સોમનાથ, ગોલોકધામ, ભાલકા તીર્થ, સહિત સમગ્ર પ્રભાસ તીર્થના દર્શન કરી એસ. સોમનાથે ધન્યતા વ્યક્ત કરી
ઈસરોના ચેરમેન એસ સોમનાથે કહ્યું હતું કે હું સોમનાથ મહાદેવને પ્રાર્થના કરું છું કે આગામી પ્રોજેક્ટ અને મીશન માટે અમને શક્તિ અને સફળતાના આશીર્વાદ આપે. તેઓએ આ તકે દેશના વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઇ મોદીનો આભાર પ્રગટ કર્યો હતો.