વસતી ગણતરી 2021 – પ્રથમ વખત મોબાઇલ એપનો ઉપયોગ કરાશે

by Investing A2Z

ભારતની વસતી ગણતરી ૨૦૨૧ના પડઘમ વાગવાનો શુભારંભ થઇ ગયો છે. વસતી ગણતરી ૨૦૨૧એ ૧૮૭૨થી સળંગ શૃંખલામાં ૧૬મી અને આઝાદી પછીની ૮મી વસતી ગણતરી છે. ગુજરાતમાં આ વસતી ગણતરીનો શુભારંભના પ્રથમ તબક્કો એપ્રિલ-૨૦૨૦થી શરૂ થશે અને સપ્ટેમ્બર-૨૦૨૦ સુધી ચાલશે.

રાજ્યના ૩૩ જિલ્લાના ૨૫૧ તાલુકાઓમાં વસતી ગણતરીની કામગીરી હાથ ધરાશે. ગુજરાતમાં સૌ પથ્રમવાર વસતી ગણતરી માટે મોબાઇલ એપ્લિકેશનનો પણ ઉપયોગ કરવામાં આવનાર છે એમ, વસતી ગણતરી કચેરીના નાયબ નિયામક ડૉ. સંચિતા સરકાર દ્વારા જણાવાયું છે.

ભારતની વસતી ગણતરી વિશ્વની એકમાત્ર વિશાળ વહીવટી કવાયત છે. ભારતની વસતી ગણતરી અંતરાય વિના અવિરત પણે દર દસ વર્ષે નિર્ધારિત સમયપત્ર અનુસાર સંપન્ન કરવામાં આવે છે, એટલુ જ નહીં પુર, રોગચાળો, કૂદરતી આફતો, રાજકીય અશાંતિ જેવી વિકટ પરિસ્થિતિમાં પણ અંતરાય વિના વસતી ગણતરીની કામગીરી સફળ રીતે પૂર્ણ થઇ છે.

આગામી ૨૦૨૧ની વસતી ગણતરીમાં આ વખતે પ્રથમ વખત માહિતી એકત્રિત કરવા મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરાશે. વસતી ગણતરીના પ્રથમ તબક્કામાં ઘરયાદીકરણની સાથે રાષ્ટ્રીય વસતી પત્રક(NPR)ની માહિતી અદ્યતન કરવાની ક્ષેત્રીય કામગીરી પણ કરાશે. વસતી ગણતરી ૨૦૨૧ની ક્ષેત્રીય કામગીરીનું સંચાલન, દેખરેખ પર સેન્સેસ ૨૦૨૧ના CMMS પોર્ટલ દ્વારા કરાશે. જેથી વસતી ગણતરીમાં એકત્રિત માહિતીના પરિણામ ઝડપની પ્રસિદ્ધ કરી શકાશે.

Related Posts

1 comment

Swapnil Thakkar 14 - December - 2019 - 6:19 PM

Very good initiative by Indian Government. This action will eliminate many problems like double or duplicate entry or missing entries and such like that.

Reply

Leave a Comment