તાલિબાનની અમેરિકાને ધમકી, ભારતે બેઠક બોલાવી

by Investing A2Z

ફઘાનિસ્તાનમાંથી 31 ઓગસ્ટ સુધી પોતાની સૈન્ય કાઢવાની વાત કહેનાર અમેરિકાની સામે હવે ધર્મ સંકટ ઉભું થયું છે. એક તરફ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઈડનએ સંકેત આપ્યો છે કે જો જરૂર પડી તો આ સમયમર્યાદાને વધારવા માટે વિચાર કરી શકીએ છીએ, ત્યારે તાલિબાને સ્પષ્ટ અને સાફ શબ્દોમાં કહ્યું છે કે અમેરિકી સેનાએ નક્કી કરેલ સમય મર્યાદામાં પાછુ જવું જ પડશે.

હવે અમેરિકા સામે મુશ્કેલી એ આવી છે કે તાલિબાનની ધમકીથી રોકાઈ જશે કે પોતાના મિત્રા દેશોની સલાહ માનશે. જો બાઈડનની સામે સૌથી મોટુ સંકટ સર્જાયું છે. જો બાઈડન જી-7 દેશોના દબાણમાં જો તેઓ કાબુલમાં પોતાના સૈનિકોને રોકે તો કાબુલ એરપોર્ટ પર તાલિબાનના પડકારનો સામનો કરવો પડી શકે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન તરફથી એવું નિવેદન આવ્યું છે કે 31 ઓગસ્ટ સુધી તેમનો પ્રયત્ન હશે તે તમામ અમેરિકી સૈનિકને પરત બોલાવી લેશે. પણ આ દાવાની વચ્ચે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસનનું કહેવું છે કે તે અમેરિકાને અપીલ કરશે કે લાંબા સમય સુધી સૈનિકોને કાબુમાં રાખવા જોઈએ.

બોરિસ જોનસને આ મામલે જી-7 દેશોની એક બેઠક બોલાવી છે, જેમાં પ્રસ્તાવ રાખવામાં આવશે કે અમેરિકી સૈન્યને લાંબા સમય સુધી કાબુમાં રાખવું જોઈએ, કારણ કે હજી સુધી રેસ્ક્યૂ ઓપરેશન સમાપ્ત થયું નથી.

અમેરિકાએ પહેલા 11 સપ્ટેમ્બર સુધીમાં તમામ સૈનિકોને પરત બોલાવી લેવાની વાત કરી હતી, તે પછી ડેડલાઈન 31 ઓગસ્ટ સુધી કરી નાંખી છે. તાલિબાનના વધતાં જતા દબાણને કારણે અમેરિકા 31 ઓગસ્ટ સુધી પોતાનું રેસ્ક્યૂ મિશન પુરુ કરવા તૈયાર છે. જો કે જો બાઈડને રવિવારે રહ્યું હતું કે જો જરૂર ઉભી થશે તો આ ડેડલાઈનને વધારી શકે છે. પણ દુનિયાભરમાં અમેરિકાની થઈ રહેલી ટીકાને પગલે જો બાઈડને સાફ કર્યું છે કે નક્કી કરેલી સમય મર્યાદામાં જ પોતાના સૈનિકોને પરત બોલાવવાનો નિર્ણય બિલકુલ યોગ્ય છે.

તાલિબાને સોમવારે સાફ કહી દીધું છે કે અમેરિકાએ 31 ઓગસ્ટ સુધી પોતાની સેનાને પરત બોલાવવી પડશે. તાલિબાનનું કહેવું છે કે 31 ઓગસ્ટ પછી જો અમેરિકાની સેના રોકાશે તો તેનું પરિણામ ભોગવવું પડશે. તાલિબાન પહેલેથી તમામ દેશો સાથે સારા સંબધોની તરફેણ કરતું આવ્યું છે, પણ અમેરિકાના મામલામાં તેણે સખત વલણ અખત્યાર કર્યું છે. અત્રે નોંધનીય છે કે કાબુલમાં હાલના સમયે 6 હજાર જેટલા અમેરિકી સૈનિક ઉપસ્થિત છે. તેમજ બ્રિટનના એક હજારથી વધુ સૈનિક હાજર છે. તે ઉપરાંત નાટો દેશના પોત પોતાના સૈનિક છે. જેનો હેતુ પોતાના નાગરિકોને બહાર કાઢી શકે. સાથે કેટલાક અફઘાની નાગરિકોને પણ રેસ્ક્યૂ કરી રહ્યા છે.

અફઘાનિસ્તાનની સતત બગડતી જતી સ્થિતિની વચ્ચે ભારત સરકાર દ્વારા સર્વપક્ષીય બેઠક બોલાવી છે, ભારત સરકારે 26 ઓગસ્ટે સવારે 11 વાગ્યે સર્વપક્ષીય બેઠક બોલાવી છે, જેમાં અફઘાનિસ્તાનના મુદ્દા પર ચર્ચા થશે. અફઘાનિસ્તાનમાં ભારતનું સૌથી મોટુ રોકાણ રહ્યું છે અને તે એક રણનીતિકાર સાથી છે. એવા ત્યાં તાલિબાનનું રાજ આવી જતાં ભારત માટે સૌથી મોટો પડાકર ઉભો થયો છે. હવે ભારત શું રણનીતિ અપનાવશે? તેના પર તમામ દેશ અને દુનિયાની નજર છે. આથી જ કેન્દ્ર સરકાર સર્વપક્ષીય બેઠકમાં મંથન કરશે.

ભારત તરફથી હજી સુધી સત્તાવાર રીતે કોઈ નિવેદન નથી કર્યું, પણ ભારતે સૌથી પહેલા અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા પર ફોક્સ કર્યું છે. અત્યાર સુધી 500થી વધુ ભારતીયોને અફઘાનિસ્તાનમાંથી સુરક્ષિત રીતે પરત લાવી દેવાયા છે. વિદેશપ્રધાન એસ જયશંકરે તાજેતરમાં કહ્યું હતું કે અફઘાનિસ્તાની તમામ ગતિવિધિ પર નજર છે. તેના પર ચર્ચા ચાલુ છે અને અમેરિકા અને અન્ય સંબધિત દેશોની સાથે સતત ચર્ચા ચાલુ છે. વિપક્ષો દ્વારા સતત માંગ થઈ રહી છે કે ભારત સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કરી દેવું જોઈએ. પણ ભારત સરકાર હાલ ‘થોભો અને રાહ જુઓ’ની નીતિ અખત્યાર કરી રહ્યું છે. અફઘાનિસ્તાન ભારત માટે ખૂબ મહત્વનું છે. અહીંયા સેંકડો પરિયોજનાઓમાં ભારતે અબજો રૂપિયાનું રોકાણ કર્યું છે. તે ઉપરાંત સામરિક અને ક્ષેત્રીય સ્થિતિ અનુસાર અફઘાનિસ્તાન ખૂબ જ મહત્વ ધરાવે છે. આથી જ હાલ ભારત આ વિષય પર સમજી વિચારીને પગલા ભરી રહ્યું છે.

Related Posts

Leave a Comment