ગાંધીનગર- ગુજરાત વિધાનસભાના ‘ચોમાસુ સત્ર’નું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા આહવાન થયું છે. (Monsoon session of Gujarat Assembly) જે અંતર્ગત તારીખ 8 થી 10 સપ્ટેમ્બર, 2025 સુધી ત્રણ દિવસ 15મી વિધાનસભાનું સાતમું સત્ર યોજાશે. ગુજરાત વિધાનસભાએ ચોમાસું સત્ર સંબંધિત જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
આ સંદર્ભે વિગતો આપતાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ (Gujarat Assembly Speaker Shankarbhai Chaudhary) જણાવ્યું હતું કે, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ (Gujarat Governor Acharya Devvrat) આજે 15મી વિધાનસભાના સાતમાં સત્રનું આહવાન કર્યું છે. જે અંતર્ગત આગામી તા. 8, 9 અને 10 સપ્ટેમ્બર, 2025 દરમિયાન ત્રણ દિવસ ‘ચોમાસું સત્ર’ યોજાશે. ગુજરાત વિધાનસભા ખાતે આગામી તા. 20 ઓગસ્ટ સુધી ધારાસભ્યો પોતાના પ્રશ્નો ઑનલાઇન તેમજ પ્રત્યક્ષ એમ બંને પદ્ધતિથી આપી શકશે.
