Gujarat News: અમદાવાદના Atal Bridge મુલાકાતીઓની સંખ્યા અધધધ… કોર્પોરેશનને કેટલી આવક?

by Investing A2Z
Gujarat News

Gujarat Newsગાંધીનગર- Gujarat News- ભારતના પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદમાં(Ahmedabad) સાબરમતી નદી પર નિર્મિત આઈકોનિક અટલબ્રિજ(Iconic Atal Bridge) આજે અમદાવાદના નગરવાસીઓ સહિત દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. દિવાળી વેકેશન હોય કે ઉનાળાનું વેકેશન, આ અટલ ફૂટ ઓવર બ્રિજ લોકો માટે ફરવાનું ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયો છે.

2022માં ખૂલ્લો મુકાયો હતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Narendra Modi) 27 ઓગસ્ટ, 2022ના રોજ અટલ બ્રિજને જાહેર જનતા માટે ખુલ્લો મૂક્યો હતો. SRFDCL (સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કૉર્પોરેશન લિ.) દ્વારા આપવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, 31 ઓગસ્ટ, 2022થી ઓક્ટોબર 2025 સુધીના સમયમાં કુલ 77,71,269 લોકોએ અટલ બ્રિજની મુલાકાત લીધી છે. આ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને(Ahmedabad Municipal Corporation) રૂપિયા 27.70 કરોડથી વધુની આવક થઇ છે, જે ગુજરાતના(Gujarat News) અમદાવાદના ટુરિઝમ ક્ષેત્ર માટે ગૌરવની બાબત છે.

અમદાવાદના જોવાલાયક સ્થળો

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ગુજરાતનું(Gujarat News) સૌથી અદ્યતન શહેર છે, જે આધુનિકીકરણ સાથે જૂના વારસાને સાચવીને બેઠું છે. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના(CM Bhupendra Patel) નેતૃત્વ હેઠળ અમદાવાદ શહેરની(Ahmedabad) મુલાકાતે આવતા પ્રવાસીઓને એક અભૂતપૂર્વ અનુભવ પ્રદાન કરવા માટે વિવિધ પ્રવાસન આકર્ષણોનો વિકાસ કરવામાં આવ્યો છે. ગાંધી આશ્રમ, સાબરમતી રિવરફ્રન્ટ, કાંકરિયા લેકફ્રન્ટ, વિશ્વનું સૌથી મોટું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ શહેરની જૂની પોળ સંસ્કૃતિ, અમદાવાદ હેરિટેજ વૉક વગેરે પ્રવાસન આકર્ષણોની મુલાકાત લેવા લાખો પ્રવાસીઓ અમદાવાદ આવે છે. તેમાં પણ અટલ ફૂટઓવર બ્રિજ આધુનિક આર્કિટેક્ચર, ગુજરાતી સંસ્કૃતિ અને નગરસૌંદર્યનું જીવંત પ્રતીક છે.

Gujarat Newsપ્રવાસીઓની વિગત

SRFDCL (સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કૉર્પોરેશન લિમિટેડ) એ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન (AMC)ની કંપની છે, અને અટલ બ્રિજનું બાંધકામ આ કંપની દ્વારા કરવામાં આવ્યું છે. SRFDCL દ્વારા આપવામાં આવેલા વર્ષવાર આંકડાઓની વિગતવાર વાત કરીએ તો, 31 ઓગસ્ટ 2022થી માર્ચ 2023 દરમિયાન 21.62 લાખ પ્રવાસીઓએ અટલ બ્રિજની મુલાકાત લીધી હતી, જેનાથી રૂપિયા 6.44 કરોડ આવક થઇ હતી. એપ્રિલ 2023થી માર્ચ 2024 દરમિયાન 26.89 લાખ મુલાકાતીઓ થકી રૂપિયા 8.24 કરોડની તેમજ એપ્રિલ 2024થી માર્ચ 2025 દરમિયાન 20.67 લાખ મુલાકાતીઓ થકી રૂપિયા 8.19 કરોડની આવક થઇ હતી. એપ્રિલ 2025થી ઑક્ટોબર 2025 સુધીમાં 8.51 લાખ મુલાકાતીઓ અટલ બ્રિજની મુલાકાત લઈ ચૂક્યા છે, જેનાથી અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશનને(Ahmedabad Municipal Corporation) રૂપિયા 4.82 કરોડની આવક થઇ છે.

Top Trending News

Stock Market India: હવે શેરબજારનો ટ્રેન્ડ મંદીનો રહેશે?

આવક જાવકનો હિસાબ

આ આઈકોનિક અટલ બ્રિજ(Iconic Atal Bridge) અંદાજે રૂપિયા 74 કરોડનો ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અટલ બ્રિજ થકી રૂપિયા 27.70 કરોડની આવક થઇ ચૂકી છે. આમ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અટલબ્રિજ પાછળ કરેલા કુલ ખર્ચના 37 ટકાથી વધુ રકમ વસૂલ થઈ ગઈ છે.Gujarat News

You will also like

Leave a Comment