નવી દિલ્હી- સુપ્રસિદ્ધ રોકાણકાર, ઉદ્યોગપતિ અને દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક વોરેન બફેટે (Warren Buffett) તેમની નિવૃત્તિ પછીની યોજના વિશે વાત કરી છે. (Warren Buffett Post Retirement Plan)
દિગ્ગજ રોકાણકાર, ઉદ્યોગપતિ અને વિશ્વના છઠ્ઠા સૌથી ધનિક વ્યક્તિ વોરેન બફેટે (Warren Buffett) તેમની નિવૃત્તિ પછીની યોજનાઓ જાહેર કરી છે. તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેઓ નિવૃત્તિ પછી પણ રોકાવાના નથી. તે ઘરે બેસીને સીરિયલ નહીં જૂએ. અત્રે નોંધનીય છે કે તેઓ આ વર્ષના અંત સુધીમાં બર્કશાયર હેથવેના (Berkshire Hathaway) સીઈઓ પદેથી રાજીનામું આપશે.
બફેટે તાજેતરમાં ધ વોલ સ્ટ્રીટ જર્નલને એક મુલાકાત આપી હતી. આ મુલાકાતમાં તેમણે નિવૃત્તિ પછીની તેમની યોજનાઓ વિશે ખુલીને ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે, હું ઘરે બેસીને સીરિયલો નહીં જોઉં. મારો શોખ હજુ પણ એવો જ છે. 94 વર્ષની ઉંમરે પણ બફેટ હજુ પણ કામ કરી રહ્યા છે, શીખી રહ્યા છે અને ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે. બફેટ માટે નિવૃત્તિનો અર્થ દૂર જવાનો કે મગજને આરામ આપવાનો નથી. આનો અર્થ એ છે કે જિજ્ઞાસુ રહેવું, સક્રિય રહેવું અને સંપૂર્ણપણે જોડાયેલા રહીને વ્યસ્ત રહેવું છે.
બફેટ પોતાના કામને ‘કામ’ માનતા નથી. તે તેમને ગમે છે. જેમ કે રોકાણ કરવું, વાંચવું, બિઝનેસ અંગે વિચારવું વગેરે… તેમના માટે કામ અને રમત એક રીતે ભળી જાય છે. જ્યારે તમે તમારા કામ પ્રત્યે ઉત્સાહી હોવ છો, ત્યારે તે નોકરી જેવું લાગતું નથી. બફેટ કહે છે કે નિવૃત્તિ તેમના માટે અંત નથી. તે એક વિકલ્પ છે કે તમે એવું કામ ચાલુ રાખો જે તેમને ઉર્જાવાન અને ઉત્સાહિત રાખે છે.
Top Video News
શેરબજારનો સેન્સેક્સ 624 પોઈન્ટ તૂટ્યો, ભારે વેચવાલી આવવાના છ કારણો
તેમણે ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેઓ તેમના દિવસનો લગભગ 80 ટકા સમય વાંચન અને વિચારવામાં વિતાવે છે. તે તેમના મનને તીક્ષ્ણ રાખે છે અને નજરને તાજી રાખે છે. શીખવાની અને જિજ્ઞાસું રહેવાની આ ભૂખે દાયકાઓથી તેમને સફળતા અપાવી છે. તેમણે કહ્યું કે નિવૃત્તિ પછી તેઓને જે પસંદ કરે છે તે જ કરશે.
ઉંમરના કેટલાક લક્ષણો (યાદશક્તિ ઓછી થવી અને સંતુલનની ક્ષતિ) સ્વીકારવા છતાં બફેટ કહે છે કે તેમની રોકાણ કરવાની સમજ હજુ પણ પહેલા જેટલી જ તેજ છે. કોઈ એવી વસ્તુ છે જે તેઓ ખૂબ સારી રીતે સંભાળી શકે છે, અને તે છે બજારમાં આવતી અફરાતફરી. તેમણે સમજાવ્યું કે જો બજારમાં ભયનું વાતાવરણ હશે ત્યારે હું ઉપયોગી થઈશ. તેમણે આગળ કહ્યું કે, કારણ કે જ્યારે વસ્તુઓના ભાવ તૂટતા હોય અથવા બીજા બધા ડરી જાય છે, ત્યારે હું ડરતો નથી અને તે ખરેખર ઉંમરનું કામ નથી.
મે 2021 માં વોરેન બફેટે ગ્રેગ એબેલને તેમના અનુગામી તરીકે નિયુક્ત કર્યા છે. એબેલ બર્કશાયર હેથવેના વાઇસ-ચેરમેન છે. કંપનીના લોકોને આ નિર્ણય ગમ્યો છે. બફેટને એ પણ સમજાયું કે હવે એબેલ તેમના કરતાં વધુ કામ કરી શકે છે. વોરેન બફેટ બર્કશાયરના સલાહકાર રહેશે.