પહેલી ઓકટોબરથી મોબાઈલ બિલ, ઓટીટી સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પેમેન્ટ અથવા આવી કોઈપણ સેવાઓની ચુકવણી માટે ડેબિટ કે ક્રેડિટ કાર્ડ પર ઓટો ડેબિટ સુવિધાના નિયમોમાં ફેરફાર કરાયો છે. ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નવી સુરક્ષાના ઉપાયો અમલમાં મુક્યા છે.
તમે તમારા પોતાના મોબાઈલ બિલ, ઓટીટી સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પેમેન્ટ, વીજળીનું બિલ, વીમાની રકમ, જેવા અનેક પેમેન્ટ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર ઓટો ડેબિટ સુવિધાનો ઉપયોગ કરો છે, તો આરબીઆઈના નવા નિયમોને કારણે આપને પહેલી ઓકટોબરથી કેટલીક લેવડદેવડમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. એક્સિસ અને એચડીએફસી સહિત કેટલીય બેંકોએ પોતાના ગ્રાહકોને ઓટો ડેબિટ ચુકવણી માટેના નવા નિયમોમાં ફેરફાર અંગેની માહિતી ગ્રાહકોને આપી છે.
ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આરબીઆઈએ કાર્ડથી થતી ચુકવણી માટે નવા સુરક્ષાના ઉપાયોને અપનાવ્યા છે. એચડીએફસી બેંકે પોતાની વેબસાઈટ પર લખ્યું છે કે 1 ઓકટોબરથી એચડીએફસી બેંક ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ પર મર્ચેન્ટ વેબસાઈટ અથવા એપ પર આપવામાં આવેલ સ્થાયી નિર્દેશને ત્યાં સુધી મંજૂરી નહી આપે જ્યાં સુધી તે આરબીઆઈના નવા નિયમોની પ્રક્રિયા અનુસાર ન હોય.
રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ઑનલાઈન લેવડદેવડ પર ઈ-જનાદેશ માટે એક રૂપરેખા જાહેર કરી છે. જેમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, યુપીઆઈ અને અન્ય પ્રીપેડ ચુકવણીના સાધનો(પીપીઆઈ) પર રૂપિયા 5000થી ઓછી રકમની લેવડદેવડ માટે એડિશનલ ફેકટર ઓફ ઓથેંટિકેશનને ફરજિયાત કરી દીધા છે. આ નિર્દેશ તમામ ચુકવણી પર લાગુ થાય છે કે જે પહેલા મોબાઈલ, ઉપયોગિતા, અન્ય બિલોની સાથે સાથે ઓટીટી સ્ટ્રીમિંગ સેવાઓ જેવી માટેની ચુકવણી ગ્રાહકોના કાર્ડ(ક્રેડિટ, ડેબિટ અને પ્રીપેડ)થી ઓટોમેટિક ડેબિટ થઈ જતા હતા.
બેંક લેવડદેવડ પહેલા ગ્રાહકને એસએમએસ અને ઈમેલ દ્વારા એક સુચના મોકલશે. એક મેન્ડેટ ડેબિટ થશે તેના 24 કલાક પહેલા બેંકો દ્વારા ગ્રાહકોને જાણ કરશે. જેમાં ગ્રાહકોની પાસે ચુકવણીમાં ફેરફાર અને કેન્સલ કરવા માટે પર્યાપ્ત સમય હશે. જો કે ગ્રાહકોએ એવું ધ્યાન રાખવું પડશે કે તેનો હાલનો મોબાઈલ નંબર તેના ડેબિટ કે ક્રેડિટ કાર્ડ સાથે લીંક થયેલ છે. કારણ કે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર જ તેનો મેસેજ મળશે. આ ફેરફારનો અમલ પહેલી ઓકટોબરથી થશે.