ન થાય તો સેવિંગ્સ એકાઉન્ટ અથવા એફડીની મેચ્યોરિટી પર વ્યાજનો દર, જે બેમાંથી ઓછો હશે તે આપવામાં આવશે. આરબીઆઈનો આ નિર્ણય દેશની તમામ સરકારી અને ખાનગી બેંક, સ્મોલ ફાઈનાન્સ બેંક, સહકારી બેંક, સ્થાનિક ક્ષેત્રીય બેંકોમાં જમા પર લાગુ પડશે.
અત્રે નોંધનીય છે કે ફિક્સ્ડ ડિપોઝિટ પર અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે. જેમાં લોનની સુવિધા પણ સામેલ છે. આમ તો આવી લોનની સુવિધા બેંકો પર આધારિત હોય છે કે તે કેટલી લોન આપી શકે છે. કેટલીક બેંકો એફડીની રકમના 85 ટકા તો કેટલીક બેંકો 90 ટકા સુધીની લોનની સુવિધા આપે છે. ત્યારે કેટલીક બેંક એફડી પર સ્પેશિયલ ઓફર પણ આપે છે. જેમાં ગ્રાહકોને હેલ્થ ઈન્શ્યોરન્સથી લઈને લાઈફ ઈન્શ્યોરન્સની સુવિધા મળે છે.
1 comment
Bank profitability will certainly improved. At the same RBI must direct banks to inform depositors well in advance about maturity and by default credit into linked savings account