નવી દિલ્હી- વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ક્રોએશિયા મુલાકાત લઈને ભારત પરત આવી ગયા છે. પીએમ નરેન્દ્ર મોદીની ક્રોએશિયાની મુલાકાત ખૂબ જ ખાસ બની રહી છે. (PM Modi’s visit to Croatia) ભારત અને ક્રોએશિયા વચ્ચે ઘણા મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર થયા હતા. (Several MoUs signed between India and Croatia)
આ મુલાકાતમાં બંને દેશોએ સંરક્ષણ, વેપાર, ટેકનોલોજી અને આતંકવાદ જેવા મુદ્દાઓ પર સહયોગ વધારવાનો નિર્ણય લીધો છે. વડાપ્રધાન મોદીએ સ્વાગત બદલ ક્રોએશિયાના પીએમ આન્દ્રેજ પ્લેનકોવિકનો (Croatia PM Andrej Plenkovic) આભાર માન્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે ભારત અને ક્રોએશિયા (India and Croatia) લોકશાહી અને કાયદાના શાસન જેવા મૂલ્યો શેર કરે છે. બંને દેશોએ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ કર્યો છે.
પીએમ મોદીએ (Prime Minister Narendra Modi) વધુમાં કહ્યું હતું કે ભારત અને ક્રોએશિયાની અર્થવ્યવસ્થા એકબીજાને મદદ કરી શકે છે. તેમણે ઘણા ક્ષેત્રો ઓળખ્યા છે જેમાં સહયોગ વધારી શકાય છે. બંને દેશોએ વેપાર વધારવા અને સપ્લાય ચેઇનને મજબૂત બનાવવા માટે ફાર્મા, એગ્રીકલ્ચર, ઇન્ફર્મેશન ટેકનોલોજી, ક્લીન ટેકનોલોજી, ડિજિટલ ટેકનોલોજી, રિન્યુએબલ એનર્જી અને સેમિકન્ડક્ટર જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવાનો નિર્ણય લીધો છે. આ કરારો આ અર્થમાં ખૂબ મહત્વપૂર્ણ છે. કારણ કે વિશ્વ ચીનનો વિકલ્પ શોધી રહ્યું છે. આનાથી સપ્લાય ચેઇનમાં મોટો ફેરફાર આવી શકે છે.
વડાપ્રધાન કાર્યાલય (PMO India) ના સત્તાવાર ‘X’ હેન્ડલ પરથી પોસ્ટ કરતાં PM એ કહ્યું છે કે અમે દ્વિપક્ષીય વેપાર વધારવા અને વિશ્વસનીય સપ્લાય ચેઇન બનાવવા માટે ઘણા ક્ષેત્રોમાં સહયોગ વધારવાનો નિર્ણય લીધો છે. અમે ફાર્મા, કૃષિ, માહિતી ટેકનોલોજી, સ્વચ્છ ટેકનોલોજી, ડિજિટલ ટેકનોલોજી, નવીનીકરણીય ઉર્જા, સેમિકન્ડક્ટરમાં સહયોગને પ્રોત્સાહન આપીશું. જહાજ નિર્માણ અને સાયબર સુરક્ષામાં સહયોગ વધારવામાં આવશે.
PM મોદીએ આતંકવાદને વિશ્વ માટે એક મોટો ખતરો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે આતંકવાદ માનવતાનો દુશ્મન છે. તે લોકશાહીમાં માનનારાઓની વિરુદ્ધ છે. તેમણે 22 એપ્રિલે ભારતમાં થયેલા આતંકવાદી હૂમલા પર શોક વ્યક્ત કરવા બદલ PM પ્લેન્કોવિક અને ક્રોએશિયન સરકારનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે આવા મુશ્કેલ સમયમાં મિત્ર દેશોનો ટેકો ખૂબ જ મહત્વપૂર્ણ છે.
Top Trending News
આ છે અમદાવાદ વિમાન દુર્ઘટનાની બચાવ કામગીરીના રિયલ હીરોઝ, તેમના અનુભવો એમના જ શબ્દોમાં
PM મોદીની આ મુલાકાત ભારત અને ક્રોએશિયા વચ્ચેના સંબંધોમાં એક નવો અધ્યાય છે. આ મુલાકાત એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે ક્રોએશિયા યુરોપમાં એક મહત્વપૂર્ણ દેશ છે. ક્રોએશિયા સાથે સારા સંબંધો રાખવાથી ભારતને યુરોપમાં તેની સ્થિતિ મજબૂત કરવામાં મદદ મળશે. PM મોદીની આ મુલાકાત સફળ રહી અને તેનાથી ભારતને ઘણા ફાયદા થશે. વડાપ્રધાન મોદીએ ક્રોએશિયામાં જે સમજૂતિ કરાર કર્યા છે તેને કારણે ચીન અને પાકિસ્તાનને બળતરા થશે. કેમ કે ભારતે ક્રોએશિયાામાં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે.