કોરોના વાયરસનો હાહાકાર… બચવા શું કરશો?

by Investing A2Z

કોરોના વાયરસ વિશ્વભરના દેશોમાં ફેલાયો છે, અને હાહાકાર મચાવી દીધો છે. આજકાલ દરેકના મુખે કોરોના વાયરસની વાતો ચર્ચાઈ રહી છે. ચીનના વુહાન શહેરમાં આ વાયરસની પેદાશ છે. સૌથી મોટો સવાલ એ છે કે કોરોના વાયરસ આવ્યો કેવી રીતે? કોરોના વાયરસ કેટલાક ખાસ પ્રકારના પ્રાણીઓમાં જોવા મળ્યાં છે. જેમાં સાંપ અને ચામાચીડીયા જેવા જીવ સામેલ છે. આ વાયરસ માણસમાં પ્રવેશ્યો તો તે વધુ વિકસિત થયો. તેનું બદલાયેલું સ્વરૂપ મેડિકલ નિષ્ણાતો માટે પડકારરૂપ બન્યું છે.

નામ આવી રીતે પડ્યું

કોરોના વાયરસ હવા, સ્પર્શ અને શ્વાસ દ્વારા માણસોમાં ટ્રાન્સફર થઈ રહ્યો છે. તે ઝડપી ફેલાય છે તેની પાછળનું કારણ એ છે કે લોકો અધકચરું પાકેલું માંસ કે કાચું માંસ ખાય છે. તેમ જ લોકો સી-ફૂડ વધારે પસંદ કરે છે, આ વાયરસને ફેલાવામાં અને ગ્રોથ કરવામાં વધુ મદદ કરે છે. પૃથ્વીની છાયાની ચારેતરફ સૂર્યના કિરણો ફેલાય, તે કિરણોને કોરોના કહેવાય છે. તેને કારણે આ વાયરસનું નામ કોરોના આપ્યું છે. કારણ કે તેની બનાવટ કોરોના જેવી છે અને આ વાયરસ ગોળ છે. પૃથ્વીની ફરતે કિરણોની જેમ પ્રોટીનના સ્ટેન્સ એટલે કે શાખાઓ ઉગેલી હોય છે, તેમ દરેક દિશામાં તે ફેલાયેલી જોવા મળે છે, માટે આ વાયરસનું નામ કોરોના અપાયું છે.

કોરોના વાયરસ શું છે?

કોરોના વાયરસ એ વિષાણુઓનો સમૂહ છે. જે માનવીને સામાન્ય શરદીથી લઈને શ્વાસના રોગ સુધીની ગંભીર સમસ્યા ઉભી કરે છે. તે ઉપરાંત કોરોના વાયરસથી જીવલેણ બીમારી પણ થઈ શકે છે, આ વાયરસનું નામ તેના શેપના આધાર પર રાખવામાં આવ્યું છે. આ વાયરસ પ્રાણીઓ અને માનવી વચ્ચે એકસાથે સંક્રમિત થાય છે. શોધ દરમિયાન જણાયું છે કે આ કોરોના વાયરસ સાપ દ્વારા માનવી સુધી પહોંચ્યો છે. આ વાયરસ પ્રાણીઓ સાથે સંબંધ ધરાવે છે. અને માંસનું હોલસેલ માર્કેટ, મરઘા ઉછેર કેન્દ્ર, સાંપ, ચામાચીડીયા અથવા તો પ્રાણીઓના બજાર દ્વારા માનવીમાં પ્રવેશ્યો છે.

કોરોના વાયરસ ખતરનાક છે

વિશ્વભરના હેલ્થ અધિકારીઓએ આ વાયરસને લઈને સતર્ક રહેવા અને સતર્કતા વર્તવા સલાહ આપી છે. પણ વાયરસ કેટલો ખતરનાક છે, તેના માટે કોઈ સ્પષ્ટ જાણકારી આપવામાં આવી નથી. પણ કોરોના વાયરસથી ચોક્કસપણે સાવધાની રાખવી જરૂરી છે. અને શરદી, ખાસી કે તાવ આવે તો રીપોર્ટ કરાવી લેવા. મ્હોં પર માસ્ક પહેરવું તેટલું જરૂરી છે. ચીનથી ફેલાયેલો કોરોના વાયરસ વિશ્વભરમાં 18થી વધુ દેશોમાં ફેલાયો છે. જેને પગલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO)એ કોરોના પર ઈન્ટરનેશનલ ઈમરજન્સી જાહેર કરી છે. ડબ્લયુએચઓના ચીફે કહ્યું હતું કે અમારી ચિંતા એવા દેશોને લઈને છે, જ્યાં સ્વાસ્થ્યને લગતી કોઈ સુવિધાઓ નથી, અથવા છે તો તે નબળી છે. આવા દેશોમાં કોરોનાની સામે મુકાબલો કરવો મુશ્કેલીઓ સર્જાઈ શકે છે, એટલા માટે અમે આંતરરાષ્ટ્રીય પબ્લિક હેલ્થ ઈમરજન્સી જાહેર કરી છે.

કોરોના વાયરસના લક્ષણો

કોરોના વાયરસથી શ્વસન તંત્ર પર હળવું ઈન્ફેક્શન થાય છે. જેવી રીતે કે શરદી કે ખાંસી વખતે જોવા મળે છે, ગળું પકડાઈ જવું. જો કે આ બીમારીનું લક્ષણ ખૂબ જ સામાન્ય છે.  જો કોઈ વ્યક્તિ કોરોના વાયરસથી પીડિત ન હોય તો પણ આવા કોમન લક્ષણો જોવા મળે છે, જેમ કે નાકમાં પાણી નીકળવું, માથામાં દુખાવો, ખાંસી અને કફ થવો, ગળું ખરાબ થવું, તાવ, થાક લાગવો અને ઉલટી જેવું લાગવુ, શ્વાસ લેવામાં તકલીફ પડે, ન્યૂમોનિયા, બ્રોન્કાઈટિસ જેવા લક્ષણો જોવા મળે છે. તો રીપોર્ટ કરાવવા જરૂરી છે.

કોરોના વાયરસ ફેલાતો રોકવા શું કરવું જોઈએ?

આ જીવલેણ વાયરસ ફેલાતો રોકવા માટે પગલાં લેવા ખૂબ જ જરુરી છે. WHO એ કેટલીક ગાઈડલાઈન્સ જાહેર કરી છે, જેનાથી જીવલેણ બીમારી ફેલાતાં રોકી શકાય છે.

  • બીમાર વ્યક્તિને યોગ્ય રીતે મોનિટરિંગ કરવો જોઈએ
  • રેસ્પિરેટરી એટલે કે શ્વાસ સાથેના રોગનું લક્ષણ દેખાય તો તેનાથી દૂર રહેવું
  • જે દેશોમાં અથવા જે જગ્યાએ આવી બીમારીનો પ્રકોપ ફેલાયો છે, તે દેશની યાત્રા ન કરવી જોઈએ
  • હાથને બરાબર સારી રીતે ધોવા અને હાથની સફાઈનું પૂરું ધ્યાન રાખવું
  • ખાંસી કે છીંક ખાતી વખતે પોતાના મોં પર અને નાક પર રૂમાલ બરાબર ઢાંકીને રાખવો
  • પોતાના હાથ અને આંગળીઓથી આંખ, નાક અને મોઢાને વારંવાર સ્પર્શ ન કરો
  • જાહેર સ્થળો, પબ્લિક ટ્રાન્સપોર્ટમાં કેટલાક લોકો સાથે સ્પર્શ કે હાથ ન મિલાવવો જોઈએ

કોરોના વાયરસ જીવલેણ થઈ શકે?

આમ જોવા જઈએ તો કોરોના વાયરસની શરૂઆત સામાન્ય શરદી, તાવ અને ન્યૂમોનિયા જેવા લક્ષણોથી શરૂ થાય છે, પણ કેસ ગંભીર થઈ જાય તો તે ઈન્ફેક્શનને કારણે શ્વાસનો ગંભીર રોગ, કિડની ફેઈલ થવી, મલ્ટીપલ ઓર્ગન ફેઈલ પણ થઈ શકે છે અને તેને કારણે મોત પણ થઈ શકે છે.

કોરોના વાયરસનો શું છે ઈલાજ

આ બીમારી સામે લડવા માટે અત્યાર સુધી કોઈ વેક્સિન તૈયાર થઈ નથી, પણ અમેરિકાની નેશનલ ઈન્સ્ટિયુટ ઓફ હેલ્થ (NIH) ના અધિકારીઓએ કહ્યું છે કે કોરોના વાયરસને કારણે ફેલાયેલ વાયરલ ન્યૂમોનિયાના આ રોગ સામે લડવા માટે વેક્સિન બનાવાઈ રહી છે. અને ત્રણ મહિનાની અંદર આ વેક્સિનની ટ્રાયલ લેવાઈ જશે. તદઉપરાંત તેની સારવાર પણ સામાન્ય શરદીની જેમ જ થાય છે. જેમાં આરામ કરવાની સલાહ આપવામાં આવે છે. પ્રવાહી વધારે લેવાની સલાહ આપવામાં આવે છે અને તાવ તથા ગળાના ઈન્ફેક્શનની દવા આપવામાં આવે છે.

  • ગળાને હમેશાં ભીનું રાખવું તે સૌથી જરૂરી છે. જો તમે તમારી તરસને લાંબા સમય સુધી રોકી રાખો અને તમારો કંઠ સૂકો રહે તો આ વાયરસ તમારા પર એટેક કરી શકે છે, એટલા માટે પાણી વધારે પીવું જોઈએ.
  • સામાન્ય પાણી પીવાની જગ્યાએ નવસેકું ગરમ પાણી પીવું જોઈએ. એક જ વારમાં વધારે પાણી પીવાની જગ્યાએ ગરમ પાણી ચાની જેમ ચુસકી મારીને પીવું જોઈએ
  • કેટલાક મહિનાઓ માટે નોન વેજ ખાવાનું બંધ કરી દો. કોરોના વાયરસ પ્રાણીઓથી માનવીમાં ફેલાયો છે. માટે ખૂ જ જરૂરી છે કે નોન વેજથી દૂર રહો
  • વિટામીન સી તમારી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે અને તે તમને સ્ટ્રોંગ બનાવે છે. માટે તમે દરરોજ સંતરા, સ્ટ્રોબરી, આમળા, બ્રોકલી જેવા વિટામીન સી ભરપુર હોય તેવા ફળ ખાવા જોઈએ
  • વિટામીન સીની સાથે ઝિંક અને બી કોમ્પ્લેક્સની ટેબલેટ પણ દરરોજ લેવી જોઈએ. જેનાથી તમારી ઈમ્યૂનિટી સ્ટ્રોંગ બનશે અને રોગથી તમે બચી શકશો
  • ગરમ પાણીમાં તુલસી, આદુ, કાળા મરી અને હળદરના પાવડરનો કાવો બનાવીને દરરોજ પીવો જોઈએ, આર્યુવૈદિક અને ઘરેલુ નુસખા પણ આ વાયરસ અને બેકટેરિયાથી દૂર રાખે છે.
  • ગરમગરમ વેજિટેબલ સૂપ પીવો જોઈએ
  • જાહેર સ્થળોએ એટલે કે વધારે ભીડવાળા વિસ્તારોમાં જવાનું ટાળવું જોઈએ, જાહેર સ્થળો પર જાવ તો કોઈપણ ચીજવસ્તુને સ્પર્શ કરવો નહીં, અને સ્પર્શ કરો તો ઘેર આવીને હેન્ડવૉશ કરવા, ગંદા હાથથી ચહેરા પર, નાક, આંખ કે મ્હોં પર હાથ ન ફેરવવો.

Related Posts

Leave a Comment