નવી દિલ્હી- ભારત સતત વિકાસ અને ગ્રોથ નોંધાવતો દેશ બન્યો છે. વીતેલા દિવસોમાં જ જાપાનને પાછળ છોડીને દુનિયાની સૌથી મોટી ચોથી ઈકોનોમી બની છે. બીજા એક વધુ ભારત માટે આનંદના સમાચાર આવ્યા છે. વિશ્વ બેંકએ (World Bank Report) એક અહેવાલ જાહેર કર્યો છે અને તેમાં દર્શાવ્યુ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi Government) નેતૃત્વવાળી સરકારે ગરીબી વિરુદ્ધ લડાઈમાં જીત હાંસલ કરી છે. વર્લ્ડ બેંકે રીપોર્ટમાં આંકડા સાથે દર્શાવ્યું છે કે વીતેલા 11 વર્ષમાં ભારતમાં ગરીબોની સંખ્યા 27.1 ટકાથી ઘટીને હવે માત્ર 5.3 ટકા જ રહી છે. (India has seen significant reduction in poverty in 11 years)
વર્લ્ડ બેંકના રીપોર્ટ અનુસાર ભારતમાં 2022-23માં ગરીબી ઘટીને 5.3 ટકા થઈ ગઈ છે. જેની પહેલા વીતેલા એક દશકમાં દેશમાં ગરીબી 2011-12માં 27.1 ટકા હતી. જેથી 11 વર્ષમાં ઝડપથી ઘટીને 5.3 ટકા રહી ગઈ છે. જો કે વર્લ્ડ બેંકે પોતાની ગરીબી રેખાની મર્યાદા સંશોધન કરીને 3 અમેરિકી ડૉલર પ્રતિદિન કરી દીધી છે.
વૈશ્વિક સંસ્થાએ કહ્યું છે કે વર્ષ 2017 અને 2021ની વચ્ચે ભારતનો મોંઘવારી દરને જોતાં 3 અમેરિકી ડૉલરના સંશોધિત સૌથી વધુ ગરીબી રેખા 2021ની કીમતોમાં દર્શાવેલ 2.15 ડૉલરની મર્યાદાથી 15 ટકા વધુ છે. અને તેના પરિણામ સ્વરૂપ 2022-23માં ગરીબી દર 5.3 ટકા છે. તેમાં કહેવાયું છે તે ગ્રામીણ ક્ષેત્રોમાં સૌથી વધુ ગરીબી દર 18.4 ટકાથી ઘટીને 2.8 ટકા રહ્યો છે. જ્યારે શહેરી ક્ષેત્રમાં તે 10.7 ટકાથી ઘટીને 1.1 ટકા થઈ ગયો છે. જેમાં ગ્રામીણ અને શહેરી ગરીબી અંતર 7.7 ટકાથી ઘટીને 1.7 ટકા પર આવી ગયું છે.
વર્લ્ડ બેંક દ્વારા જાહેર કરાયેલ આંકડા પર નજર નાંખીએ તો 2011-12માં ગરીબી રેખાથી નીચે (3 ડૉલર પ્રતિદિન) જીવન નિર્વાહ કરનાર ભારતીયોની સંખ્યા 34 કરોડ નોંધાઈ હતી. પણ તેની સરખામણીએ 2022-23માં આ સંખ્યા ઘટીને 7.5 કરોડ રહી ગઈ છે. આ હિસાબે ગણતરી માંડીએ તો દેશમાં 26.5 કરોડ સૌથી વધુ ગરીબીમાંથી બહાર નીકળ્યા છે. આ મોદી સરકારની સૌથી મોટો ઉપલબ્ધી છે.
રીપોર્ટમાં વધુ લખ્યું છે કે ભારતમાં 2024માં 5,46,95,832 લોકો પ્રતિદિન 3 અમેરિકી ડૉલરથી ઓછી રકમમાં જીવન નિર્વાહ કરી રહ્યા છે. આ પ્રકારે 3 અમેરિકી ડૉલર પ્રતિદિન પર ગરીબી દર 2024માં 5.44 ટકા છે.
Top Video News
શેરબજારના સેન્સેક્સમાં 256 પોઈન્ટની તેજી, શું ઊંચા ભાવે વેચવાલી આવશે?
ભારતમાં ગરીબોની સંખ્યાને લઈને આવેલ વર્લ્ડ બેંકના આ રીપોર્ટમાં મોદી સરકારની દેશમાં મફત અને સબસીડીવાળા અનાજ વિતરણની યોજનાથી દેશમાં ગરીબી ઘટાડવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. તેની મદદથી ગ્રામીણ અને શહેરી ગરીબી વચ્ચેના અંતરમાં ઘટાડો નોંધાયો છે. વિશ્વ બેંકના કહેવા અનુસાર વીતેલા એક દશકામાં ભારતે ગરીબી ઘટાડવામાં નોંધપાત્ર રીતે સફળતા મેળવી છે.
વર્લ્ડ બેંકે રીપોર્ટમાં જ્યાં મોદી સરકારની આ મોટી ઉપલબ્ધીના વખાણ કર્યા છે તો બીજી તરફ ઈકોનોમીને લઈને કહ્યું છે કે ભારતનો રીયલ જીડીપી (GDP Growth Rate) નાણાકીય વર્ષ 2024-25 સુધી કોરોના મહામારી પૂર્વે 5 ટકાથી નીચે હતો. રીપોર્ટમાં કહેવાયું છે તે હાલની વૈશ્વિક અનિશ્ચિતતાઓને વ્યવસ્થિત તરીકે જો પાર કરીને બહાર નીકળી જશે તો 2027-28 સુધીમાં વૃદ્ધિ ધીરે ધીરે સંભવિત સ્તર સુધી પહોંચી જશે.