મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતાં રોકાણકારો માટે સારા સમાચાર છે. હવે મ્યુચ્યુઅલ ફંડમાં (Mutual Fund Investment) રોકાણ કરતાં પહેલા તમે જોખમના રંગથી ઓળખી શકશો. સેબીએ મ્યુચ્યુઅલ ફંડની યોજનાઓમાં જોખમનું સ્તરને વધુ સારી રીતે દર્શાવવા માટે એક રંગની યોજના લાગુ કરવાની દરખાસ્ત આપી છે. સેબીનું સૂચન છે કે જોખમના છ સ્તરો માટે કલર કોડિંગ થશે.
જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં (Mutual Fund Investment) રોકાણ કરતાં હોય તો કયા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું અને કયુ મ્યુચ્યુઅલ ફંડ સૌથી શ્રેષ્ઠ વળતર આપશે? તે પ્રશ્ન સૌને સતાવતો હોય છે. તો હવે આપની આ સમસ્યા દૂર થવાની છે. સેબીએ મ્યુચ્યુઅલ ફંડની યોજનાઓના જોખમના સ્તર નક્કી કરીને તેને એક કલર એટલે કે રંગ દર્શાવવાની દરખાસ્ત રજૂ કરી છે. જેને કારણે રોકાણકાર ખૂબ સરળતાથી તે ફંડના જોખમને જાણી શકશે. એટલે કે કયા ફંડમાં રોકાણ કરવું તે પોતાની જાતે જ નક્કી કરી શકશે.
સેબીએ સૂચન કર્યું છે કે મ્યુચ્યુઅલ ફંડની હાલની અને નવા સ્તરના જોખમો એવી રીતે દર્શાવવા જોઈએ જેથી સરળતાથી જાણી શકાય. સૂચનમાં એવું કહેવાયું છે કે જોખમને છ સ્તરમાં કલર કોડિંગ કરવા જોઈએ. જેમાં લીલો રંગ ઓછુ જોખમ અને લાલ રંગ સૌથી વધુ જોખમવાળી મ્યુચ્યુઅલ ફંડની યોજના માટે હોઈ શકે છે. સેબીએ તેના માટે રોકાણકારો પાસેથી 18 ઓકટોબર સુધીમાં અભિપ્રાય મંગાવ્યો છે.
તેમાં એમ પણ કહેવાયું છે કે જો મ્યુચ્યુઅલ ફંડના જોખમના સ્તરમાં કોઈ ફેરફાર કરાય તો તેની સૂચના રોકાણકારોને તરત મળી જશે. આવી સૂચના નોટિસ કે ઈમેઈલ કે એસએમએસના માધ્યમથી આપવાની રહેશે. તેનો ફાયદો રોકાણકારોને જ મળશે. આને કારણે રોકાણકારોને સમય સમય પર જોખમના જે સ્તર છે તેમાં કોઈ ફેરફાર થાય તો તેની જાણકારી મળતી રહેશે.
હવે હું તમને જણાવું કે 6 રંગમા ઉપયોગની દરખાસ્ત કરી છે કે શું સુચવે છે…
(1) લીલો- ઓછુ જોખમ
(2) લાઈટ લીલો પીળો- ઓછાથી મધ્યમ જોખમ
(3) ચમકદાર(હેવી) પીળો- મધ્યમ જોખમ
(4) લાઈટ વાદળી- મધ્યમથી વધુ જોખમ
(5) હેવી નારંગી- ઊંચું જોખમ
(6) લાલ- સૌથી વધુ ઊંચુ જોખમ
મોટાભાગના રોકાણકારો હાલના સમયમાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી રહ્યા છે. અને ખાસ કરીને એસઆઈપી દ્વારા જંગી રોકાણ થઈ રહ્યું છે. કારણ કે નાની રકમનું રોકાણ કરીને લાંબાગાળા માટે મોટું ફંડ બનાવી શકાય છે. તે રોકાણ પર વાર્ષિક 15-20 કા જેટલું રીટર્ન મળે છે. તેમ છતાં મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ જોખમ ભરેલું હોય છે. જરૂરી નથી કે આટલું વધુ રીટર્ન મળે. એટલા માટે નિષ્ણાતો મ્યુચ્યુઅલ ફંડમાં લાંબાગાળાનું રોકાણ કરવાની સલાહ આપતા હોય છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે મ્યુચ્યુઅલ ફંડની યોજના પર કલર કોડિંગ હશે તો રોકાણકારો સરળતાથી રોકાણ કરવા માટેની પસંદગી કરી શકશે. રોકાણકારને કોઈની સલાહ પર વિશ્વાસ મુકવો નહી પડે અને તે જાતે જ નિર્ણય લઈને રોકાણ કરી શકશે.