ગુજરાતમાં 29 મેના રોજ સિવિલ ડિફેન્સની “ઓપરેશન શિલ્ડ” મોકડ્રીલ મુલતવી રખાઈ

by Investing A2Z

ગાંધીનગર- ઓપરેશન શીલ્ડ અન્વયે 29 મેના રોજ યોજાનારી મોક ડ્રીલ વહીવટી કારણોસર મુલતવી રાખવામાં આવી છે. આ માટેની નવી તારીખ સરકાર આગામી દિવસોમાં જાહેર કરશે. રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર રીતે જાહેર કર્યા પછી મોડી રાત્રે 10 વાગ્યે સંદેશ પાઠવીને મોક ડ્રીલ મુલતવી રાખવાની જાહેરાત કરી છે. 

ભારત સરકારના ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર ગત  7 મે, 2025ના રોજ દેશના સંવેદનશીલ વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકોની સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી અને મૂલ્યાંકન કરવા માટે નાગરિક સંરક્ષણ કવાયત (સિવિલ ડિફેન્સ મોકડ્રીલ – Civil Defence mock drill) હાથ ધરવામાં આવી હતી. જેના આધારે દેશના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં નાગરિક સંરક્ષણની વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવામાં આવી છે.

મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની (PM Narendra Modi) પ્રેરણાથી ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા દુશ્મન દેશના હૂમલા સામે નાગરિક સંરક્ષણની તૈયારીઓને વધારવા માટે દેશના પશ્ચિમી સરહદને અડીને આવેલા રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના તમામ જિલ્લાઓમાં નાગરિક સંરક્ષણ કવાયત “ઓપરેશન શિલ્ડ”નું (Operation Shield mock drill) આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે. (Mock drill to be held again in Gujarat)

ભારત સરકારના આદેશ તેમજ મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના (Gujarat CM Bhupendra Patel) માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં આવતીકાલ 29 મે, ગુરુવારના રોજ સાંજે પાંચ કલાકે ફરી એક વાર નાગરિક સંરક્ષણ કવાયત હાથ ધરવામાં આવશે. ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ દુશ્મન દેશ તરફથી થતા કોઈપણ સંભવિત હૂમલા સામે ટક્કર ઝીલવા આગોતરી તૈયારીના ભાગરૂપે ગુજરાતના દરેક જિલ્લામાં મોકડ્રીલનું આયોજન થશે.(Mock drill in a village near the Pakistan border)

ઓપરેશન શિલ્ડ મોકડ્રીલ સંદર્ભે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિએ (Additional Chief Secretary, Revenue Department Dr. Jayanti Ravi) આજે ગુજરાતના તમામ જિલ્લા કલેકટરો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોકડ્રીલ અન્વયે કરવામાં આવેલી તૈયારીઓની વર્ચ્યુઅલ સમીક્ષા કરી હતી. સાથે જ, તેમણે મોકડ્રીલના સફળ અમલીકરણ માટે તમામ જિલ્લા કલેકટરોને જરુરી સૂચનાઓ આપી હતી.

Top Video News

સેન્સેક્સ અને નિફ્ટી ઘટ્યા, સેબી ચેરમેનનું મોટુ નિવેદન આવ્યું

વધુમાં ડૉ. જયંતી રવીએ કહ્યું હતું કે, આ કવાયત દરમિયાન નાગરિક સુરક્ષાને લગતી સ્થાનિક પ્રશાસનની સુસજ્જતા, NCC, NSS, ભારત સ્કાઉટ એન્ડ ગાઇડ જેવા યુવા વોલીન્ટીયર્સની સેવાઓ લેવાની, દુશ્મનના વિમાની અને મિસાઇલ હુમલા સંદર્ભે એરફોર્સ અને નાગરિક સુરક્ષા કંટ્રોલ રુમ વચ્ચે હોટલાઇન ઉભી કરવાની, એર રેપિડ સાયરન કાર્યરત કરવાની, સંપૂર્ણ અંધારપટ કરી નાગરિકો અને તેમની જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરવા જેવી વિવિધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ ઉપરાંત સંભવિત હૂમલા બાદ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે મેડિકલ ટીમ અને રકતદાન સંદર્ભે જરુરી કાર્યવાહી કરવા તેમજ સંભવિત યુદ્ધની પરિસ્થિતિમાં બોર્ડર વિંગના હોમ ગાર્ડ્સ, આર્મ્ડ વિંગના જવાનોનું તાત્કાલિક ડીપ્લોયમેન્ટ કરવા સંદર્ભે જરુરી એક્શન પ્લાન બનાવવા સંદર્ભે પણ જિલ્લા કલેકટરોને જરુરી સૂચનાઓ આપવામાં આવી છે. સાથે જ આ કવાયત દરમિયાન જરુરી તમામ વિભાગો અને સ્ટેકહોલ્ડર્સ દ્વારા સમયસર સંકલન બાબતે પણ કલેકટરોને માહિતગાર કરવામાં આવ્યા છે.

Related Posts

Leave a Comment