ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કયાં કેટલો વરસાદ પડ્યો?

by Investing A2Z

ગાંધીનગર- ચોમાસાની ઋતુ શરૂ થતાંની સાથે જ આજે ગુરુવારે, 19 જૂન, 2025ના રોજ સવારે છ કલાક સુધીમાં ગુજરાત રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ એકંદરે 113.6 મિમિ એટલે કે 12.87 ટકા જેટલો નોંધાયો છે. (Monsoon 2025 in Gujarat)

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના રિપોર્ટ મુજબ છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યના ડાંગ જિલ્લાના ડાંગ-આહવા તાલુકામાં સૌથી વધુ 9.8 ઇંચ અને વલસાડના કપરાડા તાલુકામાં 9.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. (Gujarat Rain 2025)

રાજ્યના અન્ય તાલુકાઓમાં, છેલ્લા 24 કલાકમાં ડાંગના વઘઇ અને સુબીર તાલુકામાં 7 ઇંચથી વધુ તેમજ વલસાડના ધરમપુર અને નવસારીના વાંસદા તાલુકામાં 6 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત નવસારીના ખેરગામ અને તાપીના ડોલવણ તાલુકામાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. વધુમાં, ગાંધીનગરના માણસા, દેહગામ અને ગાંધીનગર તાલુકામાં, ગીર સોમનાથના સુત્રાપાડા અને પાટણ-વેરાવળમાં, વલસાડના પારડી અને વાપીમાં, પંચમહાલના ગોધરા તથા નવસારીના ચિખલી તાલુકામાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે.

Top Trending News

ભારત અને ક્રોએશિયા વચ્ચે થયા અનેક સમજૂતી કરાર, ચીન- પાકિસ્તાનને થશે બળતરા?

તદુપરાંત રાજ્યના 17 તાલુકામાં બે ઇંચથી વધુ, 37 તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, 89 તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 27 જિલ્લાના 160 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

SEOCના અહેવાલ મુજબ આજે સવારે 6 થી 10 કલાક સુધીમાં સુરતના ઓલપાડ, વલસાડના ધરમપૂર તેમજ ભરૂચના હાંસોટ તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ભરૂચના વાલીયામાં તેમજ સુરતના ઉમરપાડા તાલુકામાં પણ 2.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

પાછલા થોડા દિવસોથી બોટાદ જિલ્લામાં પડી રહેલા વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિના અનુસંધાને ગ્રાહક બાબતો,ખાધ અને જાહેર વિતરણ વિભાગના કેન્દ્રીય રાજ્યકક્ષાના પ્રધાન નિમુબેન બાંભણીયાએ બોટાદ જિલ્લાની મુલાકાત લીધી હતી. બોટાદ જિલ્લામાં વરસાદથી અસરગ્રસ્ત વિવિધ વિસ્તારોનું સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું. લાઠીદડ ખાતે આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે ઈકો કારમાં તણાઈ ગયેલા નાગરિકોના સ્વજનોને મળી તેમને સાંત્વના આપી હતી અને શક્ય મદદની ખાતરી આપી હતી. લાઠીદડ પાસે પાણીના વહેણમાં તણાયેલી ઈકો કારમાં સવાર યાત્રીકોને શોધવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું, જે અંતર્ગત શોધખોળ દરમિયાન મળેલા મૃતદેહોને તેમના પરિવારજનોને સોંપાયા હતા. આ ગમગીન માહોલમાં નિમુબહેને મૃતકોના પરિજનોને હિંમત આપી હતી.

Related Posts

Leave a Comment