કોરોના વાયરસને હરાવીને સાજા થયેલા દર્દીઓને શારિરીક થાક અને Weakness રહે છે. કોરોના નેગેટિવ આવ્યા પછી એકથી બે મહિના સુધી અશક્તિ રહે છે, પોસ્ટ કોવિડ પછી આવા દર્દીઓ ડૉકટરો અને ડાયેટીશિયનોની સલાહ લઈ રહ્યા છે. ડૉકટરો પણ પોસ્ટ કોવિડની સારવારને ખૂબ અગત્યતા આપી રહ્યા છે.
મોટાભાગના ડોકટરોને ત્યાં Corona નેગેટિવ થયા પછી દર્દીઓ બતાવવા આવતાં હોય છે, ત્યારે તેમની એક જ ફરિયાદ હોય છે કે અશક્તિ આવી ગઈ છે. થોડુક ચાલીએ તો શ્વાસ ચઢે છે. કોરોના વાયરસ ( Virus )ની સામે લડવામાં શરીરની તમામ તાકાત ખલાસ થઈ જાય છે, આથી જ શારિરીક થાક અને શ્વાસ ચઢે છે. Post Covid માં શરીરમાં પહેલા જેવી ઉર્જા રહેતી નથી. ત્યારે આવી સ્થિતિમાં ડૉકટરો પોસ્ટ કોવિડમાં દર્દીઓને આરામ કરવાની સલાહ આપે છે, તેની સાથે Multi vitamins અને Minerals ની ટેબલેટ આપે છે, જે બપોરે જમ્યા પછી એક ગોળી લેવાની હોય છે. તેમજ યોગ્ય ગરમ ખોરાક લેવાની સલાહ પણ આપે છે.
- સવારે ગરમ નવેશેકા પાણીમાં લીંબુ નીચોવીને લેવું જોઈએ
- સંતરા, મોસંબી, પાઈનેપલ, સફરજન જેવા ખાટા ફળ વધુ ખાવા જોઈએ
- લીંબુ પાણી પીવું, તે વધારે એનર્જિ આપે છે
- દિવસમાં ત્રણ ચાર લીટર પાણી પીવું જોઈએ, નારિયેળ પાણી પી શકાય
- બપોરે પેટભરીને પોષ્ટિક ભોજન લેવું જોઈએ
- સાંજે હળવું જમવું જોઈએ, ખીચડી, દૂધ કે પછી દાળભાત પણ લઈ શકાય
- આર્યવૈદિક ઉકાળો પીવો જોઈએ, ચા કે દૂધમાં આદુ, તુલસીના પાન, ફૂદીનો નાંખીને લઈ શકાય
- ઘરમાં રહીને સવારે યોગા, પ્રાણાયામ, કપાલભાતિ, ભસ્રીકા પ્રાણાયામ કરવા
- ફેફસા મજબૂત કરવા હળવી કસરત કરવી જોઈએ
- દેશી ઈંડા દૂધમાં મિલાવીને પી શકાય, તેમજ બોઈલ્ડ ઈંડુ પણ ખાઈ શકાય
- ફણગાવેલા તમામ કઠોળ ગુણકારી છે, મગનું પાણી પણ ઉત્તમ આહાર છે
- રાત્રે સુતી વખતે હળદરવાળું દૂધ લેવું જોઈએ