નવી દિલ્હી– ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધથી દુનિયાભરમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. (War between Iran and Israel) કારણ કે કાચા તેલ(ક્રૂડ ઓઈલ) Crude oil prices ના ભાવમાં ઉછાળો આવ્યો છે, અને આગામી દિવસોમાં પણ ભાવ વધુ વધી શકે છે. જેથી વિશ્વના સ્ટોક માર્કેટ (World Stock Market) પર તેની વિપરીત અસર પડશે. જો બન્ને દેશો વચ્ચે યુદ્ધ વધ્યું તો ગ્લોબલ સપ્લાયની ચેન પર નેગેટિવ અસર પડશે અને ગ્લોબલ સ્તર પર મોંઘવારી વધવાનો ખતરો વધી જશે. તેને કારણે કેટલાક દેશોની ઈકોનોમી (Global Economy) મંદીમાં સપડાઈ જશે.(Impact on Indian business war between Iran and Israel)
જો ભારતની વાત કરીએ તો બન્ને દેશોની સાથે ભારતનો સૌથી મોટો બિઝનેસ છે. (India Business) તે કેટલીય ચીજવસ્તુઓ આ બન્ને દેશોથી આયાત કરે છે. અને બીજી તરફ જો ગ્લોબલ સપ્લાય ચેનને અસર થાય તો ભારત પર પણ તેની અસર જોવા મળી શકે છે. ભારતમાં ક્રૂડ ઓઈલની સપ્લાયને અસર થશે તો ભાવ વધુ વધે અને તેને કારણે મોંઘવારી વધી શકે છે. જો કે ભારત મોટી માત્રામાં ક્રૂડ ઓઈલ ઈરાનથી મંગાવતું નથી, પણ સપ્લાય ચેન પર અસર થાય તો આયાત નિકાસ મોંઘી બની શકે છે. (India Export Import)
ઈરાન દુનિયાભરમાં કાચા તેલનું 3 ટકા ઉત્પાદન કરે છે. પણ ઈરાન અને મિડલઈસ્ટના રસ્તેથી કેટલીય ચીજો ભારત આવે છે. જો આ સપ્લાય ચેન બંધ થાય તો ભારત પર તેની બહુ મોટી અસર જોવા મળી શકે છે. ભારતની નિકાસ પર પણ વિપરીત અસર પડી શકે છે અને નિકાસ ખર્ચ પણ વધી શકે છે.
ઈરાન ઈઝરાયલ વચ્ચે યુદ્ધની શરૂઆત થતાં જ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ 8 ટકા ઉછળીને 78 ડૉલર સુધી પહોંચી ગયો હતો.
ક્રૂડ ઓઈલની વાત કરીએ 85 ટકા હિસ્સો ભારત આયાત કરે છે. આપણે ભલે ઈરાનથી સીધી આયાત ન કરતાં હોઈએ પણ સંઘર્ષ વધે તો ક્રૂડ ઓઈલના ભાવામાં હજી વધુ ઉછાળો આવે તો આયાત ખર્ચ વધી જાય તેમ છે. વૈશ્વિક તેલનો લગભગ 20 ટકા હિસ્સો હોર્મુજ જલડમરુ મધ્યથી આવે છે. જે ઉત્તરમાં ઈરાન અને દક્ષિણમાં અરબ સમુદ્રની વચ્ચે સ્થિત છે. આ સંજોગોમાં શિપમેન્ટ અટકી જાય અને આયાત અટકી શકે છે.
પાકિસ્તાનની એરસ્પેસ ભારત માટે પહેલેથી જ બંધ છે અને હવે ઈરાનની એરસ્પેસ બંધ થશે તો ફ્લાઈટનો ખર્ચ પણ વધુ વધશે. જેની સીધી અસર ભારતીય એરલાઈન્સ કંપનીઓ પર પડશે અને મુસાફરોની ટિકિટ મોંઘી થશે.
ઈઝરાયલની સાથે બિઝનેસની વાત કરીએ તો ભારતે નાણાકીય વર્ષ 2025માં ઈઝરાયલને 2.1 અબજ ડૉલરની ચીજો નિકાસ કરી હતી, જ્યારે 1.6 અબજ ડૉલરની આયાત કરી હતી. તેમજ ઈરાનને ભારતે 1.2 અબજ ડૉલરની નિકાસ કરી હતી અને 441.9 મિલિયન ડૉલરની ચીજો આયાત કરી હતી. એટલે કે ઈરાન અને ઈઝરાયલ બન્ને દેશોની સાથે ભારતનો કુલ 5 અબજ ડૉલરનો વેપાર ધરાવે છે.
Top Video News
( ઈરાન ઈઝરાયલ યુદ્ધને કારણે સોનાના ભાવમાં ઉછાળો)
ભારત ઈઝરાયલને હીરા, જ્વેલરી, કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ અને એન્જિનિયરીંગનો સામાન સપ્લાય કરે છે. અને ઈઝરાયલથી ભારત મોટી માત્રામાં સૈન્ય હથિયારો આયાત કરે છે. ઈઝરાયલ ભારતનું 32મું સૌથી મોટુ બિઝનેસ પાર્ટનર અને એક અગ્રણી ડીફેન્સ સપ્લાયર છે.
ઈઝરાયલની સાથે ભારત ઈરાનની સાથે પણ વેપાર કરે છે. ઈરાનથી ક્રૂડ ઓઈલ સહિત સુકો મેવો, કેમિકલ અને કાંચના વાસણો ભારત આવે છે. તેમજ ભારતથી બાસમતી ચોખા, ચા, કોફી અને ખાંડ ઈરાન જાય છે.
જો યુદ્ધ લાંબુ ચાલશે તો ભારતના આ બન્ને દેશોના બિઝનેસ પર વિપરીત અસર પડી શકે છે. ગ્લોબલ માર્કેટનું સેન્ટિમેન્ટ ખરડાશે અને ભારતીય શેરબજાર પણ આ કારણે ઘટી શકે છે.