રાજકોટ- અમદાવાદમાં થયેલ દુર્ભાગ્યપૂર્ણ વિમાન દુર્ઘટનામાં (Air India Plane Crash In Ahmedabad) અણધારી ચિરવિદાય લેનાર સરળ, સૌમ્ય અને નિખાલસ વ્યક્તિત્વના ધની, ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીની રાજકીય સન્માન સાથે રાજકોટ ખાતે અંતિમવિધિ કરાઇ હતી. (Gujarat Former CM Vijay Rupani)
DNA મેચ થયા બાદ આજે સોમવારે સવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી (Ahmedabad Civil Hospital) વિજયભાઈ રૂપાણીનો નશ્વર દેહ ગાર્ડ ઓફ ઓનર સાથે પરિવારને સોંપાયો હતો. ત્યારબાદ અંતિમક્રિયા માટે તેઓના પાર્થિવ દેહને હવાઈ માર્ગે રાજકોટ લાવવામાં આવ્યો હતો.



રાજકોટ અને ગાંધીનગરમાં પ્રાર્થના સભા

વિજયભાઈ રૂપાણીના આત્માને પ્રભૂ સદગતિ આપે, તેવી પ્રાર્થના સાથે શ્રદ્ધાજંલિ….