
ચામડું સંબંધીને વેચ્યું
પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે અજય પટેલે આ ચામડું સુરેશભાઈ કાશીનાથ ભાઈ વંજારા, ઉંમર 41 વર્ષ, રહે માલઘર, કાસદા ફળિયું તા.કપરાડા જી. વલસાડ, રહે. કપરાડા પાસેથી વેપાર હેતુસર મેળવ્યું હતું. વધુ પૂછપરછ કરતાં સુરેશભાઈએ સ્વીકાર્યું કે આ ચામડું તેણે પોતાના સંબંધી માલઘર ગામના ઈહદર ફળીયામાં રહેતા સીતારામ વળવી પાસેથી વેચાણ માટે લાવ્યું હતું.
ગેરકાયદે શિકાર
આ રીતે ત્રણેય વ્યક્તિઓએ મળીને વન્યજીવ દીપડાનો ગેરકાયદેસર રીતે શિકાર કરી તેના ચામડાનું વેચાણ કરવાનો ગુનો આચર્યો છે. સુરેશભાઈની વધુ તપાસ દરમિયાન તેની પાસે રહેલા થેલામાંથી પોટલામાં બાંધેલા પક્ષી અને પ્રાણીના હાડકાં પણ મળ્યા હતા. પૂછપરછમાં તેણે જણાવ્યું કે હાડકાં દુડો (રેવી દેવી ઘુવડ – Barn Owl, Tyto alba) ના છે, જે પણ અનુસૂચિ–1 હેઠળ સંરક્ષિત પ્રજાતિ છે.
પુરાવા મળ્યા
આ રીતે આરોપીઓએ વન્યજીવોનો શિકાર, વેચાણ અને તાંત્રિક વિધી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનો પુરાવો મળ્યો છે. વન વિભાગે વલસાડ ઉત્તર ગુનો નોંધ્યો છે અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. હાલ બંને મુખ્ય આરોપીઓના જામીન અરજીઓ વલસાડ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે.
Top Trending News
Stock Market India: સેન્સેક્સ 297 પોઈન્ટ ઘટ્યો, બજારમાં સુધારો આવશે કે કેમ?
Forest Department ની અપીલ
ગુજરાત વન વિભાગ, વલસાડ ઉત્તર તરફથી જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ વન્યજીવના શિકાર, ચામડાનું વેચાણ, વન ઉપજના ગેરકાયદેસર કાપકામ અથવા વાહન વ્યવહાર અંગે માહિતી ધરાવતી હોય, તો તે તાત્કાલિક નજીકની વન કચેરી અથવા હેલ્પલાઇન નંબર 1926 પર જાણ કરે. આપની એક માહિતી અનેક જીવ બચાવી શકે છે.