


આમ તો, આયુર્વેદમાં સરગવાને અમૃત સમાન માનવામાં આવે છે. કારણ કે તે 300થી વધુ રોગો સામે રક્ષણ કરવામાં સહાયરૂપ નિવડે છે. તેનાં પાંદડાં અને ફળમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન-એ, સી અને બી કોમ્પ્લેક્સ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. સરગવાનાં પાંદડાંમાં વિટામિન-સી હોય છે, જે બ્લડપ્રેશર ઘટાડવામાં મદદ કરે છે. એ વજન ઘટાડવામાં પણ મદદરૂપ નિવડે છે. દક્ષિણ ભારતમાં સરગવાનો સૌથી વધુ ઉપયોગ થાય છે. પોષકતત્વોનો ખજાનો એટલે સરગવો એ અનેક રોગો સામે રક્ષણ આપવા માટેનું શ્રેષ્ઠ વૃક્ષ છે.
સરગવો ખાવાના ફાયદાની વાત કરીએ તો ( Benefits of eating Sargavo )

– પથરીને બહાર કાઢે છે
– કોલેસ્ટેરોલ ઓછું કરે છે
– બ્લડપ્રેશર સામાન્ય રાખે છે
– પાચન સુધારે છે
– દાંતને પોલાણથી બચાવે છે
– પેટના કીડાઓથી છુટકારો મળે છે
– સાયટિકા, આર્થરાઇટિસમાં ફાયદાકારક
– પેટની સમસ્યામાં રાહત મળે છે
– લિવરને સ્વસ્થ રાખવામાં અસરકારક
-સરગવો આંખો માટે પણ અસરકારક છે, આંખનું તેજ પણ વધારે છે.