Indian Postal Service: ભારત પાસે વિશ્વનું સૌથી મોટુ પોસ્ટલ નેટવર્ક છે

by Investing A2Z
Indian Postal Service

Indian Postal Serviceરાજપીપલા– Indian Postal Service ભારત પાસે વિશ્વનું સૌથી મોટુ પોસ્ટલ નેટવર્ક છે.(Postal Network) એમ કેન્દ્રીય સંચાર અને ઉત્તર-પૂર્વીય વિસ્તાર વિકાસપ્રધાન જ્યોતિરાદિત્ય માધવરાવ સિંધિયાની(Union Communications Minister Jyotiraditya Scindia) અધ્યક્ષતામાં ગુજરાતના સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં આવેલ એકતાનગર(Statue of Unity Ekta Nagar) SRP ગ્રાઉન્ડમાં ગ્રામીણ ડાક સેવક સંમેલનમાં કહ્યું હતું. જેમાં ગ્રામીણ વિસ્તારના તમામ ડાક સેવકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ડાક સેવક વિશ્વાસની બારી

કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઉપસ્થિત ગ્રામિણ ડાક સેવકોને(Rural Postman) પરિવારના સભ્યો ગણાવતા જણાવ્યું કે, એકતાનગરની આ ભૂમિ જ્યાં અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી સ્થાપિત છે. ભારત માતાના બંધોની શ્રૃંખલા પૈકીના સૌથી વિશાળ અને ભારતની વિશાળ જળ ક્ષમતા પ્રકૃતિની ધરોહર નર્મદા બંધના સાનિધ્યમાં આપણે સૌ ભેગા થયા છીએ. આજના આધુનિકતાના યુગમાં એકતાનું પ્રતિક એટલે આપ સૌ ગ્રામિણ ડાક સેવકો(Gramin Dak Sevak) છો. કોઈપણ વ્યક્તિ નાણાંથી ભાવના ખરીદી શકતો નથી પરંતુ ડાક સેવક દરેક વ્યક્તિ પરિવારની સદભાવના બની સામાન્ય માનવી માટે વિશ્વાસની બારી બનીને અડગ વિશ્વાસ સ્થાપિત કરે છે.

નાગરિકોને ઘર આંગણે સુવિધાઓIndian Postal Service

કેન્દ્રીય પ્રધાને વધુમાં ઉમેર્યું કે, ભારત દેશ પાસે વિશ્વનું સૌથી મોટું પોસ્ટલ નેટવર્ક છે.(Postal Network) તેના માધ્યમથી ડાક સેવકો દરેક સુવિધા ઘર સુધી પહોંચાડીને વ્યક્તિના જીવનમાં ખુશી લાવે છે. ડાક સેવા એ જન સેવા છે, જે પરિવારનમાં નવી નોકરી-પ્રગતિના સંદેશા પહોંચાડી રોશનીનું પ્રથમ કિરણ ફેલાવે છે. સાથે સુકન્યા સમૃદ્ધિથી વિધવા વૃદ્ધ પેન્શન સુધીની સુવિધા ઘર આંગણે પુરી પાડે છે. આવા સમયે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિચારધારા આમાં રહેલી છે કે, આધુનિકતા સાથે બદલાવ પણ એટલો જ જરૂરી છે.

ડાક સેવક ચેમ્પિયન

સૌ ગ્રામિણ ડાકસેવકોને વડાપ્રધાનના વિકસિત ભારત 2047ના સ્વપ્નને સાકાર કરવા સંકલ્પબદ્ધ બની ડાક વિભાગને લોજિસ્ટીક સંસ્થાના રૂપમાં પરિવર્તિત કરી સરકારના કો-સેન્ટર બનીને આર્થિક પરિવર્તનના માર્ગ પર દરેક ડાક સેવક ચેમ્પિયનના રૂપમાં કામ કરે અને દેશને નવી ઊંચાઈઓ પર લઈ જવા નવી ઉર્જા અને નવા વિચારો સાથે કામ કરી રાષ્ટ્રહિતમાં સહભાગી બને તેવી અપીલ કરી હતી.(Indian Postal Service)

ડાક સેવકોને પ્રોત્સાહિત કર્યા

કેન્દ્રિય પ્રધાનના હસ્તે પશ્ચિમ વિભાગના પાંચ રાજ્યોના વિવિધ મંડલના 25 જેટલા ગ્રામિણ ડાક સેવકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમણે નવા ખાતા ખોલવા, પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસી ઇશ્યૂ, આરપીએલઆઇ પ્રીમિયમ વસૂલી, ડીબિટી ટ્રાન્ઝેક્શન અને જવાબદાર ડાક લેખોની સમયસર ડિલિવરી જેવા ક્ષેત્રોમાં ઉત્તમ પ્રદાન કર્યું છે. તેમને ડાક વિભાગનો ડ્રોસકોડ પહેરાવી પ્રોત્સાહિત કર્યા હતા.

સિંધિયાએ સંવાદ કર્યો

આ કાર્યક્રમમાં ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ગ્રામિણ ડાક સેવકો સહભાગી બન્યા હતા.(Indian Postal Service) સિંધિયાએ અલગ આગવા અંદાજમાં મંચ પરથી નીચે આવી સભામંડપમાં ડાક સેવકો સાથે સંવાદ થકી કનેક્ટ થયા હતા. અને તેમને નાગરિક કેન્દ્રિત, આધુનિક ડાક નેટવર્ક માટે વધુ કાર્યક્ષમ બનવા પ્રેરિત કર્યા હતા.

Indian Postal Serviceનાગરિક કેન્દ્રીય સેવાનું મુખ્ય કેન્દ્ર

આ સંમેલનનો મુખ્ય હેતુ ગ્રામિણ ડાક સેવકો (GDS)ની સેવા ભાવના અને સમર્પણનો ઉત્સવ મનાવવાનો તથા ગ્રામિણ ભારતમાં ડાક, બેન્કિંગ અને વીમા સેવાઓના વિસ્તરણમાં તેમના મહત્વપૂર્ણ યોગદાનને માન્યતા આપવાનો હતો. જે ડાક વિભાગને ગ્રામિણ વિસ્તારમાં સરકારની પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે અને શાસનના પ્રવેશ દ્વાર તરીકે મજબૂત બનાવવામાં મદદરૂપ થઈ રહ્યો છે, જેથી દરેક ડાકઘર નાગરિક કેન્દ્રિત સેવાઓનું મુખ્ય કેન્દ્ર બની શકે.

ચીફ પોસ્ટમાસ્ટર જનરલની ઉપસ્થિતિ

આ પ્રસંગે મંજુ કુમાર, સભ્ય (પર્સોનેલ), પોસ્ટલ સર્વિસ બોર્ડના ગણેશ સવાલેશ્વરકર- ચીફ પોસ્ટમાસ્ટર જનરલ, ગુજરાત વર્તુળ સહિત પોસ્ટલ સર્વિસીસ ગુજરાત(Indian Postal Service) અને પશ્ચિમ ક્ષેત્રના અધિકારીઓ હાજર રહ્યા હતા.

Top Trending News

Stock Market India: આગામી સપ્તાહે નિફ્ટી 26,000 ક્રોસ કરશે કે નહી?

સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત

જ્યોતિરાદિત્ય સિંધિયાએ ડાક સેવક સંમેલન બાદ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત કરી અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પી હતી. સ્ટેચ્યુ ઓફ યૂનિટીની વ્યૂઈંગ ગેલેરીથી સરદાર સરોવર નર્મદા ડેમ તથા સાતપુડા ગિરીમાળા અને નર્મદા નદીનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી અંગે જાણો

  • સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે, જે 182 મીટર (597 ફૂટ) ઊંચી છે.
  • તે ગુજરાતના કેવડિયામાં નર્મદા નદી પર સરદાર સરોવર ડેમ પાસે સ્થિત છે.
  • આ પ્રતિમા ભારતના “લોખંડી પુરુષ” અને રાષ્ટ્રીય એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ છે.
  • તેનું ઉદઘાટન 31 ઓક્ટોબર 2018ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.
  • આ સ્થળ ભારતની એકતા, શક્તિ અને ગૌરવનું પ્રતીક બની ગયું છે, જે એક મુખ્ય પ્રવાસી આકર્ષણ બની ગયું છે.

You will also like

Leave a Comment