નર્મદા સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલાયા, અદભૂત નજારો જૂઓ

by Investing A2Z

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી ઉપર આવેલા સરદાર સરોવર ડેમમાં પાણીનો ધરખમ વધારો થઇ રહ્યો છે. સરદાર સરોવર નર્મદા ડેમ સાંજે 5 કલાકે પાણીની સપાટી 137.32 મીટર, મહત્તમ સપાટી 138.68 મીટર પાણીની આવક 12,90,689 ક્યુસેક છે. સાંજે 5 કલાકે 23 દરવાજા 560 મીટર સુધી ખોલી તેમજ રિવરબેડ પાવરહાઉસમાંથી કુલ 9,45,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

ઈન્દીરા સાગર ડેમના 12 દરવાજા 10 મીટર સુધી ખોલાયા છે અને સીઝનમાં પ્રથમ વાર કેવડીયા ખાતે આવેલા સરદાર સરોવરના 10 દરવાજા બપોરે 12 કલાકે 1.40 મીટર સુધી ખોલી રિવરબેડ પાવર હાઉસમાંથી કુલ 1,45,000 પાણી નદીમાં છોડવામાં આવ્યુ હતુ. બપોરે 1 વાગ્યે ડેમની પાણીની સપાટી 136.36 મીટર થઇ છે. પાણીની આવક 9,16,895 ક્યુસેક છેલ્લા ત્રણ કલાકમાં પાણીની સરેરાશ આવક 8,11,340 ક્યુસેક છે. નદીમાં કુલ પાણીની જાવક 1,42,166 ક્યુસેક છે. છેલ્લા એક કલાકમાં ડેમની સપાટીમાં 25 સે.મી.નો વધારો જોવા મળી રહ્યો છે.

ડેમમાં પાણીની વિપુલ આવક સામે સરદાર સરોવર નર્મદા નિગમ લીમીટેડ તરફથી સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને ડેમમાં પાણીની સપાટી જળવાઇ રહે અને પુરની અસરને ખાળવા સતત નર્મદા નિગમ દ્વારા સાવચેતી અને પાણીના જળસ્તર પર નજર રાખવામાં આવી રહી છે. ભરૂચ સહિતના નીચાણવાળા વિસ્તારને પુરની અસર ન થાય તે માટે સતત વહીવટી તંત્ર દ્વારા મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.

સરદાર સરોવર નર્મદા ડેમના પૂર નિયંત્રણ કક્ષ ખાતેથી મુખ્ય ઈજનેર કાનુન્ગો અને સમગ્ર ઈજનેરી ટીમ સતત મોનીટરીંગ અને દેખરેખ રાખી રહી છે. સરદાર સરોવર ડેમનો પ્રાકૃતિક નઝારો અને ડેમના દરવાજા ખોલાતા આહલાદક વાતાવરણ નજારાને જોવા માટે સહેલાણીઓ અને લોકો પણ પાણીના પ્રવાહને જોઇને આનંદિત બની સેલ્ફી અને પ્રાકૃતિક નજારો પુલકિત બની હોંશથી આનંદ લઇ રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા પણ સાવધાની અને સલામતીની પુરતી કાળજી રાખવા માટે સબંધિત વિભાગોને સૂચના આપીને અગમચેતીના પગલા ભરવામાં આવી રહ્યાં છે.

સરદાર સરોવર નર્મદા ડેમ સાંજે 5 કલાકે પાણીની સપાટી 137.32 મીટર, મહત્તમ સપાટી 138.68 મીટર પાણીની આવક 12,90,689 ક્યુસેક છે. સાંજે 5 કલાકે 23 દરવાજા 560 મીટર સુધી ખોલી તેમજ રિવરબેડ પાવરહાઉસમાંથી કુલ 9,45,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. એક કલાકમાં પાણીની સપાટીમાં 25થી 32 સે.મી.નો વધારો નોંધાઇ રહ્યો છે. પાણીની વિપુલ આવક સામે સતત સરદાર સરોવર નર્મદા નિગમ લી. તરફથી સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યુ છે. ડેમમાં પાણીની સપાટી જળવાઈ રહે અને પુરની વધારે અસર ખાળવા સતત નર્મદા નિગમ દ્વારા સાવચેતીપૂર્વક પ્રયાસ કરવામાં આવે છે. ભરૂચ નર્મદા વડોદરા સહિત નીચાણવાળા ગામોના વિસ્તારોને પુરની વધુ અસર ન પડે તે માટે સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

Related Posts

Leave a Comment