સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, તંત્રને કરાયું એલર્ટ

by Investing A2Z

ગાંધીનગર– ગુજરાતમાં આગામી બે દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેથી ગુજરાત સરકારે સમીક્ષા કરીને જરૂરી રાહત બચાવ કામગીરી અંગે તંત્રને એલર્ટ કર્યું છે. (Heavy rains forecast in Saurashtra, Kutch and Central Gujarat)

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે રાહત કમિશનર આલોકકુમાર પાંડેએ આગામી સમયમાં રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીની (Met department predicts heavy rains in Gujarat) માહિતી આપતાં જણાવ્યું હતું કે, આજે મંગળવારે સાંજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (Gujarat CM Bhupendra Patel) SEOC ગાંધીનગરમાં IMDના અધિકારીઓ, NDRF, SDRF, અન્ય વિભાગો તેમજ વરસાદથી પ્રભાવિત જિલ્લાના કલેકટરો સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાઈને ત્યાં થયેલી રાહત -બચાવ અને અન્ય કામગીરીની સમીક્ષા કરી હતી. (Gujarat government on alert mode)

રાહત કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, અરબ સાગરમાં લો પ્રેસરની (Low pressure in Arabian Sea) સ્થિતિના કારણે આગામી બે દિવસોમાં ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના ક્ષેત્રમાં વરસાદની સ્થિતિ જોવા મળશે. અત્યાર સુધીમાં બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં અને ત્યારબાદ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં સૌથી વધુ વરસાદ જોવા મળ્યો હતો.

  • મુળી તાલુકાના નાયકા ડેમના ત્રણ દરવાજા બે ફૂટ ખોલાયા
  • નીચાણવાળા વિસ્તારોને સાવધાની રાખવા તાકીદ
  • ધોળીધજા ડેમ 0.05 ફૂટના લેવલથી ઓવરફ્લો થયો
  • ગૌતમગઢ, કૂકડા, શેખપર સહિતના ગામોમાં નદી પટમાં પ્રવેશ બંધ
  • લીંબડી તાલુકાના શિયાણી પાસે પેટ્રોલ પંપ પાસેના રસ્તે પાણીની આવક ખુબજ વધારે છે, જેથી હાલ લીંબડીથી લખતર જતો રસ્તો બંધ કર્યો છે

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના થોરીયાળી ગામ પાસે આવેલો થોરીયાળી ડેમ 100 ટકા ભરાઈ ગયો છે. જેથી ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવતા જુના જસાપર, નવા જસાપર, થોરીયાળી, મોટા કેરાળા, વડીયા, સમઢીયાળા, જુની મોરવાડ, નવી મોરવાડ, વસ્તડી ગામના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા તથા માલમિલકતને સલામત સ્થળે ખસેડી લેવા સૂચના આપવામાં આવી છે.

રાહત બચાવની કામગીરીની વિગતો આપતાં પાંડેએ જણાવ્યું હતું કે, અત્યારસુધીમાં 12 NDRF ની ટીમ વરસાદી સ્થિતિમાં નાગરિકોને સલામત સ્થળે ખસેડવા અને આપત્તિના સમયે નાગરિકોના બચાવ માટે જુદા જુદા જિલ્લાઓમાં મોકલવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના 20 જિલ્લાઓમાં SDRF ની ટીમો પણ ડિપ્લોય કરવામાં આવી છે.

છેલ્લા ઘણા સમયથી વરસાદ ચાલુ છે. ત્યારે વીજળી પડવાથી, વાવાઝોડાનાં કારણે તથા અન્ય કેટલાક કારણોથી રાજ્યમાં 18 જેટલા નાગરીકોના મૃત્યુ થયા છે. આ ઉપરાંત વરસાદમાં કાચા મકાનો અને પાકા મકાનોને નુકશાન થયું છે. તેની ગ્રાન્ટ જિલ્લા કલેક્ટરનો ફાળવવામાં આવી છે તેમ રાહત કમિશનરે ઉમેર્યું હતું.

અત્રે ઉલેખ્ખનીય છે કે, ગુજરાતમાં ચોમાસાની સ્થિતિ સંદર્ભે રાહત કમિશનર આલોક પાંડેની અધ્યક્ષતામાં SEOC- ગાંધીનગરમાં ‘વેધર વોચ ગ્રુપ’ની બેઠક યોજાઈ હતી. જેમાં ભારતીય હવામાન વિભાગના અધિકારી દ્વારા બેઠકમાં આગામી અઠવાડિયા દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાને રાખી આગાહીવાળા જિલ્લાઓમાં પશુપાલન, ઊર્જા, કૃષિ, CWC, માર્ગ અને મકાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પંચાયત, જી.એમ.બી., શહેરી વિકાસ વિભાગ, સિંચાઈ, સરદાર સરોવર નિગમ, NDRF અને SDRF વગેરે વિભાગોના અધિકારીઓને પણ તકેદારીના પગલાં લેવા સૂચિત કરાયા છે.

Related Posts

Leave a Comment