પાંચ બેંકોએ લોન પર વ્યાજ દરમાં ઘટાડો કર્યો

by Investing A2Z

નવી દિલ્હી- રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ(RBI) તાજેતરમાં રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. ધીરાણ નીતિની જાહેરાત પછી HDFC બેંક, બેંક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેંક, UCO બેંક અને બેંક ઓફ ઈન્ડિયાએ તેમના હોમ લોન વ્યાજ દરોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. જેનાથી નવા અને હાલના હોમ લોન ગ્રાહકોના હપતા  (EMI) ઘટશે. અને ઘર ખરીદવાનું અને એફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટમાં રોકાણ કરવાનું સરળ બનશે.

શું તમે ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો? શું તમે હાઉસીંગ લોન લેવાનું વિચારી રહ્યા છો કે પછી તમે વહેલી લોન ચૂકવી દેવાનું વિચારી રહ્યા છો? તો તમારા માટે આનંદના સમાચાર છે. RBI દ્વારા રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટના ઘટાડા કર્યો છે. જે પછી ઘણી મોટી બેંકોએ પણ તેમના હોમ લોન વ્યાજ દર ઘટાડ્યા છે. જેના કારણે તમારી લોનનો હપતો(EMI) ઓછો થશે અને ટૂંક સમયમાં ઘર ખરીદવાનું સ્વપ્ન સાચું પડશે. આ બેંકોમાં એચડીએફસી(HDFC Bank), બેંક ઓફ બરોડા(Bank of Baroda), પંજાબ નેશનલ બેંક(Panjab National Bank) જેવી મોટી પાંચ બેંકોનો સમાવેશ થાય છે.

RBI એ 6 જૂન 2025ના રોજ રેપો રેટ 6 ટકાથી ઘટાડીને 5.50 ટકા કર્યો. સેન્ટ્રલ બેંકે સતત ત્રીજી વખત રેપો રેટ ઘટાડ્યો છે. રેપો રેટ એ દર છે જેના પર RBI બેંકોને ધિરાણ આપે છે. જ્યારે RBI દ્વારા દરમાં ઘટાડો કરવામાં આવે છે, ત્યારે બેંકો પણ વ્યાજ દર ઘટાડીને તેમના ગ્રાહકો પરની લોનના વ્યાજ દર ઘટાડીને રાહત આપે છે.

પાંચ અગ્રણી બેંકોએ વ્યાજ દરમાં ફેરફાર કર્યો છેઃ

(1) HDFC બેંકઃ HDFC Bank એ તેના માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ-આધારિત લેન્ડિંગ રેટ (MCLR) માં 10 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે, જે 7 જૂન, 2025થી અમલી બન્યો છે. ઓવરનાઈટ અને એક મહિનાનો દર 8.90 ટકા અને ત્રણ મહિનાનો દર 8.95 ટકા છે.

(2) બેંક ઓફ બરોડા(Bank of Baroda – BOB)- બેંક ઓફ બરોડાએ તેના રેપો લિંક્ડ લેન્ડિંગ રેટ (RLLR) માં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને 8.15 ટકા કર્યો છે, જે 7 જૂન, 2025થી અમલમાં આવ્યો છે. આ નવો દર અગાઉ લીધેલી હોમ લોન અને નવી હોમ લોન બંને પર લાગુ થશે.

(3) પંજાબ નેશનલ બેંક (Punjab National Bank – PNB): PNB એ RLLR 8.85 ટકાથી ઘટાડીને 8.35 ટકા કર્યો છે, જે 9 જૂન, 2025થી અમલમાં આવ્યો છે. હોમ લોનના વ્યાજ દર હવે 7.45 ટકાથી શરૂ થાય છે, જે તેને સૌથી સસ્તા વિકલ્પોમાંથી એક છે.

(4) યુકો બેંક: Uco Bank (યુકો બેંક) તેના રેપો-લિંક્ડ ધિરાણ દરમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. આનાથી હોમ લોન, ઓટો લોન અને અન્ય લોન સસ્તી થશે, ખાસ કરીને એફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટના ગ્રાહકોને રાહત મળશે.

(5) બેંક ઓફ ઈન્ડિયા: Bank of India (બેંક ઓફ ઈન્ડિયા)એ તેના ધિરાણ દરમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને 8.35 ટકા કર્યો છે. આ ઘટાડો રિટેલ અને MSME લોન પર લાગુ થશે, જેનો લાભ હોમ લોન લેનારાઓને મળશે.

Top Trending Video News

આગામી સપ્તાહે સોનાના ભાવ ઘટશે અને ચાંદીના ભાવ વધશે?

RBI એ રેપો રેટમાં કુલ એક ટકા ઘટાડાની અસર હોમ લોનના EMI પર ચોખ્ખી રીતે દેખાય છે. ગ્રાહકોના EMIમાં ઘટાડો થશે. જો તમે ઇચ્છો તો, EMI ને એ જ રાખીને લોનનો સમયગાળો ઘટાડી શકો છો, જેનાથી વ્યાજમાં લાખો રૂપિયાની બચત થઈ શકે છે.

વ્યાજ દરમાં ઘટાડાથી માસિક હપતા (EMI) ઘટશે, જેનાથી સસ્તા અને મધ્યમ આવકવાળા સેગમેન્ટમાં ઘર ખરીદવાનું સરળ બનશે. અર્થશાસ્ત્રીઓના કહેવા પ્રમાણે આ ઘટાડાથી રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ડીમાન્ડ વધશે, ખાસ કરીને સસ્તા મકાનોમાં. જો તમે ઘર ખરીદવાનું અને હોમ લોન લેવાનું વિચારી રહ્યા છો, તો આ સમય યોગ્ય હોઈ શકે છે કારણ કે વ્યાજ દર હાલમાં ત્રણ વર્ષના નીચા લેવલે છે.

Related Posts

Leave a Comment