તમારા આધાર કાર્ડનો ખોટો ઉપયોગ તો થઈ રહ્યો નથી ને? ઘરે બેઠા ચેક કરો

by Investing A2Z

અમદાવાદ- આધાર કાર્ડનો ઉપયોગ છેલ્લા કેટલાય વર્ષોમાં ઝડપથી વધી ગયો છે. બેંક, સરકારી યોજનાઓ, મોબાઈલ કનેક્શન, બાળકોને સ્કૂલમાં એડમિશન, ફ્લાઈટ અને ટ્રેનની ટિકિટ ખરીદતી વખતે, હોટલમાં રૂમ બુક કરાવતી વખતે, આવી અનેક જગ્યાએ આધાર કાર્ડ (Aadhar Card) આપવું પડે છે. જેટલી ઝડપથી આધાર કાર્ડનો ઉપયોગ વધ્યો છે, તેટલી ઝડપથી તેનો દૂરઉપયોગ વધ્યો છે.

કોઈ બીજાને આધાર કાર્ડની ઝેરોક્ષ કોપી લેવડદેવડ સામાન્ય બની ગઈ છે. આવા સંજોગોમાં આપ સુરક્ષિત રહેવા માંગો છો તો આપે આ જાણવા ખૂબ જરૂરી છે કે તમે તમારુ આધાર કાર્ડ કોને કોને આપ્યું છે અને તેનો કોઈ દુરઉપયોગ થયો છે કે નહી. તમે સરળતાથી તમારુ પોતાનું આધાર કાર્ડ ટ્રેક કરી શકો છો.

આધાર નંબરનો ખોટો ઉપયોગ કરીને કોઈ તમારા નામે બેંક એકાઉન્ટ ખોલી શકે છે. લોન લઈ શકે છે, અથવા તો સરકારી યોજનાઓનો લાભ ઉઠાવી શકે છે. કેટલીક વાર મોબાઈલ સિમ તથા અન્ય સેવાઓ પણ ખોટી રીતે એક્ટિવેટ થઈ જતી હોય છે.

યુઆઈડીએઆઈ (UIDAI) એ Authentication History નામની સુવિધા આપી છે. જે દ્વારા આપ જોઈ શકો છો કે તમારુ આધાર કાર્ડ કયા, કયારે અને કયા ઉદ્દેશ્ય માટે ઉપયોગ થયું છે.

સૌથી પહેલા myaadhar પોર્ટલ પર જવું જોઈએ. 12 અંકનો આધાર નંબર અને કેપ્ચા ભરીને OTP દ્વારા લોગિન કરવું.

ડેશબોર્ડ પર Aadhar Authentication History વિકલ્પને પંસદ કરો.

તારીખ અને ઓથિંટિકેશનનો પ્રકાર પંસદ કરો.( જેમાં બાયોમેટ્રિક, ડેમોગ્રાફિક અથવા ઓટીપી)

સબમિટ કર્યા પછી છેલ્લા છ મહિનાની હિસ્ટ્રી સ્કીન પર દેખાશે.

અહીંયા આપને દરેક ટ્રાન્ઝક્શનની તારીખ, સમય અને કઈ એજન્સીમાં તમારા આધાર કાર્ડનો ઉપયોગ કર્યો છે. તે બધુ જ દેખાશે. જો કોઈ અજાણી એક્વિટી દેખાય તો તુરંત સર્તક બની જાવ.

UIDAI ની વેબસાઈટ https://myaadhaar.uidai.gov.in/file-complaint  પર જઈને ફરિયાદ નોંધાવી દો.

UIDAI ટોલ ફ્રી નંબર 1947 પર કૉલ કરો.

તમારી નજીકના આધાર સેવા કેન્દ્ર પર જઈને ફરિયાદ કરી શકો છો.

જો આપને વારંવાર દુરઉપયોગની આશંકા હોય તો આપ તમારા આધારના બાયોમેટ્રિક ડેટાને UIDAI પોર્ટલ પર mAadhar એપથી લોક કરી શકો છો. જેનાથી તમારી મંજૂરી વગર કોઈપણ બાયોમેટ્રિક ઓંથેટિકેશન નહી કરી શકે.

આધારની ફોટો કોપી પર તારીખ, સમય અને કયા હેતુથી આપી છે, તે જરૂર લખો. જરૂરી ન હોય ત્યાં તમારે તમારી જાણકારી જાહેર ન કરવી જોઈએ.

Top Trending News

ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પૉલિસી જાહેર કરતાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ

નિયમિત રીતે તમારે તમારી ઓંથેટિકેશન હિસ્ટ્રીને ચેક કરતાં રહેવું જોઈએ. જેથી સંદિગ્ધ કે બોગસ કે ખોટી ગતિવિધી થતી હોય તો તેની ખબર પડી શકે.

જો આધારમાં કોઈ જૂની અથવા તો ખોટી જાણકારી હોય તો તેને તુરંત જ અપડેટ કરવી જોઈએ. જેથી સુરક્ષાની દ્વષ્ટિએ જરૂરી છે.

ડિજિટલ ઓળખના આ જમાનામાં તમારી થોડીક સતર્કતા આપને બહુ મોટી મુશ્કેલીમાંથી ઉગારી શકે છે. UIDAI ના ટુલ્સનો ઉપયોગ કરીને આપના આધારની સુરક્ષા તમે ખુદ જ સુનિશ્ચિત કરો.

Related Posts

Leave a Comment