અમેરિકી કોર્ટે ટેરિફ પર લગાવ્યો પ્રતિબંધ, પ્રેસિડેન્ટ ટ્રમ્પને મોટો ઝાટકો

by Investing A2Z

નવી દિલ્હી- અમેરિકાની ટ્રમ્પ સરકારને ફરી એક વાર કોર્ટનો મોટો ઝાટકો લાગ્યો છે. (Big blow to President Trump) કારણ કે અમેરિકાની કોર્ટ ઓફ ઈન્ટરનેશનલ ટ્રેડે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગાવેલ લિબરેશન ડે ટેરિફ પર પ્રતિબંધ મુક્યો છે. (US court bans tariffs) મૈનહૈટન સ્થિત ફેડરલ કોર્ટે ચૂકાદો સંભળાવતાં કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમના અધિકારોનો દુરઉપયોગ કર્યો છે અને એવું પગલુ ભર્યું છે કે જે અમેરિકાના બંધારણની વિરુદ્ધ છે. (Trump tariffs are against the constitution)

હકીકત એવી છે કે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા દેશોમાંથી આવતાં સામાન પર સમાન રૂપથી ટેક્સ લગાવવાનો આદેશ આપ્યો હતો. જે અમેરિકા પાસેથી ઓછો સામાન ખરીદે છે અને તેમને વધુ સામાન વેચે છે. આ પગલાને લિબરેશન ડે ટેરિફ કહ્યો હતો. ટ્રમ્પે એપ્રિલમાં જ તમામ દેશો પર ભારે ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી. પણ આ નિર્ણયની સામે અમેરિકાના વેપારીઓએ કોર્ટમાં પડકાર્યો હતો.

ટેરિફ વિરુદ્ધની અરજી પર સુનાવણી કરતાં કોર્ટ ઓફ ઈન્ટરનેશન ટ્રેડની ત્રણ જજોની બેન્ચે કહ્યું છે કે અમેરિકાના બંધારણ અનુસાર વિદેશી દેશોની સાથે વેપારને નિયંત્રિત કરવાનો અધિકાર માત્ર અમેરિકી કોંગ્રેસ પાસે છે. પ્રેસિડેન્ટ પાસે નથી. અદાલતે એ પણ સ્પષ્ટ કર્યું થે કે આ મામલો પ્રેસિડેન્ટ ઈમરજન્સી શક્તિમાં આવતો નથી.

Top Trending News

સેબીના પૂર્વ ચીફ માધબી પુરી બુચને મળી ક્લિનચીટ, હિંડનબર્ગે રીપોર્ટમાં લગાવ્યા હતા ગંભીર આરોપ

કોર્ટે કહ્યું છે કે ટ્રમ્પે જે ઈન્ટરનેશનલ ઈમરજન્સી ઈકોનોમીક પાવર્સ એક્ટ(IEEPA) અનુસાર ટેરિફ લગાવ્યો હતો તે કાયદો તેમને અસીમિત અધિકાર આપતો નથી. ( International Emergency Economic Powers Act) જજોએ તેમના ચૂકાદામાં લખ્યું છે કે પ્રેસિડેન્ટ દ્વારા લગાવેલ ટેરિફનો દાવો જેનો કોઈ સમય કે તેમના દાયરાની સીમા નથી. કાયદા દ્વારા અપાયેલ અધિકારથી તે વધુ આગળ વધે છે. આ ટેરિફ ગેરકાયદેસર છે. ટેરિફ લગાવવાનો અધિકાર માત્ર અમેરિકી બંધારણ અનુસાર માત્ર સંસદ એટલે કે કોંગ્રેસને જ છે. પ્રેસિડેન્ટ પાસે આ અધિકાર નથી. માત્ર અસાધારણ ઈમરજન્સીની સ્થિતિમાં પ્રેસિડેન્ટને સીમિત અધિકાર મળે છે. પરંતુ ટ્રમ્પના આ મામલમાં કોઈ કાયદેસર રીતે ઈમરજન્સી મામલો નથી.

ટ્રમ્પ પ્રશાસનની દલીલ હતી કે 1971માં તત્કાલીન પ્રેસિડેન્ટ રિચર્ડ નિક્સને ઈમરજન્સી અનુસાર ટેરિફ લગાવ્યો હતો. અને ત્યારે કોર્ટે તેને મંજૂરી આપી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ઈમરજન્સી જાહેર કરીને કાયદેસરતા નક્કી કરવી તે અદાલત નહી પણ કોંગ્રેસનો અધિકાર છે. પણ અદાલતે આ દલીલને નકારી કાઢી હતી.

Related Posts

Leave a Comment