આવે છે… આવે છે… નવી ક્રિપ્ટો કરન્સી આવે છે

by Investing A2Z

સુપ્રીમ કોર્ટે બુધવારે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા 2018માં કરાયેલ એક સર્ક્યુલરને રદ કરવાનો ચૂકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આરબીઆઈને બેંકો અને નાણાકીય સંસ્થાઓને ક્રિપ્ટોકરન્સીને લગતી સેવાઓ આપવા માટે મંજૂરી આપી છે. ક્રિપ્ટોકરન્સીએ ડિજિટલ મુદ્રા(ચલણ) છે. હવે ભારતમાં ક્રિપ્ટોકરન્સી ધૂમ મચાવવા આવી રહી છે. સટ્ટોડિયાઓ માટે નવું ચલણ આવી રહ્યું છે, જો આરબીઆઈ હવે છૂટ આપશે તો ભારતમાં ક્રિપ્ટોકરન્સીના રૂપમાં બિટકોઈન કાયદેસર સ્વરૂપ ધારણ કરશે. આજે પાંચ માર્ચ, 2020ના રોજ એક બિટકોઈન બરાબર રૂપિયા 6 લાખ  65 હજારનો ભાવ ચાલે છે. એક બિટકોઈન બરાબર 9095 ડૉલર ચાલે છે. બિટકોઈન કરન્સી ખુબ જ લોકપ્રિય થઈ ગઈ છે, અને હવે તે ભારતમાં આવશે. ક્રિપ્ટોકરન્સી ભારતમાં છે, પણ તે ગેરકાયદે હતી, પણ હવે સુપ્રીમ કોર્ટની મજૂરી પછી હવે તે કાયદેસર બનશે. પણ મહત્વનો સવાલ એ છે કે ભારતમાં સફળ થશે? આરબીઆઈએ ક્રિપ્ટોકરન્સીને અમલમાં મુકતા પહેલા સખત કાયદા બનાવવા પડશે, અને તેનું સતત મોનટરિંગ કરવું પડશે.

સુપ્રીમ કોર્ટે વર્ચ્યૂલ કરન્સી જેવી ક્રિપ્ટોકરન્સી પણ કહે છે, તેના ટ્રેડને મંજૂરી આપી દીધી છે. હવે વર્ચ્યૂલ કરન્સીના રૂપમાં બિટકોઈનની લેવેચ કાયદેસર કરી શકાશે. પહેલા રીઝર્વ બેંકે તેના પર પ્રતિબંધ લગાવ્યો હતો. આરબીઆઈએ 6 એપ્રિલ, 2018ના રોજ વર્ચ્યૂલ કરન્સી પર પ્રતિબંધ મુક્યો હતો. હાલમાં વિશ્વમાં કેટલાય પ્રકારની વર્ચ્યૂલ કરન્સી છે. જેમાં બિટકોઈનની કીમત સૌથી ઊંચી છે. બિટકોઈનની માર્કેટકેપ 161 અબજ ડૉલર છે.

અન્ય કરન્સીની જેમ કોઈ બેંક અથવા કોઈ સેન્ટ્રલ ઓથોરિટી તેનું ઉત્પાદન કરી શકતી નથી. બિટકોઈન માઈનિંગ રિંગ્સ કહેવાતું કોમ્પ્યુટર તેને પ્રોડ્યુસ કરે છે. 2 જાન્યુઆરી, 2009માં 50 કોઈન્સની સાથે તેની શરૂઆત કરવામાં આવી હતી, અને દર 10 મીનીટમાં ગણિતની ફોર્મ્યુલાથી નવા કોઈનની બેચ તૈયાર થાય છે. બિટકોઈન ભારતમાં ગેરકાયદે છે, જે માટે આરબીઆઈ સતત ચેતવણી આપી રહ્યું છે, અને આવકવેરા વિભાગની પણ બાજ નજર છે. બિટકોઈનમાં ચાર વર્ષ પહેલા રોકાણ કરનારાઓને ભારે વળતર મળ્યું છે એટલે કે 10 ગણાથી પણ વધારે વળતર છુટયું છે. ચાર વર્ષ પહેલા કેટલાય લોકોએ રોકાણના હેતુથી બિટકોઈનની ખરીદી કરી હતી.

ભારત પણ બિટકોઈન ટ્રેડિંગને રેગ્યુલેટ કરવા પર વિચાર કરે છે. જાપાને આ ડિજિટલ કરન્સીને કાયદાનું સ્વરૂપ આપ્યું છે, જે પછી તેમાં ખાસ્સી તેજી આવી છે. જાપાનના આ પગલાથી કેટલાય વેન્ડર્સ આ વર્ચ્યુઅલ કરન્સીને સ્વીકારવાનું ચાલુ કર્યું છે.

ક્રિપ્ટોકરન્સી કોને કહેવાય ?

ક્રિપ્ટોકરન્સીને ઈ-ચલણ કહી શકાય. તે નોટોની જેમ હોતી નથી, માત્ર કોપ્મ્યુટર પર જોવા મળે છે. તે આપના ખિસ્સામાં આવતી નથી, તેથી તેને ડિજિટલ અથવા તો વર્ચ્યુલ કરન્સી કહેવાય છે. તેની શરૂઆત 2009માં થઈ હતી. તેનો ઉપયોગ અને ચુકવણી માટે ક્રિપ્ટોગ્રાફીનો ઉપયોગ કરવામાં આવે છે. તેના માટે થઈને તેને ક્રિપ્ટોકરન્સી કહેવાય છે. બિટકોઈનને વિશ્વની સૌથી પહેલી ક્રિપ્ટોકરન્સી કહેવાય છે, જેને જમા કરવા પર તેને માઈનિંગ કહેવાય છે. ક્રિપ્ટોકરન્સીને દુનિયાના કોઈપણ ખુણામાં સરળતાથી ટ્રાન્સફર કરી શકાય છે. તેને કોઈપણ પ્રકારની કરન્સીમાં કન્વર્ટ કરી શકાય છે, જેમકે ડૉલર… યૂરો અને રૂપિયા… વિગેરે

બિટકોઈન શું છે ?

બિટકોઈન એક ડીસેન્ટ્રલાઈઝ્ડ પેપરલેસ ક્રિપ્ટોકરન્સી છે, તેની શરૂઆત 2009માં થઈ હતી. દુનિયાના દેશોની કરન્સીની સામે ક્રિપ્ટોકરન્સીને બેંક અથવા એક કન્સોર્શમ જેવી કોઈ સેન્ટ્રલ ઓથોરિટી પ્રોડ્યુસ નથી કરતી. બિટકોઈન માઈનિંગ રિગ્સ કહેવાતી કમ્પ્યુટર પ્રોડ્યુસ કરે છે અને એ કમ્પ્યુટર આ વર્ચ્યુઅલ કરન્સીને હાંસલ કરવા માટે ગણિત જેવી જટિલ સમસ્યાઓને હલ કરે છે. એક લેજર તમામ ટ્રાન્ઝક્શનનો રેકોર્ડ રાખે છે. એક ક્રિપ્ટોકરન્સી માઈનિંગ રિગ દરેક સમયે કામ કરે છે. તેનું પર્ફોમન્સ હાઈ એન્ડ ગ્રાફિક કાર્ડ અને તેનો ઉપયોગ કૂલિંગ સિસ્ટમ પર નિર્ભર રહે છે. માઈનિંગ રિંગની સરેરાશ 3 લાખ રૂપિયા હોય છે. ક્રિપ્ટોકરન્સી મેળવવા માટે મોટી કમ્પ્યુટિંગ તાકાત રાખનારી મશીનો ખુબ મોટા ઑનલાઈન વેન્ડર્સની સાથે લોકો રોકાણ કરે છે.

રીઝર્વ બેંકને હવે સુપ્રીમ કોર્ટે લેવેચ માટે મંજૂરી આપી છે, જેથી એવું બની શકે કે આરબીઆઈ બિટકોઈનને ભારતમાં ન આવવા દે, પણ બિટકોઈન જેવી નવી કરન્સી લાવે, તેના માટે આરબીઆઈએ અગાઉ સ્ટડી કરાવ્યો હતો, તેનું શુ પરિણામ આવ્યું તે કાંઈ બહાર આવ્યું નથી. પરંતુ બિટકોઈન ભારતમાં કેટલું સ્વીકાર્ય બનશે, તે અંગે સર્વે કરવો ખુબ જરૂરી છે. બિટકોઈનના ઊંચા ભાવ જોતા તેમાં કોઈ બબલ નહી થાય ને ? તેવા પ્રશ્નો સર્જાય. સુપ્રીમ કોર્ટે જ મંજૂરી આપી છે, તો હવે આરબીઆઈ ક્રિપ્ટોકરન્સી લાવશે. શિકારી ખુદ યહા શિકાર હો ગયા… જોઈએ હવે આગળ શુ થાય છે? બિટકોઈન ડેન્જર તો છે, અને સાથેસાથે કીમત પણ ખુબ ઊંચી છે. આથી સવાલ એ થાય તે ભારતીય તેને સ્વીકારી શકશે ખરા? હા… ગેરકાયદે હતું ત્યારે બિટકોઈનમાં કેટલાય ગેરકાયદે વ્યવહારો સાથેની કૌભાંડો ઝડપાયા છે, અને કેટલાય લોકોની ઘરપકડ થઈ છે. પણ હવે જો કાયદેસર થશે તો શું નું શુંય થશે?

Related Posts

Leave a Comment