અમદાવાદમાં પ્લેન ક્રેશની 10 મિનીટની પુરી જાણકારી, પ્લેન ઉડ્યુ અને ક્રેશ થયું

by Investing A2Z

અમદાવાદ– અમદાવાદથી લંડન જઈ રહેલ એર ઈન્ડિયાનું બોઈંગ ડ્રીમલાઈનર વિમાનું મોટુ એરક્રાફટ હતું. તે અમદાવાદના એરપોર્ટ પરથી ટેકઓફ થયું અને તેની 10 મિનીટમાં ક્રેશ થઈ ગયું હતું. કહેવાઈ રહ્યું છે આ એરક્રાફટ 11 વર્ષ જૂનું હતું. આ વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા. જેમાં 230 પેસેન્જર, 2 પાયલટ સહિત 12 ક્રુ મેમ્બર હતા.

અમદાવાદમાં બનેલ પ્લેન ક્રેશ દુર્ઘટનાએ અત્યાર સુધીની સૌથી મોટી દુર્ઘટના છે. પ્લેનમાં સવાર લોકોની સુરક્ષા માટે દેશના લોકો પ્રાર્થના કરી રહ્યા છે. પણ દુર્ઘટના ભયાનક હતી. વિમાન તૂટી પડતાની સાથે આગની જ્વાળાએ તેને લપેટી લીધી હતી અને ઘૂમાડાના ગોટેગોટા દૂર સુધી જોઈ શકાતા હતા.

આ એર ઈન્ડિયાનું બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાન મોટુ એરક્રાફ્ટ છે. ગુરુવારે બપોરે 1 વાગ્યેને 30 મિનીટે તે ટેકઓફ કરવા માટે રનવે પર હતું. સેટેલાઈટ ઈમેજના આધાર પર બપોરે 1.39 કલાકે રનવે પર છેલ્લા તબક્કામાં હતું. 1.39 કલાકે પ્લેન ટેકઓફ કરી ચુક્યું હતું. સમુદ્ર તળથી 625 ફૂટ ઉપર જતાં પ્લેને પોતાનું સિગ્નલ ગુમાવી દીધું હતું. એરપોર્ટ સમુદ્ર તલથી અંદાજે 200 ફૂટ ઉપ છે એટલે કે પ્લેન એરપોર્ટથી લગભગ 400 ફૂટ સુધી ઉડ્યું હતું. અંદાજિત 8-9 મિનીટ સુધી પ્લેનનું સિગ્નલ એક્ટિવ રહ્યું હતું. અને 1.40 કલાકે પ્લેન ક્રેશ થઈ ગયું હતું.

તેની વર્ટિકલ સ્પીડ જોઈએ તો પ્લેન 400 ફૂટ પ્રતિ મિનીટની સ્પીડથી નીચે પડ્યું હતું. તે દરમિયાન પાયલોટ પાસે કંઈ પણ કરવા માટેનો એક મિનીટનો સમય પણ નહોતો.

Top Trending News

અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ, 242 મુસાફરો હતા, અનેકના મોત

આ એર ઈન્ડિયાના વિમાનમાં બ્રિટનના 53 લોકો, પુર્ટુગલના 7 અને કેનડાનો એક નાગરિક સવાર હતા. પણ આ દુર્ઘટનામાં પાયલોટ પાસે ફક્ત એક મિનીટ કરતાં પણ ઓછો સમય હતો. આટલા ટૂંકા સમયમાં તે શું કરી શકે. જો કે પ્લેન ક્રેસની તપાસ થશે પછી સાચી હકીકત બહાર આવશે. પણ હાલ તો જે મુસાફરોના મૃત્યું થયું છે, તેમને શ્રદ્ધાજંલિ… પરમાત્મા તેમના આત્માને સદ્દગતિ આપે.

Related Posts

Leave a Comment