સરકારી સંસ્થાઓને પુરી પાડવામાં આવતી સેવામાં કરચોરી, ગુજરાત GST વિભાગની કાર્યવાહી

by Investing A2Z

ગાંધીનગર– ગુજરાત રાજ્ય જીએસટી વિભાગે (GST Department Gujarat) સરકારી સસ્થાઓને પુરી પાડવામાં આવતી સેવાઓ પુરી પાડતાં કરદાતાઓને ત્યાં દરોડા પાડ્યા હતા અને કરચોરી પકડી પાડી છે. સરકારમાં સેવાઓ પુરી પાડતાં ચાર કરદાતા હતા, કે જેઓએ કરચોરી કરી છે.

સરકારી સંસ્થાઓને પૂરી પાડવામાં આવતી સેવાઓમાં કરવેરા પાલનને મજબૂત બનાવવા અને કરચોરીને રોકવાના સતત પ્રયાસોના ભાગ રૂપે, ગુજરાત રાજ્ય GST વિભાગ (Gujarat State GST Department raids) દ્વારા 9 જૂન, 2025ના રોજ દાહોદ અને વેરાવળ ખાતે આવેલા ચાર કરદાતાઓ વિરુધ્ધ તપાસ હાથ ધરવામાં આવી હતી. (GST tax evasion caught in Dahod and Veraval) જેઓ રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા સહાયતા પ્રાપ્ત યોજનાઓ જેમકે મનરેગા (MGNREGA) સહિતની વિવિધ સરકારી યોજનાઓ હેઠળ કામો હાથ ધરતા હતા.

આ તપાસ દરમિયાન ઘણી ગેરરીતિઓ મળી આવી હતી. જેમ કે કરપાત્ર સેવાઓને ખોટી રીતે કરમુક્ત તરીકે વર્ગીકૃત કરવી, બેંક ખાતામાં મળેલ રકમની તુલનામાં ટર્નઓવર ઓછું દર્શાવવું તેમજ ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC)નો અનઅધિકૃત અને અયોગ્ય લાભ લેવો. આ ચાર કરદાતાઓ દ્વારા ઇરાદાપૂર્વક કરચોરી અને સરકારી ભંડોળનો દુરુપયોગ કરવાના ઉદ્દેશ્યથી આચરવામાં આવેલ ગેરરીતીઓ તરફ નિર્દેશ કરે છે.

Top Video News

સેન્સેક્સમાં 1046 પોઈન્ટનો ઉછાળો, આગામી સપ્તાહે શેરબજારમાં તેજી આગળ વધશે

પ્રાથમિક ચકાસણી અનુસાર, ઉક્ત 4 કરદાતાઓની કુલ જવાબદારી વેરો, વ્યાજ અને દંડ સહિત રૂપિયા ૪૫ કરોડથી વધુ છે. રાજ્ય GST વિભાગ દ્વારા સરકારી આવકના રક્ષણ અને વસુલાત માટે જરૂરી તમામ યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ તપાસ ગુજરાત રાજ્ય GST વિભાગની વ્યાપક અને સુનિયોજિત નીતિનો એક ભાગ છે. જેનો હેતુ સરકારી વિભાગોને સેવાઓ આપતી એજન્સીઓમાં કરવેરાને લગતી કાયદાકીય જોગવાઈઓની જવાબદારી અને પારદર્શકતા સુનિશ્ચિત કરવાની છે.

Related Posts

Leave a Comment