નવી દિલ્હી- જો તમે કેન્દ્રીય કર્મચારી (Central Employees) છો, તો તમારે UPS (Unified Pension Scheme) અથવા NPS (National Pension System) પસંદ કરવાનું રહેશે. તેની છેલ્લી તારીખ 30 જૂન છે. બંને નિવૃત્તિ પછી પૈસા મેળવવા માટેની યોજના છે.
તમે કેન્દ્રીય કર્મચારી છો, તો આ સમાચાર તમારા માટે જાણવા ખૂબ જરૂરી છે. (News for Central Government Employees) પહેલી એપ્રિલ, 2025ના રોજ કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓ માટે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) નામની નવી પેન્શન યોજના શરૂ કરી છે. આ યોજના નિવૃત્તિ પછી કર્મચારીઓને નિશ્ચિત પેન્શન આપવાનું વચન આપે છે. આ યોજના કર્મચારીઓને NPS એટલે કે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમથી અલગ થવાનો વિકલ્પ આપે છે. NPSમાં પેન્શનની રકમ નિશ્ચિત નથી હોતી. તે નિવૃત્તિ સમયે જમા થયેલા પૈસા અને ખરીદેલી વાર્ષિકી પર આધારિત પર હોય છે.
NPSમાં જમા રકમનું રોકાણ સિક્યુરિટીઝ અને શેરબજારમાં ફંડ મેનેજરો દ્વારા થાય છે. NPSમાં તમારુ પેન્શન યોજનામાં તમારી કુલ રકમમાંથી કેટલી રકમ રોકાણ કરો છો તેના પર નિર્ભર છે. બીજુ તમે નોકરી બદલો છો તો એનપીએસ ટ્રાન્સફર કરવાની કોઈ જરૂર રહેતી નથી. નવા બજેટ અનુસાર જો કોઈ કર્મચારી NPSમાં રોકાણ છે તો તેને 13.7 લાખ સુધીની વાર્ષિક આવક સુધી કોઈ ટેક્સ ચુકવવાનો આવતો નથી. NPSમાં જ્યારે તમે 60 વર્ષના થાઓ છો તો 60 ટકા રકમ ટેક્સ મુક્ત ઉપાડી શકાય છે. અને બાકીના 40 ટકા રકમ પેન્શનમાં વપરાય છે, જે તમને દર મહિને નિશ્ચિત પેન્શનના રૂપમાં આવક આપે છે, પણ તે બજાર સંલગ્ન વૃદ્ધિની તક પુરી પાડે છે.
હવે કેન્દ્રીય કર્મચારીઓએ બે યોજનાઓમાંથી એક પસંદ કરવાની રહેશે. તેની છેલ્લી તારીખ 30 જૂન છે.
Top News
India GDP અનુમાન કરતાં વધ્યો, માર્ચ ત્રિમાસિકગાળામાં જીડીપી ગ્રોથ 7.4 ટકા રહ્યો
UPSમાં સરકારી કર્મચારીઓને માસિક પેન્શન તરીકે છેલ્લા 12 મહિનાના તેમના સરેરાશ બેઝીક પગારના 50 ટકા મળશે. પરંતુ આ માટે કર્મચારીઓએ ઓછામાં ઓછા 25 વર્ષની નોકરી પુરી કરવી પડશે. બીજી બાજુ NPS માં નિવૃત્તિ પછી મળતી રકમ જમા કરાયેલા નાણાં અને વાર્ષિકી પર આધાર રાખે છે. પરંતુ UPS સરકારી કર્મચારીઓને વધુ ખાતરી (નિશ્ચિતતા) આપે છે.
UPS માટે કેવી રીતે અરજી કરી શકાય?
UPS માટે અરજી કરવી ખૂબ જ સરળ છે. યોગ્ય કર્મચારીઓએ ફોર્મ A2 અથવા ફોર્મ A1 ભરીને તેમના ઓફિસ કે હેડ અથવા DDO ને આપવાનું રહેશે. તમે આ ફોર્મ ઑનલાઈન અને ઑફલાઈન બંને રીતે જમા કરી શકો છો. આ ફોર્મ પ્રોટેક્શન CRA વેબસાઇટ પર ઉપલબ્ધ છે. ફોર્મ જમા કર્યા પછી તમને નોડલ ઓફિસમાંથી રસીદ મળશે. આ રસીદ તમારી પાસે સુરક્ષિત રાખો. આ તમારા ફોર્મ જમા કર્યાનો પુરાવો છે.
ફોર્મ A2 એવા કર્મચારીઓ માટે છે જે પહેલાથી જ કેન્દ્ર સરકારમાં કાર્યરત છે. ફોર્મ A1 એવા નવા કર્મચારીઓ માટે છે, જેઓ 1 એપ્રિલ, 2025 ના રોજ અથવા તે પછી નોકરીમાં જોડાયા છે.
જો છેલ્લી તારીખ પૂરી થઈ ગઈ હોય તો શું?
જે કર્મચારી NPS માંથી UPS માં સ્વિચઓવર કરવા માંગતા હોય તો તેઓ 30 જૂન, 2025 સુધીમાં કરી શકશે. જો સરકાર સમયમર્યાદા લંબાવે છે, તો વધારાનો સમય મળી શકે છે. જો તમે 30 જૂન, 2025 સુધીમાં UPS પસંદ નહીં કરો, તો તમે NPS માં જ રહેશો. એટલે ખૂબ સતર્ક રહીને બેમાંથી ગમે એક વિકલ્પ પસંદ કરી લેજો.
આ સરકારી કર્મચારીઓ UPS પસંદ કરી શકે છે…
- 1 એપ્રિલ, 2025ના રોજ NPS હેઠળ આવરી લેવામાં આવેલા વર્તમાન કેન્દ્ર સરકારના કર્મચારીઓ.
- 31 માર્ચ, 2025 પહેલા નિવૃત્ત થયેલા કર્મચારીઓ, જેમણે 10 વર્ષની સેવા પુરી કરી હોય.
- ફંડામેન્ટલ્સ રુલ્સ 56( J ) હેઠળ નિવૃત્ત થયેલા કર્મચારીઓ.
- UPS માટે વિકલ્પનો ઉપયોગ કરતા પહેલા નિવૃત્ત થયેલા મૃત કર્મચારીઓના કાયદેસર રીતે પરિણીત જીવનસાથી.
શું તમે NPS માં પાછા જઈ શકો છો?
પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) જણાવે છે કે એકવાર તમે UPS પસંદ કરી લીધા પછી તમે NPS માં પાછા જઈ શકતા નથી. UPS અને NPS બન્નેના ફાયદા અને ગેરફાયદા આપની સમક્ષ છે, માટે હવે આપનો આ નિર્ણય અંતિમ રહેશે.
Top Video News