અમદાવાદ- આપે ટ્રેનની ટિકિટ બુક કરાવી છે. વેઇટિંગ લિસ્ટમાં ફસાઈ ગયા છો, અને છેલ્લી ઘડી સુધી આ સસ્પેન્સ રહે છે કે સીટ મળશે કે નહીં? જો તમે પણ ટ્રેનમાં મુસાફરી કરો છો, તો આ પરિસ્થિતિ તમારી સામે ઘણી વખત બની હશે. મુસાફરોની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને, ભારતીય રેલવે (Indian Railway) દ્વારા એક નવો નિયમ લઈને તેનો અમલ શરૂ કરવા જઈ રહી છે. (New rule of Railways) જેમાં વેઇટિંગ લિસ્ટ ચાર્ટ (Waiting list chart of Train)) મુસાફરી શરૂ થાય તેના 4 કલાક પહેલા નહીં, પણ 24 કલાક પહેલા તૈયાર કરવામાં આવશે. વધુ વિગતવાર સમજીએ.
અત્યાર સુધી મુસાફરોને ટિકિટ કન્ફર્મ (Railway confirmed ticket in train) કરાવવા માટે મુસાફરીના દિવસ સુધી ચિંતા કરવી પડતી હતી. જો વેઇટિંગ ટિકિટ (Waiting list in Railways) હોય તો મુસાફરોના મનમાં એક પ્રશ્ન ઉભો થતો હતો કે તેમની ટિકિટ કન્ફર્મ થશે કે નહીં. રિઝર્વેશન ચાર્ટ (Railway confirmed seat chart) ટ્રેન ઉપડવાના લગભગ અઢીથી ચાર કલાક પહેલા તૈયાર કરવામાં આવતો હતો. જેના કારણે મુસાફરોને તેમની સીટ કન્ફર્મ થવા માટે છેલ્લી ઘડી સુધી રાહ જોવી પડતી હતી અને જો સીટ કન્ફર્મ ન થાય તો મુસાફરી રદ કરવી પડતી હતી.
ઘણા વર્ષોથી મુસાફરો આ સમસ્યાથી પરેશાન હતા, પરંતુ હવે રેલવેએ આ પ્રક્રિયાને મુસાફરો માટે વધુ પારદર્શક અને અનુકૂળ બનાવવા માટે 24 કલાક અગાઉથી ચાર્ટ તૈયાર કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં આ નવી સુવિધા સૌપ્રથમ બિકાનેર ડિવિઝનમાં લાગુ કરવામાં આવી છે. ધીમેધીમે તે દેશના અન્ય રેલવે ડિવિઝનમાં શરૂ કરવામાં આવશે.
રેલવેની આ નવી સુવિધા એવા રૂટ પર વધુ ફાયદાકારક સાબિત થશે જ્યાં વેઇટિંગ લિસ્ટ લાંબું હોય છે. (Long in Train Waiting List) ટ્રેન પ્રસ્થાન થવાના થોડા કલાકો પહેલા રિઝર્વેશન ચાર્ટ કન્ફર્મ થવાને કારણે ઘણા મુસાફરોને સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. પરંતુ રેલવેની આ નવી પહેલથી ટિકિટિંગમાં પારદર્શિતા વધશે જ, પરંતુ જે મુસાફરોની વેઇટિંગ ટિકિટ કન્ફર્મ નથી થઈ તેમને અન્ય વૈકલ્પિક મુસાફરી વ્યવસ્થા કરવા માટે પણ પૂરતો સમય મળશે.
જો તમે પણ વારંવાર ટ્રેનમાં મુસાફરી કરો છો તો આ નિયમ તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. હવે તમારે ટ્રેન ઉપડવાના ચાર કલાક પહેલા રાહ જોવાની જરૂર રહેશે નહીં. તમને 24 કલાક અગાઉ ખબર પડશે કે તમારી ટિકિટ કન્ફર્મ છે કે નહીં. ખાસ કરીને તહેવારોની સીઝનમાં જ્યારે ટ્રેનમાં સીટ મેળવવી એ બહુ જ કપરુ કામ હોય છે. ત્યારે આ સિસ્ટમ મુસાફરોને તેમની મુસાફરીનું વધુ સારી રીતે આયોજન કરવાની તક આપશે. જો ટ્રેન ટિકિટ કન્ફર્મ ન થાય, તો મુસાફર બસ, પ્લેન અથવા અન્ય ટ્રેનોમાં વિકલ્પો શોધી શકે છે.
Top Trending News
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પાણીનો કેટલો જથ્થો?
રેલવેએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ નવા નિયમથી તત્કાલ ટિકિટ બુકિંગ કે અન્ય નિયમોમાં કોઈ ફેરફાર થશે નહીં. તત્કાલ ટિકિટ હજુ પણ મુસાફરીના એક દિવસ પહેલા બુક કરવામાં આવશે અને તેમની કન્ફર્મેશન પ્રક્રિયા પહેલા જેવી જ રહેશે. દિલ્હી-મુંબઈ, દિલ્હી-બિહાર અથવા ઉત્તર પ્રદેશ-ગુજરાત જેવા વ્યસ્ત રૂટ પર ટિકિટ વેઇટિંગને કારણે ઘણા મુસાફરો મુશ્કેલીમાં મુકાય છે. તેમનું કહેવું છે કે આ નવા નિયમથી મુસાફરોને સુવિધા આપશે એટલું નહીં પણ તમે ટિકિટ રદ કરવા અને ખાલી બેઠકોનું વધુ સારી રીતે સંચાલન પણ કરી શકશો.
ઘણા લોકો છેલ્લી ઘડીએ તેમની મુસાફરીનું આયોજન કરે છે. તેથી આવા લોકો માટે, વર્તમાન ટિકિટની આ સુવિધા એક મદદરૂપ બની શકે છે. જેમાં ટ્રેન ઉપડવાના ચાર કલાક પહેલાથી લઈને 5 થી 10 મિનિટ પહેલા સુધી ખાલી બેઠકો માટે ટિકિટ બુક કરાવી શકાય છે. મુસાફરો આ સુવિધા ઓનલાઈન અથવા રેલવે કાઉન્ટર પરથી મેળવી શકાય છે.