અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ 198 મૃતદેહ પરિવારજનોને સોંપાયા, જાણો લેટેસ્ટ અપડેટ

by Investing A2Z

અમદાવાદ- અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં (Ahmedabad Plane Crash 2025) 19 જૂનના રોજ સાંજે 5.45 વાગ્યા સુધીમાં 215 મૃતકોનાં ડીએનએ (DNA) સેમ્પલ મેચ થયા છે. (DNA sample testing after plane crash in Ahmedabad) જેમાંથી 198 પરિવારોને તેમના સ્વજનોના પાર્થિવ દેહ સોંપાવામાં આવ્યા છે. (Air India flight crashes in Ahmedabad)

વધુ વિગતો આપતા ડો.રાકેશ જોશીએ (Dr. Rakesh Joshi) જણાવ્યું હતું કે, પાંચ પરિવારો વહેલી સવાર સુધી સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે, ત્રણ પરિવારો સાથે તંત્ર સંપર્કમાં છે, જ્યારે નવ પરિવારો બીજા સ્વજનના ડીએનએ મેચની રાહ જોઈએ રહ્યા છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, 198 મૃતકો કે જેમના પાર્થિવ દેહ પરિવારોને સોંપાયા છે. તેમાં 149 ભારતના નાગરિક, સાત પોર્ટુગલના, 32 બ્રિટિશ નાગરિક, એક કેનેડિયન તેમજ નવ નોન- પેસેન્જરનો સમાવેશ થાય છે. 15 જેટલા પાર્થિવ દેહને હવાઈ માર્ગે, જ્યારે 193 જેટલા દેહોને સડક માર્ગે તેમના નિવાસસ્થાને પહોચાડવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા છ દર્દીઓમાંથી એક ને ટૂંક સમયમાં રજા આપવામાં આવશે, જ્યારે બાકીના પાંચ દર્દીઓનું આરોગ્ય સ્થિર છે, એમ ડો.જોશીએ જણાવ્યું હતું.

અત્રે નોંધનીય  છે કે 12 જૂન, 2025ના રોજ અમદાવાદમાં એર ઈન્ડિયા બોંઈગ ક્રેશ થયું હતું. અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભરીને તેના 10 જ મીનીટમાં તે મેઘાણીનગરના ઘોડા કેમ્પ પાસે આવેલ બી જે મેડિકલ કોલેજની હોસ્ટેલ પર ક્રેશ થયું હતું. જેમાં 270 લોકોના નિધન થયા હતા. એર ઈન્ડિયાનું બોઈંગ ડ્રીમલાઈનર અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. તેમાં 10 ક્રૂ મેમ્બર સહિત બે પાયલોટ હતા, તે મળીને કુલ 242 લોકો વિમાનમાં હતા. ખાસ વાત એ છે કે આ જ ફલાઈટમાં ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી હતા, તેઓ લંડનમાં તેમની દીકરીને મળવા જતા હતા અને તેમના પત્ની અંજલીબહેન પણ લંડનમાં હતા. વિજયભાઈ રૂપાણીનું આ ફ્લાઈટમાં નિધન થયું છે.

Top News

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કયાં કેટલો વરસાદ પડ્યો?

એર ઈન્ડિયાની ફ્લાઈટ જે જગ્યાએ ક્રેશ થઈ ત્યાં બી જે મેડીકલ હોસ્ટેલના કેટલાક ઈન્ટર્ન ડૉકટર અને વિદ્યાર્થીઓ મેસમાં જમી રહ્યા હતા, ત્યારે ઉપરથી ફ્લાઈટ તૂટી પડી હતી. તેમજ હોસ્ટેલની આજુબાજુમાં રસ્તા પર અવરજવર કરતાં લોકો સહિત કુલ 29 લોકોના મોત થયા હતા. 242 મુસાફરોમાંથી એક જ મુસાફર રમેશ વિશ્વાસકુમાર જીવીત બહાર નીકળ્યા હતા.

Related Posts

Leave a Comment