
ખેડૂતોને આર્થિક નુકસાન
આ વર્ષે ગુજરાતમાં તાજેતરમાં થયેલા કમોસમી વ્યાપક વરસાદથી ખેડૂતોના ઉભા પાકને કાપણી સમયે જ મહત્તમ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને(Gujarat Farmers) આ નુકસાનમાંથી બનતી ત્વરાએ બેઠા કરવાનો અભિગમ ઉદારતમ સહાયથી અપનાવ્યો છે.
22 હજાર રૂપિયા પ્રતિ હેકટર
રાજ્યમાં અત્યાર સુધી અપાયેલા રાહત સહાય પેકેજના ઇતિહાસમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પિયત અને બિનપિયત પાકોને એકસમાન પાક નુકસાન વળતર આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.(Gujarat Farmers) રાજ્યના ખેડૂતોને તાજેતરના કામોસમી વરસાદથી થયેલા પાક નુકસાન સામે આ નિર્ણયના અનુસંધાને 22 હજાર રૂપિયા પ્રતિ હેક્ટર, હેક્ટર દીઠ બે હેક્ટરની મર્યાદામાં સહાય રાજ્ય સરકાર આપશે.
કુલ 10 હજાર કરોડની સહાય રકમ ચૂકવશે
ખેતી પાકોને જે વ્યાપક નુકસાનનો માર સહન કરવાનો વારો આવ્યો છે. તેમાંથી ખેડૂતોને ઝડપભેર ઉગારવા આ રાહત સહાય પેકેજ અંતર્ગત આશરે કુલ રૂપિયા 10 હજાર કરોડની સહાય રકમ રાજ્ય સરકાર ચૂકવશે.
16,500થી વધુ ગામોના ખેડૂતોને નુકસાન
મુખ્યપ્રધાન આ કુદરતી આપદામાં સતત ખેડૂતોની(Gujarat Farmers) ચિંતા કરીને તેમની પડખે ઊભા રહ્યા છે. એટલું જ નહિ, તેમણે કમોસમી વરસાદની તારાજીનો ભોગ બનેલા 251 તાલુકાના 16,500થી વધુ ગામોના ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે ત્રણ દિવસમાં પૂર્ણ કરવા માટે પાંચ હજારથી વધુ ટીમોને દિવસ રાત કાર્યરત કરવાના દિશાનિર્દેશો ઉચ્ચસ્તરીય બેઠકમાં આપેલા હતા.
નુકસાનીનો સર્વે થયો
આ દિશાનિર્દેશોને પગલે કૃષિ વિભાગ અને સંબંધિત વિભાગો તથા જિલ્લા વહીવટી તંત્રોએ સતત ખડેપગે 24X7 કામ કરીને પાક નુકસાનીનો સર્વે/પંચ રોજકામ હાથ ધર્યા હતા. મુખ્યપ્રધાને રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓને વરસાદી અસરગ્રસ્ત વિસ્તારોની જાત માહિતી મેળવવા સંબંધિત જિલ્લાઓની મુલાકાત માટે પણ સૂચનાઓ આપી હતી.
કયા પ્રધાન કયા જિલ્લામાં ગયા
આ સૂચનાઓના પગલે નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી સુરત જિલ્લામાં, કૃષિપ્રધાન જીતુભાઈ વાઘાણી ભાવનગરમાં, આદિજાતિ વિકાસપ્રધાન નરેશભાઈ પટેલ તાપીમાં, વન અને પર્યાવરણપ્રધાન અર્જુનભાઈ મોઢવાડીયા તથા સામાજિક ન્યાય અને અધિકારિતા પ્રધાન ડૉ. પ્રદ્યુમન વાજા જૂનાગઢ અને ગીર સોમનાથમાં તેમજ રાજ્ય કક્ષાના પ્રધાન કૌશિકભાઈ વેકરિયાએ અમરેલી જિલ્લાની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી અને સ્થળ પરના નુકસાન અહેવાલની વિગતો મુખ્યપ્રધાનને પૂરી પાડી હતી.(Gujarat Farmers)
સીએમ ગીરસોમનાથ અને જૂનાગઢ ગયા
મુખ્યપ્રધાને પોતે પણ ગીર-સોમનાથ અને જુનાગઢ જિલ્લાના અસરગ્રસ્ત ગામોમાં પહોંચ્યા હતા અને ધરતીપુત્રોની વીતક પૂરી સંવેદનશીલતા સાથે સાંભળીને તેમને હૂંફ-સધિયારો આપ્યા હતા.
વીડિયો કોન્ફરન્સ
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ સમગ્ર વિગતોની વિસ્તૃત સમીક્ષા અને ચર્ચા-વિચારણા રાજ્યના પ્રધાનો સર્વે જીતુભાઈ વાઘાણી, ઋષિકેશભાઈ પટેલ, કુંવરજીભાઈ બાવળીયા, અર્જુનભાઈ મોઢવાડિયા તથા રમણભાઈ સોલંકી સાથે બેઠક યોજીને કરી હતી. નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી અને નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ વિડીયો કોન્ફરન્સથી આ બેઠકમાં જોડાયા હતા.
ઉચ્ચસ્તરીય બેઠકમાં કોણ કોણ જોડાયું?
મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં રાજ્ય સરકારે વ્યાપક નુકસાનનો ભોગ બનેલા ધરતીપુત્રોની વ્હારે આવીને રાજ્યના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું આશરે 10 હજાર કરોડનું માતબર સહાય પેકેજ આપવાનો આ નિર્ણય કર્યો છે. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્ય સચિવ એમ. કે. દાસ, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા, નાણાં વિભાગના અગ્ર સચિવ ટી. નટરાજન, મુખ્યપ્રધાનના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંઘ, નાણા સચિવ આરતી કંવર, મુખ્યપ્રધાનના સચિવ ડૉ. વિક્રાંત પાંડે ઉપસ્થિત રહ્યા હતા. મહેસૂલ અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિ વિડિયો કોન્ફરન્સથી સહભાગી થયા હતા.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની પ્રતિક્રિયા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ ખેડૂતોના(Gujarat Farmers) સહાય પેકેજની જાહેરાત પછી જણાવ્યું હતું કે ગુજરાતમાં સરકારી આંકડા મુજબ જોવા જઈએ તો 72 લાખ હેક્ટર જેટલું વાવેતર હતું અને કમોસમી વરસાદ થયો અને એના કારણે જે નુકસાન થયું એનો અંદાજ છે, એ પણ સરકારી આંકડા મુજબ જોઈએ તો 42 લાખ હેક્ટર જેટલા વાવેતરમાં નુકસાન થયું છે. જ્યારે મોટી વાતો જાહેરાતો થાય છે, એની મોટી મોટી વાહવાહી થાય છે, ત્યારે હકીકત એવી છે કે આ કહેવાતી મૃદુ અને સંવેદનશીલ સરકાર, ગુજરાતના ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ નહીં કરવા માટે અને ગુજરાતના ખેડૂતોને પાક વીમો યોજનાનો લાભ નહીં આપવા માટે આજે મક્કમ હોય એવું દેખાઈ રહ્યું છે. આ પેકેજ ખેડૂતોની આંખોમાં ધૂળ છોંકવા બરોબર છે, ખેડૂતોની સાથે છેતરપિંડી કરવા બરોબર છે.
Most Watched News
AAP ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પ્રતિક્રયા આપતાં જણાવ્યું હતું કે પંજાબની AAP સરકાર હેકટરે રૂપિયા 50,000 આપે છે, તો ગુજરાત સરકાર શા માટે હેકટરે ફક્ત રૂપિયા 22,000 આપે છે? પંજાબની AAP સરકારની જેમ જ્યાં સુધી હેકટરે રૂપિયા 50,000નું વળતર ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. અંદાજે રૂપિયા 40,000 કરોડના નુકસાન સામે ફક્ત રૂપિયા 10,000 કરોડનું પેકેજ જ કેમ? ખેડૂતોનો(Gujarat Farmers) ચોમાસુ પાક ફેલ ગયો, ઘણા વિસ્તારોમાં શિયાળુ પાકનું વાવેતર પણ શક્ય નથી, એટલે ખેડૂતોને વધુ નુકસાન થયું છે. ભાજપ હંમેશા ઉધોગપતિઓને પેકેજ આપે છે ખેડૂતોને મોટા પેકેજ આપતી નથી. આવા સવાલો હજી ઉભા છે. AAP પોતાની 10 માંગોને લઈને મહાપંચાયતોના કાર્યક્રમને આગળ ધપાવશે.