શું કર્મચારીઓ એર ઈન્ડિયા ખરીદશે?

by Investing A2Z

69 હજાર કરોડથી વધુના દેવામાં ફસાયેલી સરકારી એરલાઈન કંપની એર ઈન્ડિયા ( Air India )ના વરિષ્ઠ કર્મચારીઓનું એક ગ્રુપ પોતાની જ કંપનીને ખરીદવા માટે આગળ આવ્યું છે. આ કર્મચારીઓ અમેરિકા સ્થિત એક ખાનગી ઈક્વિટી પેઢીની સાથે સરકારી બોલીમાં હિસ્સો લીધો છે. એર ઈન્ડિયાના 209 કર્મચારીઓનું ગ્રુપ યુએસ સ્થિત ખાનગી ફાયનાન્સર સાથેના સહકારથી એરલાઈનમાં 50 ટકા હિસ્સેદારી માટે બોલી લગાવી છે.

એર ઈન્ડિયાના દરેક કર્મચારીએ એક ખાનગી ઈક્વિટી ફંડની સાથેના સહકારથી રાષ્ટ્રીય વાહક માટે બોલી લગાવી છે. બોલી માટે દરેક કર્મચારી એક એક લાખ રૂપિયા યોગદાન આપવાનું કહેવામાં આવ્યું છે. જો આ વાત હકીકતમાં પલટાશે તો દેશના કોર્પોરેટ ઈતિહાસનો આ પહેલો કિસ્સો હશે, કે જેમાં સરકારી કંપનીને તેના જ કર્મચારીઓએ ખરીદી.

રીપોર્ટ એવો મળી રહ્યો છે  કે પાયલટો અને કેબિન ક્રૂનું પ્રતિનિધિત્વ કરનાર યુનિયનોએ પોતાના સભ્યોને કર્મચારી બોલીમાં ભાગ નહી લેવાની સલાહ આપી છે. બોલી પ્રક્રિયાનું નેતૃત્વ એર ઈન્ડિયાના કોમર્શિયલ ડીરેક્ટર કરી રહ્યા છે. આ સીનીયર કર્મચારીના કહેવા પ્રમાણે જૂના કર્મચારીઓ પુરી રીતે આ ખરીદીમાં સાથ આપશે અને અત્યાર સુધીમાં 200થી વધુ કર્મચારીઓ જોડાઈ ગયા છે. તમામ પાસેથી એક એક લાખ રૂપિયા લઈ રહ્યા છીએ. એક ઈન્ડિયામાં કુલ 14 હજાર કર્મચારીઓ છે. એર ઈન્ડિયા ખરીદીમાં જોડાયેલા એક અધિકારીના કહેવા પ્રમાણે જો બધુ યોગ્ય રીતે થઈ જશે તો બે વર્ષમાં કંપની ટ્રેક પર આવી જશે.

એર ઈન્ડિયાને ખરીદવા માટેની બોલીની સમય મર્યાદા આજે એટલે કે 14 ડીસેમ્બરે પૂર્ણ થઈ રહી છે. જે વચ્ચે એવા પણ સમાચાર આવી રહ્યા છે કે અગ્રણી કોર્પોરેટ સંસ્થાઓ તાતા, અદાણી અને હિંદુજાને પણ એર ઈન્ડિયા ખરીદવામાં રસ છે. એર ઈન્ડિયાની બોલી લગાવવા માટે 14 ડીસેમ્બર છેલ્લો દિવસ છે, સરકારે તેની સમય મર્યાદા વધારી નથી. જો કે સરકારે એર ઈન્ડિયાની બોલી લગાવનારા માટે ઈન્ટીમેશન તારીખને વધારીને 5 જાન્યુઆરી કરી નાંખી છે, જે પહેલા 29 ડીસેમ્બર સુધીની હતી.

5 જાન્યુઆરીએ કરાયેલ બિડર્સના નામની જાહેરાત કરવાની તારીખ છે. ફિઝિકલ બિડ 29 ડિસેમ્બર સુધી થશે. હવે આમાં ત્રણ મોટી કોર્પોરેટ સંસ્થાઓએ રસ બતાવ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. તાતા ગ્રુપ, અદાણી અને હિન્દુજા ગ્રુપ અને અન્યોએ એર ઈન્ડિયાની બોલી લગાવવા ઈચ્છુક છે. જો કે સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરાઈ નથી.

સરકારે એર ઈન્ડિયાની પોતાની 100 ટકા ભાગીદારી વેચવા માટે બોલી મંગાવી છે. તેની સાથે એક ઈન્ડિયા એક્સપ્રેસ લિમિટેડમાં પણ એર ઈન્ડિયાની 100 ટકા હિસ્સેદારી વેચાશે. એર ઈન્ડિયા એસએટીએસ એરપોર્ટ સર્વિસીઝ પ્રા. લીમીટેડમાં 50 ટકા ભાગીદારી વેચાશે. 31 માર્ચ, 2019ના રોજ જાહેર કરાયેલ દસ્તાવેજમાં એર ઈન્ડિયાનું કુલ દેવું રૂપિયા 60,074 કરોડ દર્શાવ્યું છે. જેમાં તેના ખરીદનારે રૂપિયા 23,286 કરોડને માથે લેવા પડશે. જ્યારે બાકીની રકમનું દેવું વિશેષ ઉદેશ્ય માટે બનાવાયેલ એક ઈન્ડિયા એસેટ્સ હોલ્ડિંગ લીમીટેડને ટ્રાન્સફર કરી દેવામાં આવશે.

Related Posts

Leave a Comment