અમદાવાદ- ગુજરાતમાં આગામી ત્રણ ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. (Heavy Rain Forecast in Gujarat) આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ છે. (Heavy Rain in Saurashtra) અમદાવાદમાં પણ વરસાદ શરૂ થયો છે. હજી મંગળવારે વરસાદની હેલી રહેશે, એમ હવામાન વિભાગ જણાવી રહ્યું છે. આજે રાજ્યના 195 તાલુકમાં વરસાદ વરસ્યો છે.
ગુજરાતના સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદના અહેવાલ મળી રહ્યા છે. પાલીતાણામાં 11 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેસર અને શિહોરમાં 10 ઈંચ વરસાદ આવ્યો છે. ગઢડામાં છેલ્લા બે કલાકમાં 3 ઈંચ વરસાદ વરસ્યો છે. સાવરકુંડલામાં 9 ઈંચ અને મહુવામાં 8 ઈંચ વરસાદના રીપોર્ટ છે.
વરસાદી સીસ્ટમ લો પ્રેશરમાં ફેરવાઈ
અરબી સમુદ્ર પાસે ખંભાતના અખાતમાં સર્ક્યુલેશન સીસ્ટમ સર્જાઈ છે. જે લૉ પ્રેશરમાં ફેરવાશે. (Meteorological Department predicts rain in Gujarat) પવનની ગતિ સાથે વરસાદ પડશે. સીસ્ટમે અત્યારે જ લૉ પ્રેશર કે વેલમાર્ક લૉ પ્રેશર જેટલી મજબૂતી પકડી લીધી છે. આ સીસ્ટમ આગામી 12 કલાકમાં ઉતર, ઉતર પશ્ચિમ દિશા તરફ આગળ વધી મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ઉતર ગુજરાતના બનાસકાંઠાની વચ્ચે પાટણ આસપાસના વિસ્તારમાં પહોંચશે. આજે સોમવારે રાત્રે અને કાલે સવાર સુધી ભાવનગર, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ, પાટણ, પૂર્વ કચ્છ, આણંદ અને ખેડા જિલ્લાના ઘણા વિસ્તારોમાં ભારે અને અમુક સ્થળે અતિભારે વરસાદ પડી શકે છે.
ગુજરાત સરકાર સર્તક બની
ગુજરાતના મુખ્યપ્રધાન ભપેન્દ્ર પટેલે (Gujarat CM Bhupendra Patel) સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદને ધ્યાને લેતાં નાગરિકોના જાનમાલની રક્ષા અંગે પગલાં લેવા અંગે જરૂરી સૂચનાઓ આ વિસ્તારોના જિલ્લા કલેક્ટરોને આપી છે.
મુખ્યપ્રધાને સૂચના જાહેર કરી
https://x.com/Bhupendrapbjp/status/1934610075479683423
હવામાન વિભાગની આગાહીને અનુલક્ષીને જરૂર જણાય ત્યાં તાત્કાલિક અસરથી લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવા અને વરસાદને કારણે ભરાયેલા પાણીના ઝડપી નિકાલ તેમજ વીજ અને ખાદ્ય પુરવઠો, આરોગ્ય અને જીવનરક્ષક દવાઓ સહિતની બાબતોમાં પૂરી સતર્કતા અને અગમચેતી સાથે સજ્જ રહેવાના જરૂરી દિશાનિર્દેશ પણ આપ્યા છે.
મુખ્યપ્રધાને નાગરિકોને ભારે વરસાદમાં રાખવાની સાવધાની, તેમજ નદી-નાળાના વહેતા અને ભયજનક પાણીમાંથી પસાર ન થવા અંગેની સૂચનાઓ પણ અવારનવાર નાગરિકોને સંબંધિત જિલ્લા તંત્ર દ્વારા આપવામાં આવતી રહે તેવી તાકીદ પણ કલેક્ટરોને કરી છે.
અમરેલીમાં 22 લોકોનું રેસ્ક્યૂ કરાયું
(Many People Rescued due to heavy rain in Saurashtra)
અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વિકટર ગામ પાસે પીપાવાવ ધામમાં GWSSBના પાણીના સંપની કામગીરી ચાલુ હતી તે સ્થળે ભારે વરસાદને કારણે ફસાયેલા તમામ 22 માણસોને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા સલામત રીતે રેસ્કયૂ કરવામાં આવ્યું છે. આ તમામની પ્રાથમિક શાળામાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
તલગાજરડામાં 38 વિદ્યાર્થીઓને બચાવાયા
વધુમાં સમાચાર મળી રહ્યા છે કે મહુવાના તલગાજરડા ગામ નજીક રાતોલ-તલગાજરડા રોડ ઉપરથી જતા મોડેલ હાઈસ્કૂલના અંદાજિત 38 જેટલા વિદ્યાર્થીઓને સલામત રીતે બચાવી લેવાયા છે.
વિગત એવી છે કે આજે બપોરે આશરે 1:00 કલાકે ભાવનગરના મહુવા તાલુકાના તલગાજરડા ગામ નજીક રાતોલ-તલગાજરડા રોડ ઉપરથી જતા મોડેલ હાઈસ્કૂલના અંદાજિત 38 જેટલા વિદ્યાર્થીઓ અચાનક રૂપાવ નદીમાં આવેલા જળસ્તર અને પુરના પ્રવાહમાં ફસાઈ ગયા હતા. આ તમામ બાળકોને સમયસર સહી સલામત રીતે બચાવી લેવામાં આવ્યા છે. ઉપરવાસના ભારે વરસાદને કારણે જળપ્રવાહ ખૂબ તેજ હોવાથી રોડ ક્રોસ કરતી વેળાએ તેમને નદીના બાજુના એક ખાનગી મકાનમાં આશ્રય લેવા મજબૂર થવું પડ્યું હતું.
આ ઘટના અંગે તાત્કાલિક તાલુકા તંત્રને જાણ થતા, મહુવા ફાયર ટીમ, પ્રાંત અધિકારી, મામલતદાર તથા સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચીને ગામ લોકોના સહયોગથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
Top Trending News
અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ DNA પ્રોફાઈલીંગ ઝડપથી કરવા FSL કેવી રીતે કામ કરે છે?
વધુમાં ફાયર ટીમે બોટ દ્વારા શાળાના બાળકો સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને ટ્રેક્ટર દ્વારા પાણીમાં પ્રવેશ કરીને અંદાજે 50 મીટર દૂર ફસાયેલા બાળકો સાથે સંપર્ક કરવામાં આવ્યો. વરસાદ ધીમો પડતા અને પાણીનો પ્રવાહ ઘટતા સુરક્ષિત રીતે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્થળ પર માનવ સાંકળ (Human Chain) બનાવી તમામ બાળકોને સલામત રીતે બહાર લાવવામાં આવ્યા. ઘટનામાં કોઈપણ બાળકને ઇજા કે જાનહાની થઇ નથી. તમામ બાળકો સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે.
જામનગરમાં એરફોર્સ સ્ટેન્ડબાય
ઉલ્લેખનીય છે કે,સાવચેતીના ભાગરૂપે જામનગર એરફોર્સની ટીમને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી હતી. જરૂર પડે તો સ્થિતિમાં એર લિફ્ટિંગની તૈયારીઓ પણ રાખવામાં આવી હતી. જામનગરથી હેલિકોપ્ટર પણ રવાના કરવામાં આવ્યું છે.
ફીફાદ ગામે પાંચ મુસાફરોને રેસ્કયૂ કરાયા
ખાનગી બસમાં સવાર હતા તેવા પાંચ મુસાફરોને સાવરકુંડલાના ફીફાદ ગામેથી રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. આ નાગરિકો સુધી પહોંચવા વહીવટી તંત્ર દ્વારા એકથી વધુ માર્ગે રેસ્ક્યુ પ્રયાસો કરવામાં આવ્યા હતા.