અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ માટે DNA સેમ્પલ લેવાનું શરૂ

by Investing A2Z

અમદાવાદ- અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન તૂટી પડ્યું છે, જેમાં બે પાયલોટ, 12 કેબિન ક્રૂ મેમ્બર સહિત કુલ 242 મુસાફરો સવાર હતા. અને સમાચાર મળ્યા છે તે મુજબ 105 મુસાફરોના મોત થયા છે. પણ સત્તાવાર જાહેરાત થઈ નથી.

ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ જણાવ્યા અનુસાર, અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ માટે તેમના સગાઓના DNA સેમ્પલ લેવા અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા વ્યવસ્થા કરાઈ છે. 50 ઇજાગ્રસ્તોની સારવાર સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે. તમામ દર્દી સ્ટેબલ છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કસોટી ભવનમાં DNA સેમ્પલ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મૃતકના નજીકના સગા (માતા પિતા અથવા બાળકો) DNA સેમ્પલ આપી શકશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના કસોટી ભવનમાં આ DNA સેમ્પલ લેવાની વ્યવસ્થા કરાઈ છે. બી.જે. મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પર આ કસોટી ભવન આવેલું છે.

સગા – સ્નેહીજનોને આ કસોટી ભવન ખાતે DNA સેમ્પલ આપવા સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. અમદાવાદ પ્લેન દુર્ઘટનાને પગલે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ટ્રોમા (ઇમરજન્સી) સેન્ટરમાં દર્દીલક્ષી સારવાર સંબંધિત માહિતી મેળવવા સંપર્ક કરવા માટેના બે ફોન નંબર હોસ્પિટલ તંત્રે જાહેર કર્યા છે તે આ મુજબ છે. (1) 6357373831(2) 6357373841

અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્રે જણાવ્યું છે કે, જે પ્રવાસી / હતભાગીનો મૃતદેહ અત્રે છે તે મૃતદેહ DNA મેચ થયા પછી પરિવારને – સગાને સોંપવામાં આવશે.

બીજે મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પર PSM વિભાગ પાસે આવેલા કસોટી ભવન ખાતે DNA સેમ્પલ લીધા બાદ રિપોર્ટ આવતા ઓછામાં ઓછા ત્રણ દિવસનો સમય લાગશે.

મૃતકોના સ્વજનો આ અંગેની વધુ માહિતી કંટ્રોલ રૂમના ફોન નંબર પરથી મેળવી શકશે.

Top Trending News

અમદાવાદમાં પ્લેન ક્રેશની 10 મિનીટની પુરી જાણકારી, પ્લેન ઉડ્યુ અને ક્રેશ થયું

રાજ્ય સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. આ કંટ્રોલ રૂમના ફોન નં. 079-232-51900 અને મોબાઈલ નં. 9978405304 ઉપર સંબંધિતો સંપર્ક કરી શકશે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહે પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરીને આ વિમાન દુર્ઘટનામાં બચાવ – રાહત કામગીરી માટે NDRFની ટીમો અને કેન્દ્ર સરકારની સંપૂર્ણ મદદની ખાતરી આપી હતી.

For any queary related to medical emergency in plane crash incident

108 emergency control room no- 07935082111

Related Posts

Leave a Comment