કોરોનાનો કાળો કેરઃ ડરો નહી, સાવચેતી જ આપને બચાવશે…

by Investing A2Z

કોરોનાનો કહેર રીતસરનો તૂટી પડ્યો છે. દુનિયાના કુલ 195 દેશોમાં કોરોના વાયરસ ફેલાઈ ચુક્યો છે.  ભારતમાં માર્ચના બીજા સપ્તાહથી કોરોનાનો પ્રવેશ થયો અને ત્રીજા સપ્તાહમાં સંપૂર્ણ રીતે ફેલાઈ ગયો, અને ત્રીજા સપ્તાહમાં પોઝિટિવ કેસો બહાર આવવા લાગ્યા છે. હવે માર્ચ મહિનાનું ચોથુ સપ્તાહ વધારે મહત્વનું બની રહેશે. ભારત સરકારે કોરોના વાયરસ ફેલાય તે પહેલાથી જ સાવચેતીના પગલા ભરવાનું શરૂ કર્યું છે, તેમ છતાં વિદેશથી આવેલા લોકોને વધુ કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. આ વાયરસ વધુ ફેલાય નહી તે માટે સરકાર સતત પ્રયત્નશીલ રહી છે, અને 22 માર્ચને રવિવારે જનતા કરફ્યૂ જાહેર કર્યો છે. તેમજ સોશિયલ મીડિયાનો ભરપુર ઉપયોગ કરીને લોકોમાં જાગૃતિ લાવવાનો ભરપુર પ્રયાસ કર્યો છે.  કોરોનાથી આપ ડરો નહી, થોડીક સાવધાની રાખો… અને કોઈ જ અફવા ફેલાવશો નહી અને અફવા પર વધુ ધ્યાન ન આપશો.

વર્લ્ડઓમીટર વેબસાઈટના કહેવા પ્રમાણે દુનિયાના 195 દેશોમાં 9,64,000થી વધુ લોકોને કોરોનાના વાયરસનો ચેપ લાગ્યો છે.  આ કોરોના વાયરસથી 49,000થી વધુ લોકોના મોત થયા છે, અને 2,03,000થી વધુ લોકો સારવાર લઈને સાજા થઈ ગયા છે. ભારતમાં 02 એપ્રિલ સુધીમાં 2059 કેસ નોંધાયા છે, અને 65ના મોત થયા છે. જે દેશો મેડિકલ અને સ્વાસ્થ્યની બાબતમાં અને શોધમાં સૌથી વધુ આગળ છે તેવા દેશો જેવા કે ચીન, ઈટાલી, સ્પેન, જર્મની અને અમેરિકામાં કોરોનાનો વાયરસ ખુબ ઝડપથી ફેલાયો છે. અમેરિકામાં 2,16,000થી વધુ કેસ પોઝિટિવ આવ્યા છે, જેમાંથી 5144 લોકોના મોત થયા છે.  ઈટાલીમાં 1,10,000થી વધુ લોકો કોરોના પોઝિટિવ છે, જેમાં 13,000થી વધુ લોકોના મોત થયા છે. આ વાયરસને રોકી રાખવામાં વિશ્વના અગ્રણી દેશો હજી સફળ થયા નથી, તેની રસીની શોધ ચાલુ છે, બધા દેશો દાવો કરી રહ્યા છે, કે રસીનો શોધ કરી છે, પણ તેનું પરીક્ષણ ચાલી રહ્યું છે. જોઈએ કોને સફળતા મળે છે.

ગુજરાતમાં 36 કલાકમાં જે રીતે 13 પોઝિટિવ કેસ નોંધાયા છે.  શનિવારથી શટડાઉનની સ્થિતી જોવા મળી છે. 23 માર્ચ સુધીમાં ગુજરાતમાં કુલ 30 કેસ નોંધાયા હતા. અને 31 માર્ચ સુધી ગુજરાતમાં લોકડાઉનની સત્તાવાર જાહેરાત કરી દેવાઈ છે. ગુજરાત નહી દુનિયાભરમાં કોરોના વાયરસથી મૃત્યુઆંક સતત વધી રહ્યા છે, તેને જોતા વીકએન્ડ શનિવારથી શટડાઉનની સ્થિતી છે. વિશ્વમાં 120 કરોડ લોકો ઘરમાં કેદ થયા છે. કામબંધી અને ઘરમાં જ બંધ રહ્યા છે. આજે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને યુવાનોને ગંભીર ચેતવણી આપી છે કે યુવાનો આ બીમારીની ચપેટમાં આવવાની પુરી શકયતાઓ છે, માટે સાવધાન રહેજો. વૈશ્વિક મહામારીએ વિશ્વમાં જનજીવનને અસર કરી છે. દુનિયાના લોકોએ બહાર અવરજવર સ્વેચ્છાએ બંધ કરી દીધી છે. શાળાકોલેજો અને તમામ બિઝનેસ બંધ કરી દીધા છે. લાખો લોકો ઘરેથી કામ કરી રહ્યા છે. જ્યારે જે લોકો રોજ કમાઈને રોજ ખાતા હોય તેવા લોકોની આજીવિકા છીનવાઈ ગઈ છે. એકતરફ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યું હતું કે અમેરિકા વાયરસ સામે જંગ જીતી ગયું છે. પણ બીજી બાજુ અલગઅલગ રાજ્યોમાં પ્રતિબંધનો વધુ કડક કરી દેવાયા છે. ન્યૂ યોર્ક, ઈલિનોઈસ અને કેલિફોર્નિયાના લાકોને ઘરની અંદર જ રહેવાનો આદેશ આપી દેવાયો છે. ઈટાલીમાં શુક્રવારનો દિવસ કાળો દિવસ રહ્યો છે. ઈટાલીમાં શુક્રવારે એક જ દિવસમાં 627 લોકોના મોત થયા હતા. યુરોપમાં સરકારે લોકોની અવરજવર પર પ્રતિબંધને કડકાઈથી અમલ કરાવ્યો છે, તેમ છતાં યુરોપમાં મૃતકોની સંખ્યા 4000ની ઉપર નીકળી ગઈ છે. ફ્રાન્સ, ઈટાલી, સ્પેન અને યુરોપીય દેશોના લોકોને ઘરમાં જ રહેવા કહી દેવાયું છે, જે લોકો આનો અમલ ન કરે તેમના પર દંડ લાગુ કરાયો છે. અને ભારે ચેતવણી આપી દેવામાં આવે છે.

યુરોપીય સંઘમાં જ તેમના પાડોશીની હાર પર ચાલતાં બ્રિટનમાં પણ આકરા પ્રતિબંધની જાહેરાત કરી છે અને પબ, રેસ્ટોરા અને સિનેમાઘરોને બંધ કરાયા છે. સાથે અસરગ્રસ્ત કામદારોને તેમનું વેતન આપવાનો વાયદો પણ કર્યો છે. વાયરસનો પ્રકોપ આફ્રિકા અને પશ્રિમ એશિયા પર પણ ગહેરાયો છે. જ્યારે પુરા આફ્રિકામાં 900થી વધુ કેસો સામે આવ્યા છે, અને ત્યાં પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે. લેટિન અમેરિકામાં કયૂબા અને બોલિવિયા આ બન્ને દેશોએ પોતાની બોર્ડર બંધ કરી છે.

ચીનથી ત્રીજા દિવસે સારા સમાચાર આવ્યા છે કે શનિવાર સુધીમાં કોઈ નવો કેસ નોંધાયો નથી, જેથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશના કહેવા પ્રમાણે ચીનના વુહાનથી વિશ્વ માટે સારા સમાચાર છે અને તે આશાનું એક નવું કિરણ સમાન છે. પણ ચીનથી આવેલા લોકોમાં ચિંતા છે. હૉંગકોંગમાં શુક્રવારે 48 પોઝિટિવ કેસ સામે આવ્યા, જે અત્યાર સુધીમાં નોંધાયલા કેસોમાં સૌથી વધુ વધુ છે. જો કે આ કેસમાં સૌથી વધુ લોકો યુરોપથી આવ્યા હતા.

કોરોના વાયરસથી બચવા માટે આપણે સાવધાની રાખીએ. બહાર જઈને આવીને હાથ સાબુથી બરાબર ધોવા, મિત્રો સાથે હાથ મિલાવાના સ્થાને નમસ્તે કરીએ, આપને શરદી કે ખાંસી થઈ હોય તો રૂમાલ નાક કે મોં આગળ આડો રાખીએ, બને તો કામ ન હોય તો બહાર જવાનું ટાળો, હાલ કામ ઘરેથી કરો, અથવા તમારુ કામ મોબાઈલથી પતાવી દો. આપની થોડીક સાવધાની કોરોના વાયરસને ફેલાતો અટકાવી શકાય છે. કોરોના વાયરસ ચેનની જેમ ફેલાય છે, જેથી આ ચેન તોડવામાં આપ સાવચેતી રાખો, આપ સ્વસ્થ છો તો માસ્ક પહેરવાની જરૂર નથી. બહુ વધુ ભીડવાળી જગ્યાએ ન જવું, શરદી ખાસીવાળાએ જાતે જ કોરોન્ટાઈન થઈ જવું જોઈએ. આપ જેટલી સાવધાની રાખશો તો કોરોના પર કાબુ મેળવી લેવાશે.

Related Posts

Leave a Comment