RBI: બેંક લોન લેનારા માટે ગુડ ન્યૂઝ, રેપો રેટમાં 50 બેસીસ પોઈન્ટનો ઘટાડો

by Investing A2Z

નવી દિલ્હી- રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની આજે શુક્રવારે એમપીસીની બેઠક (RBI MPC Meeting)  પૂર્ણ થઈ છે. RBI ની એમપીસીની બેઠકમાં સર્વાનુમતે રેપો રેટમાં (Repo Rate) 50 બેસીસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. અને 50 બેસીસ પોઈન્ટના ઘટાડા પછી રેપો રેટ 5.50 ટકા થયો છે. એટલે કે હવે હોમ લોન, કાર લોન, પર્સનલ લોનના (Home Loan Car Loan EMI ) ઈએમઆઈમાં ઘટાડો થશે. લોન લેનારાઓને ફાયદો થશે. જો કે GDP ગ્રોથ પર ફોક્સ કરતાં આરબીઆઈ વ્યાજ દરમાં વધુ ત્રીજી વખત ઘટાડો કર્યો છે.

RBI તમામ જાહેરાતનું એનાલિસીસ માટે જૂઓ વીડિયો….

રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની એમપીસીની બેઠકનું આઉટકમ આવી ગયું છે. ફરી ત્રીજી વખત રેપો રેટમાં ઘટાડો આવ્યો છે. રેપો રેટમાં 50 બેસીસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે અને હવે રેપો રેટ 6 ટકાથી ઘટીને 5.50 ટકા પર આવી ગયો છે. નોંધનીય છે કે અગાઉની એમપીસીની બેઠકમાં 25 – 25 બેસીસ પોઈન્ટનો બે વખત રેટ કટ કરવામાં આવ્યો હતો.

RBIએ બીજી મહત્વની જાહેરાત કરી હતી. સીઆરઆરમાં એક ટકાનો ઘટાડો કર્યો છે. જેનાથી બેંકોમાં લીકવીડીટીમાં 2.5 લાખ કરોડનો વધારો થશે. રીઝર્વ બેંકના ગવર્નર સંજય મલહોત્રાએ જણાવ્યું હતું કે 2025ના વર્ષમાં 9.50 લાખ કરોડની બેંકિંગ સીસ્ટમમાં લીક્વીડીટી આવી છે.

આજના શુક્રવારના રેપો રેટ કટ પછી હવે લોન લેનાર બેંકના ગ્રાહકો માટે બહુ મોટી ગીફટ છે અને તેમના માટે ગુડ ન્યૂઝ છે. રેપો રેટમાં 50 બેસીસ પોઈન્ટના ઘટાડો થયો છે. જેથી હવે હોમ લોન, કાર લોન, પર્સનલ લોન સહિતની તમામ લોનના વ્યાજ દરમાં અડધા ટકાનો ઘટાડો થશે. એટલે કે લોન લેનારની ઈએમઆઈમાં ઘટાડો થશે.

રેપો રેટમાં અનુમાન કરતાં વધુ 50 બેસીસ પોઈન્ટનો ઘટાડો આવ્યો છે. આરબીઆઈ ગવર્નર સંજય મલહોત્રાએ જણાવ્યું હતું કે બેઠકમાં એસડીએફ રેટ 5.75 ટકાથી ઘટાડીને 5.25 ટકા કરાયો છે. જ્યારે એમએસએફ રેટ પણ 6.25 ટકાથી ઘટાડીને 5.75 ટકા કરાયો છે. તેમણે ગ્લોબલ માર્કેટમાં અનિશ્ચિતતા યથાવત રહીને વાત કરતાં કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2026માં મોંઘવારીનું દર અનુમાન 3.7 ટકા રાખવામાં આવ્યું છે. તેની પહેલા આ અનુમાન 4 ટકા હતું.

છેલ્લા પાંચ મહિનામાં રેપો રેટમાં એક ટકાનો જંગી ઘટાડો થયો છે. આમ જોવા જઈએ તો આ સતત ત્રીજી વખત રેપો રેટમાં ઘટાડો આવ્યો છે. આ વર્ષના ફેબ્રુઆરીમાં પહેલી વાર રેપો રેટમાં 25 બેસીસ પોઈન્ટનો ઘટાડો કરાયો હતો. અને એપ્રિલમાં બીજી વખત 25 બેસીસ પોઈન્ટનો ઘટાડો કરાયો હતો. હવે ત્રીજી વખત જૂન 2025માં 50 બેસીસ પોઈન્ટનો ઘટાડો થયો છે. એટલે કે રેપો રેટ 6.50 ટકાથી ઘટીને 5.50 ટકા આવી ગયો છે.

આરબીઆઈએ મોંઘવારીના દરનું અનુમાન 4 ટકાથી ઘટાડીને 3.7 ટકા કર્યું છે. તેની પાછળ આંતરરાષ્ટ્રીય બજારોમાં કોમોડીટીઝના ભાવમાં ઘટાડો અને ભારતમાં ચોમાસાની સ્થિતિ ખૂબ સારી રહેવાની છે, જેથી મોંઘવારી દર કાબુમાં રહેશે.

તેમજ નાણાકીય વર્ષ 2026માં જીડીપી ગ્રોથનું અનુમાન 6.50 ટકા યથાવત રાખ્યું છે. જે ભારતીય ઈકોનોમી માટે સારા સંકેત છે. કારણ કે ગ્બોબલ અનિશ્ચિતતાનો માહોલ છે. ટ્રમ્પના ટેરિફને કારણે ટ્રેડ વોર ચાલી રહ્યું છે. આ સંજોગોમાં ભારતનો જીડીપી 6.50 ટકા રહેવાનું અનુમાન રાખવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આરબીઆઈની એમપીસીની બેઠક ચાર જૂને શરૂ થઈ હતી અને ત્રણ દિવસના મનોમંથન બાદ આરબીઆઈએ ધીરાણ નીતિની સમીક્ષા જાહેર કરી છે. જે અગાઉ રેપો રેટમાં 25 બેસીસ પોઈન્ટનો ઘટાડો થાય તેવી સંભાવના હતી.

Related Posts

Leave a Comment