મુંબઈ- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) (Reliance Industries Limited) ની ડિજિટલ સેવાઓ આપતી કંપની જિયોએ 2026ના પ્રથમ છમાસિક ગાળા સુધીમાં લિસ્ટિંગના લક્ષ્ય સાથે IPO માટે અરજી કરવાની યોજનાની પુષ્ટિ કરી છે.(Reliance Jio IPO to come in 2026) આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે કંપની ટેક્નોલોજી અને નવીનતામાં વૈશ્વિક અગ્રણી તરીકે તેની સ્થિતિને વધુ મજબૂત કરી રહી છે. આ યોજના આવશ્યક મંજૂરીઓને આધીન છે.(Reliance’s 48th Annual General Meeting (AGM))
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર (CMD) મુકેશ અંબાણીએ(Reliance Chairman (CMD) Mukesh Ambani) જણાવ્યું હતું કે, “હું તમને ખાતરી આપું છું કે જિયોનું લિસ્ટીંગ તેના વૈશ્વિક સમકક્ષો જેટલું મૂલ્ય સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે. મને ખાતરી છે કે તે તમામ રોકાણકારો માટે ખૂબ જ આકર્ષક તક હશે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના નોન-એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે આજે, જિયો 500 મિલિયનથી વધુ સંતુષ્ટ ગ્રાહકોને સેવા આપે છે. આ આંકડાને જોવામાં આવે તો, તે US, UK અને ફ્રાન્સની સંયુક્ત વસતિ કરતાં પણ વધુ છે. “આ માત્ર કદની દૃષ્ટિએ એક સીમાચિહ્ન નથી, પરંતુ તે ભારતના દરેક ખૂણેથી જિયોએ મેળવેલા ઊંડા અને વ્યાપક વિશ્વાસનો પુરાવો છે.”
જિઓહોટસ્ટાર (JioHotstar) એપ્લિકેશનના (JioHotstar app) લોન્ચિંગથી ત્રણ મહિનાની અંદર જ 600 મિલિયનથી વધુ યુઝર્સ જોડાયા છે, જેમાં 75 મિલિયનથી વધુ કનેક્ટેડ ટીવીનો પણ સમાવેશ થાય છે. (Reliance Non-Executive Director Akash Ambani) 300 મિલિયન પેઇંગ સબ્સ્ક્રાઇબર્સ સાથે, જિઓહોટસ્ટાર હવે વિશ્વનું બીજું સૌથી મોટું સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ બની ગયું છે. આ રેકોર્ડ ભારતીય બજારની અપાર સંભાવના દર્શાવે છે. “આ ઉપરાંત, 34 ટકા ટીવી માર્કેટ શેર સાથે – જે આગામી ત્રણ નેટવર્કના સંયુક્ત હિસ્સા બરાબર છે – અમે મોબાઇલ, ટીવી અને કનેક્ટેડ ડિવાઇસ પર એક અબજ સ્ક્રીન સુધી પહોંચવાના અમારા માર્ગ પર આગળ વધી રહ્યા છીએ,” એમ આકાશ અંબાણીએ જણાવ્યું હતું.
રિલાયન્સના કચ્છ અને જામનગરના ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી બિઝનેસ અંગે માહિતી આપતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર અનંત અંબાણીએ ((Reliance Executive Director Anant Ambani)જણાવ્યું હતું કે ગુજરાતના કચ્છમાં અમે 5,50,000 એકર બિન-ફળદ્રૂપ જમીનમાં વિશ્વના સૌથી મોટા સિંગલ-સાઇટ સોલાર પ્રોજેક્ટ્સ વિકસાવી રહ્યા છીએ – જેની સાઇઝ સિંગાપોર કરતાં ત્રણ ગણી મોટી છે. “અહીં અમે દરરોજ મહત્તમ 55 મેગાવોટના સોલાર મોડ્યુલ અને 150 એમડબ્લ્યૂએચ બેટરી કન્ટેનર સ્થાપિત કરીશું. આ વૈશ્વિક સ્તરે સૌથી ઝડપી ઇન્સ્ટોલેશન પૈકીનું એક હશે. આ એક જ સાઇટ આગામી દાયકામાં ભારતની વીજળીની લગભગ 10 ટકા જરૂરિયાત પૂરી કરી શકશે,”
અનંત અંબાણીએ ઉમેર્યું હતું કે જામનગર અને કંડલા ખાતેનું અમારા દરિયાઈ અને જમીની ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લીધ કચ્છમાં સોલાર અને હાઈડ્રોજન સાથે જોડાણ સરળ બનશે. તેમણે ઉમેર્યું હતું કે અમે ગ્રીન એમોનિયા, ગ્રીન મિથેનોલ અને સસ્ટેનેબલ એવીએશન ફ્યુઅલનું ઉત્પાદન અને નિકાસ કરીશું. આનાથી ભારત ખર્ચની દૃષ્ટિએ સ્પર્ધાત્મક ગ્રીન હાઈડ્રોજન અને તેના ડેરિવેટિવ્ઝ માટેનું વૈશ્વિક હબ બનશે.
અનંત એમ. અંબાણીએ વધુમાં જણાવ્યું હતું કે અમારું પ્રારંભિક ધ્યાન રિલાયન્સની પોતાની વિપુલ માંગને પહોંચી વળવા પર રહેશે. અમે 2032 સુધીમાં 3 એમએમટીપીએ (મિલિયન મેટ્રિક ટન પ્રતિ વર્ષ) ગ્રીન હાઈડ્રોજન સમકક્ષ ઉત્પાદન ક્ષમતા સુધી પહોંચવાની યોજના ધરાવીએ છીએ, જેનાથી વૈશ્વિક બજારો માટેના શક્તિશાળી ગ્રોથ એન્જિનને વેગ મળશે.
જામનગરમાં ધીરુભાઈ અંબાણી ગીગા એનર્જી કોમ્પ્લેક્સ(Dhirubhai Ambani Giga Energy Complex in Jamnagar) અંગે માહિતી આપતાં અનંત એમ. અંબાણીએ જણાવ્યું હતું કે કામ રેકોર્ડ ગતિએ ચાલી રહ્યું છે. કદ, સ્કેલ અને એકીકરણમાં તે વૈશ્વિક સ્તરે અજોડ હશે. અમે બેસ્ટ-ઇન-ક્લાસ ગુણવત્તા, ખર્ચ અને સમયબધ્ધતા માટે વિશ્વની અગ્રણી એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન કંપનીઓ સાથે ભાગીદારી કરી છે. જામનગર વિશ્વના સૌથી મોટા પરંપરાગત ઉર્જા સંકુલ અને વિશ્વના સૌથી મોટા નવીન ઉર્જા સંકુલ બંનેનું પારણું બનશે. જામનગર નવા રિલાયન્સ અને નવા ભારતનો ચહેરો છે.
રિલાયન્સે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં એક નવી સબસિડિયરીની રચના કરી છે. મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, “રિલાયન્સના ડીપ-ટેક એન્ટરપ્રાઇઝમાં પરિવર્તનના કેન્દ્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પહેલેથી જ છે તેનો મને ગર્વ છે. આ એજન્ડામાં વધુ ધ્યાન અને ગતિ લાવવા માટે, આજે મને નવી સંપૂર્ણ માલિકીની પેટાકંપની, રિલાયન્સ ઈન્ટેલિજન્સની રચનાની(Reliance Intelligence formation announced) જાહેરાત કરતાં અત્યંત આનંદ અને ગર્વ થાય છે.”
નવી કંપનીની કલ્પના ચાર સ્પષ્ટ મિશન સાથે કરવામાં આવી છે:
પ્રથમ, ભારતના નેક્સ્ટ-જનરેશન AI ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવું. રિલાયન્સ ઈન્ટેલિજન્સ ગીગાવોટ-સ્કેલના, AI-રેડી ડેટા સેન્ટર બનાવશે, જે ગ્રીન એનર્જી દ્વારા સંચાલિત હશે અને રાષ્ટ્રીય સ્તરે ટ્રેનિંગ અને ઇન્ટરફેસ માટે એન્જિનિયર્ડ હશે. જામનગરમાં ગીગાવોટ-સ્કેલના, AI-રેડી ડેટા સેન્ટર પર કામ શરૂ થઈ ચૂક્યું છે. આ સુવિધાઓ ભારતના વધતી જતી જરૂરિયાતોને અનુરૂપ તબક્કાવાર રીતે તૈયાર થશે, જે રિલાયન્સના નવા-ઉર્જા ઇકોસિસ્ટમ દ્વારા સંચાલિત હશે અને AI ટ્રેનિંગ અને ઇન્ટરફેસ માટે ખાસ તૈયાર કરવામાં આવશે.
બીજું, વૈશ્વિક ભાગીદારીઓ માટે એક કેન્દ્ર બનવું. રિલાયન્સ ઈન્ટેલિજન્સ વિશ્વની શ્રેષ્ઠ ટેક-કંપનીઓ અને ઓપન-સોર્સ સમુદાયોને રિલાયન્સની ડીપ-ડોમેન કુશળતા અને અમલીકરણની શક્તિ સાથે જોડશે, જેથી AI માટે પર્ફોર્મન્સ લીડરશિપ, સ્થિતિસ્થાપક સપ્લાય અને ઇન્ડિયા-ફર્સ્ટ અનુપાલન પ્રદાન કરી શકાય.
ત્રીજું, ભારત માટે AI સેવાઓનું નિર્માણ કરવું. રિલાયન્સ ઈન્ટેલિજન્સ ગ્રાહકો, નાના વ્યવસાયો અને સાહસો માટે વિશ્વસનીય, ઉપયોગમાં સરળ AI સેવાઓ અને શિક્ષણ, આરોગ્યસંભાળ અને કૃષિ જેવા રાષ્ટ્રીય મહત્વના ક્ષેત્રો માટે ઉકેલો પૂરા પાડશે. આ સેવાઓ મોટા પાયે વિશ્વસનીય અને દરેક ભારતીય માટે પોસાય તેવી હશે.
ચોથું, AI પ્રતિભાઓનું ઘર. રિલાયન્સ ઈન્ટેલિજન્સ સંશોધનની ઝડપને એન્જિનિયરિંગની સખ્તાઇ સાથે જોડીને વિશ્વ-સ્તરીય સંશોધકો, એન્જિનિયરો, ડિઝાઇનરો અને પ્રોડક્ટ બિલ્ડરો માટે એક ઘર બનાવશે, જેથી વિચારો નવીનતા અને ઉપયોગમાં પરિવર્તિત થઈ શકે અને ભારત તથા વિશ્વને ઉકેલો પૂરા પાડી શકાય.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના નોન-એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર ઇશા અંબાણીએ (Reliance Non-Executive Director Isha Ambani) જણાવ્યું હતું કે રિલાયન્સ રિટેલ આજે એક રાષ્ટ્રીય આંદોલન છે – જે ગ્રાહકો અને ઉત્પાદકો બંનેને લાભ પહોંચાડવા, અર્થતંત્રને વેગ આપવા, આકાંક્ષાઓને વેગ આપવા અને ભારતીયોના જીવનની ગુણવત્તા સુધારવાનું એક મિશન છે.
આ વર્ષે અમારું પ્રદર્શન માત્ર વ્યાપ જ નહીં, પરંતુ અમારા વ્યવસાય મોડેલની અંતર્ગત શક્તિ અને સ્થિતિસ્થાપકતાને પણ પ્રતિબિંબિત કરે છે:
- કુલ આવક 8 ટકા વધીને રૂપિયા 3,30,943 કરોડ (ડૉલર 38.7 બિલિયન) થઈ.
- EBITDA 8.6 ટકા વધીને રૂપિયા 25,094 કરોડ (ડૉલર 2.9 બિલિયન) થયો.
અમારા રજીસ્ટર્ડ ગ્રાહકોની સંખ્યા વાર્ષિક ધોરણે 15 ટકા વધીને 349 મિલિયન થઈ છે. અમે આ વર્ષે લગભગ 1.4 બિલિયન ટ્રાન્ઝેક્શન પર પ્રક્રિયા કરી છે – જે ભારતની વસ્તી જેટલું છે – આ વ્યાપ અમારી નફાકારક રીતે વૃદ્ધિ કરવાની ક્ષમતાને જ મજબૂત બનાવે છે, એમ ઇશા અંબાણીએ જણાવ્યું હતું.
રિલાયન્સ ફાઉન્ડેશન તેની 15મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે, જેમાં સામાજિક ક્ષેત્રે તેની અસાધારણ યાત્રા અને ‘વિકસિત ભારત’ માટેની તેની પ્રતિબદ્ધતા પર ભાર મૂકવામાં આવ્યો છે. ફાઉન્ડેશનના કાર્યમાં મુખ્ય ભૂમિકા ભજવનાર નીતા મુકેશ અંબાણીએ (Reliance Foundation’s Nita Ambani)જણાવ્યું કે ફાઉન્ડેશનની પહેલોએ દરેક રાજ્યમાં અને 91,500 થી વધુ ગામોમાં, એટલે કે દેશના દર સાતમાંથી એક ગામમાં, 87 મિલિયનથી વધુ ભારતીયોના જીવનને સ્પર્શ કર્યો છે.
આ વર્ષો દરમિયાન, ફાઉન્ડેશને શિક્ષણ, આરોગ્યસંભાળ, આજીવિકા, આપત્તિ રાહત, રમતગમત, કલા અને પર્યાવરણ સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર કામ કર્યું છે. રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક-ચેરપર્સન નીતા અંબાણીએ ભારપૂર્વક જણાવ્યું કે ફાઉન્ડેશનનું કાર્ય “નવા ભારતનું નિર્માણ કરવા માટેની અમારી ગંભીર પ્રતિબદ્ધતા” છે.
આ ઉપરાંત, તેમણે મુંબઈ ઈન્ડિયન્સની વૈશ્વિક સફળતા અને IPLમાં આદિવાસી ક્રિકેટર રોબિન મિન્ઝની પ્રેરણાદાયક વાર્તા પર પણ પ્રકાશ પાડ્યો. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે રિલાયન્સ મુંબઈના નવા કોસ્ટલ રોડ ગાર્ડન્સના વિકાસ અને જાળવણીની જવાબદારી નિભાવી રહ્યું છે, જે શહેરને પ્રકૃતિની ભેટ સમાન હશે. આ તમામ પહેલો રિલાયન્સની સામાજિક જવાબદારી અને પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
મુકેશ અંબાણી, CMD, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ
રિલાયન્સની સ્થાપના થઇ તે સમયથી જ તેની સેવા કરવી અને છેલ્લાં 48 વર્ષથી કંપનીની દરેક AGMમાં હાજર રહેવું મારા માટે સૌભાગ્યની વાત છે. તેનાથી મને રિલાયન્સના વિકાસના દરેક તબક્કાના સાક્ષી બનવાની અને તેમાં ભાગ લેવાની તક મળી છે.
મેં આ પાંચ દાયકામાં ભારતની અદ્દભૂત યાત્રા પણ જોઈ છે ─ ‘થર્ડ વર્લ્ડ’ દેશમાંથી હવે ‘ફર્સ્ટ વર્લ્ડ પાવર’ બનવાની દિશામાં આગળ વધી રહેલો દેશ.
આ યાત્રાએ આપણને સૌથી મહત્વનો પાઠ એ શીખવ્યો છે કે આર્થિક તાકાતનો કોઈ વિકલ્પ નથી. હાલના ભૌગોલિક-રાજકીય ગતિવિધિઓથી આ પાઠ વધુ મજબૂત થયો છે. ભારતે વધુ આર્થિક તાકાત મેળવવી જ પડશે ─ અને તે પણ તાત્કાલિક ધોરણે.
આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ તેમના સ્વતંત્રતા દિવસના ઉદ્દબોધનમાં યોગ્ય જ કહ્યું હતું કે ‘આત્મસમ્માન’નો માપદંડ ‘આત્મનિર્ભરતા’ છે. ભારતે ચાવીરૂપ ટેકનોલોજી, મહત્વપૂર્ણ ઉદ્યોગો અને વૈશ્વિક અર્થતંત્રના અન્ય અગત્યના ક્ષેત્રોમાં ઇષ્ટતમ હદ સુધી આત્મનિર્ભર બનવું જોઈએ.
ઐતિહાસિક રીતે જોઇએ તો, રિલાયન્સે હંમેશા એક મજબૂત ભારત, એક ‘બલવાન ભારત’ના નિર્માણ માટેના આ મિશનમાં યોગદાન આપ્યું છે. હું આપણા વડાપ્રધાનને ખાતરી આપું છું કે રિલાયન્સ તેમના આદેશનું બમણા પ્રયાસો સાથે પાલન કરશે.
જોકે, આ પડકાર એટલો મોટો છે કે તમામ ભારતીય ઉદ્યોગોએ એક મહાગઠબંધનના સ્વરૂપમાં એકતા સાથે – સહકાર, પરસ્પર પદાર્થપાઠના આદાન-પ્રદાન અને પરસ્પર સમર્થનની ભાવના સાથે કામ કરવું પડશે.
મેં ગયા વર્ષની AGMમાં પણ આ સૂચન કર્યું હતું, અને આજે હું તેનો ફરીથી પુનરાવર્તન કરું છું. એકતા અને સામૂહિક પ્રયાસમાં તાકાત રહેલી છે.
અને આજે દેશ તેના ઉદ્યોગ જગત પાસેથી આ જ અપેક્ષા રાખે છે.



