અમદાવાદ- અમદાવાદમાં બહુ મોટી વિમાન દુર્ધટના બની છે. (Plane crash incident in Ahmedabad) અમદાવાથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ મેધાણીનગરમાં ક્રેશ થઈ ગઈ છે. જેમાં 242 મુસાફરો સવાર હતા. ફલાઈટમાં બે પાયલોટ સહિત કુલ 10 કેબિન ક્રૂ હતા. આ વિમાન દુર્ઘટનામાં 241 વિમાનના મુસાફરના મોત થયા છે, તે સહિત વિમાનની નીચે જે લોકો આવ્યા તે અને બી જે મેડીકલ હોસ્ટેલના ઈન્ટર્ન ડોકટર વિર્ધાર્થીઓ સહિત કુલ 268ના મોત થયા છે. ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલ માત્ર એક જ મુસાફર બચ્યા છે, જેનું નામ રમેશ વિશ્વાસકુમાર છે. એર ઈન્ડિયાની બોઈંગ વિમાન અમદાવાદ એરપોર્ટથી લંડન જવા માટે ટેકઓફ થયું તેની 10 જ મિનીટમાં ક્રેશ થઈ ગયું હતું.(Air India Boeing plane crashes in Ahmedabad)
અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેક ઓફ થવાના 10 જ મિનીટમાં મેઘાણીનગર વિસ્તારમાં આવેલ બી જે મેડિકલ કોલેજની હોસ્ટેલ પર અને આઈજીબી કમ્પાઉન્ડ પર ક્રેશ થઈ હતી. જેથી જે સ્થળે પ્લેન તૂટી પડ્યું ત્યાં ખૂબ જ નુકસાન થયું છે. તેમજ પ્લેન ક્રેશ થયાનો અવાજ ખૂબ દૂર સુધી સંભળાયો હતો. તેમજ ક્રેશ થતાંની સાથે આગ ફાટી નીકળી હતી અને ધૂમાડાના ગોટેગોટા ખૂબ દૂર સુધી જોઈ શકાતા હતા.
હાલ ઘટના સ્થળ પર રાહત અને બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. અમદાવાદના મોટાભાગના ફાયર ફાઈટરો અને એમ્બ્યુલન્સો રાહત બચાવ કામગીરીમાં પહોંચી ગઈ છે.
અમદાવાદ એરપોર્ટને હાલ બંધ કરી દેવાયું છે. આજની તમામ ફ્લાઈટ રદ કરાઈ છે. અને અમદાવાદ આવતી ફ્લાઈટને ડાયવર્ટ કરાઈ છે. તેમજ ડીજીસીઆઈએ એર ઈન્ડિયાના પ્લેન ક્રેશની તપાસ સોંપી દીધી છે.
આ સમાચાર મળતાની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવવા માટે રવાના થઈ ગયા છે. તેમજ કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ તેમજ ઉડ્ડયન પ્રધાન રામ મોહન નાયડું અમદાવાદ આવવા રવાના થઈ ગયા છે.
એર ઈન્ડિયાની બોઈંગ 171 વિમાનમાં કુલ 300 પેસેન્જરની કેપેસિટી હતી. પણ તેમાં 242 મુસાફરો સવાર હતા. તેમાં બ્રિટનના 53 નાગરિક, પોર્ટુગલના 7 અને કેનેડાનો એક નાગરિક વિમાનમાં સવાર હતા. આ પ્લેન બી જે મેડિકલ કોલેજની હોસ્ટલ પર ક્રેશ થયું હતું, જેથી હોસ્ટેલના મેસમાં જે ડૉકટર વિદ્યાર્થીઓ જમી રહ્યા હતા તેમાંથી 8 વિદ્યાર્થીઓના મોત થયાનું જાણવા મળે છે. વિમાનની ચપેટમાં આવનાર 24 લોકોના મોત થયા છે.
ગુજરાત સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. આ કંટ્રોલ રૂમના ફોન નં. 079-232-51900 અને મોબાઈલ નં. 9978405304 ઉપર સંબંધિતો સંપર્ક કરી શકશે.
અમદાવાદમાં એર ઈન્ડિયાનું પેસેન્જર વિમાન તૂટી પડવાની દુર્ઘટના સામે તત્કાલ બચાવ અને રાહત કામગીરીની તેમજ ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલીક સારવાર માટેની વ્યવસ્થા યુદ્ધના ધોરણે હાથ ધરવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સૂચનાઓ આપી છે.
મુખ્યપ્રધાને આ દુ:ખદ ઘટનાની જાણ થતાં જ તેમણે મુખ્ય સચિવ પંકજ જોષી અને સંબંધિત વરિષ્ઠ સચિવોનો ટેલીફોન પર સંપર્ક કરીને ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલીક સારવાર માટે પહોંચાડવા ગ્રીન કોરીડોરની વ્યવસ્થા માટે અને હોસ્પીટલમાં સારવારની તમામ વ્યવસ્થાઓ અગ્રતાક્રમે સુનિશ્ચિત કરવા પણ સુચનાઓ આપી છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહે પણ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરીને આ વિમાન દુર્ઘટનામાં બચાવ – રાહત કામગીરી માટે NDRFની ટીમો અને કેન્દ્ર સરકારની સંપૂર્ણ મદદની ખાતરી આપી હતી.
અમદાવાદ પ્લેન દુર્ઘટનાને પગલે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ટ્રોમા (ઇમરજન્સી) સેન્ટરમાં દર્દીલક્ષી સારવાર સંબંધિત માહિતી મેળવવા સંપર્ક કરવા માટેના બે ફોન નંબર હોસ્પિટલ તંત્રે જાહેર કર્યા છે તે આ મુજબ છે. (1) 6357373831 (2) 6357373841
For any queary related to medical emergency in plane crash incident
108 emergency control room no- 07935082111